Bhakti : જાણો દિવાસા પર થતાં એવરત જીવરત વ્રતનો મહિમા, આ વ્રત પૂર્ણ કરશે પરિવારના સુખની કામના !

દિવાસો એટલે કે સો પર્વનો વાસો. દિવાસાના દિવસે એવરત અને જીવરત એમ બે પ્રકારના વ્રત થાય છે. વ્રતથી અખંડ સૌભાગ્યની સાથે સંતાન સુખના આશિષ પ્રાપ્ત થવાની માન્યતા છે.

Bhakti : જાણો દિવાસા પર થતાં એવરત જીવરત વ્રતનો મહિમા, આ વ્રત પૂર્ણ કરશે પરિવારના સુખની કામના !
એવરત જીવરત વ્રતથી પ્રાપ્ત થશે સૌભાગ્ય અને સંતાનના આશિષ
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Aug 07, 2021 | 9:04 AM

અષાઢ માસનો અંતિમ દિવસ એટલે કે દિવાસો (Divaso). દિવાસો એટલે કે સો પર્વનો વાસો. દિવાસાથી જ વ્રત, તહેવાર અને ઉત્સવોનો પ્રારંભ થાય છે. દિવાસાથી લઈ દિવાળી સુધી લગભગ સો દિવસનો સમય રહે છે. અને તે સંપૂર્ણપણે ઉત્સવમય રહે છે. એટલે જ અષાઢી અમાસનો દિવસ ખુબ ઉત્તમ માનવામાં આવે છે. આપણો દેશ એ ઉત્સવ પ્રિય દેશ છે. આપણા અઢળક તહેવારોનું ધાર્મિક અને સામાજિક રીતે ખુબ મહત્વ છે. એવી જ રીતે દિવાસાનું પણ આપણી સંસ્કૃતિમાં ખુબ મહત્વ છે.

આપણે ત્યાં સ્ત્રીઓ માટે કેટલાય વ્રતનો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. નાની બાળકીઓ ગોરો એટલે મોળાકતનું વ્રત કરે છે. તો તરૂણાવસ્થામાં પહોંચેલી દીકરીઓ જયાપાર્વતી કે ફૂલકાજળનીનું વ્રત કરે છે. તો પરિણીત સ્ત્રીઓ એવરત જીવરતનું વ્રત કરે છે. મોળાકત અને જયાપાર્વતીનું વ્રત કુંવારીકાઓ પોતાના મનના માણીગર માટે કરે છે. તો દિવાસાનું વ્રત પરિણીતાઓ પરિવારની સુખાકારી અને સુસ્વાસ્થય માટે કરે છે.

કહે છે કે દિવાસાનું વ્રત કરનાર સ્ત્રીને એવરત અને જીવરત મા અખંડ સૌભાગ્યના આશિષ આપે છે. સાથે જ પતિના દીર્ઘાયુ માટે પણ સ્ત્રીઓ આ વ્રત કરે છે. એટલું જ નહીં, સંતાન સુખના પણ આશિર્વાદ આપે છે દિવાસાનું વ્રત. દિવાસાના વ્રતના માહાત્મ્ય સંબંધી કથાઓ આપે પણ લોકમુખે સાંભળી હશે. આજે અમે આપને દિવાસાના વ્રત સંબંધી કેટલીક ખાસ બાબતો જણાવી દઈએ.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

દિવાસાના દિવસે એવરત અને જીવરત એમ બે પ્રકારના વ્રત થાય છે. નવપરિણીતાઓ એવરત અને મોટી ઉંમરની મહિલાઓ જીવરતનું વ્રત કરે છે. વ્રત કરનાર મહિલા ઉપવાસ રાખે છે. દિવાસાના ઉપવાસમાં સ્ત્રીએ મીઠાં વગરનો જ ખોરાક લેવાનો હોય છે. દિવાસાનું વ્રત કરનાર સ્ત્રી જવારાની વાવણી કરે છે. એવરતમા, જીવરતમાની પૂજા-અર્ચના કરે છે. અને સાથે જ ત્રણ પ્રહર સુધી જાગરણ કરે છે.

દિવાસાના વ્રતની આ જ ખાસિયત છે. કારણકે કોઈ પણ સામાન્ય વ્રતનું જાગરણ 24 કલાક સુધી ચાલતું હોય છે. જો કે દિવાસામાં કુલ 36 કલાકનું જાગરણ કરવામાં આવે છે. જાગરણ દરમિયાન માતા એવરત અને જીવરતનાં ગુણલાં ગવાય છે. પરિવારના લોકો પણ સાથે જોડાય છે અને ભજન કિર્તન કરતાં કરતાં 36 કલાકનું જાગરણ પૂરુ કરાવે છે. અલબત, દિવાસા પર દીપપૂજાનું પણ ખુબ મહત્વ છે.

કહેવાય છે કે વ્રતના આ ત્રણ પ્રહર દરમિયાન એક દિવો અખંડ ચાલુ રાખવો. કેટલાક સ્થળો પર કુંવારીકાઓ પણ એવરતનું વ્રત કરે છે. મનના માણીગરની કામના સાથે મહાદેવ અને દેવી પાર્વતીની પૂજા કરે છે. તો કેટલાક સ્થળો પર માત્ર નવપરિણીત સ્ત્રીઓ જ એવરતનું વ્રત કરે છે.

આ પણ વાંચો : કેવું છે જગદંબાનું સાચું સ્વરૂપ ? નિર્ગુણા કે સગુણા ? જાણો ‘દેવી ભાગવત’ની કથા. આ પણ વાંચો : ઘરના મંદિર પાસે ભૂલથી પણ ન કરતા આ કામ, નહીંતર પસ્તાવાનો આવશે વારો !

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">