AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhakti : ઘરના મંદિર પાસે ભૂલથી પણ ન કરતા આ કામ, નહીંતર પસ્તાવાનો આવશે વારો !

ઘરમાં મંદિર કઈ દિશામાં સ્થાપવું જોઈએ એ વિશે તો બધાં ધ્યાન રાખતાં જ હોય છે. પરંતુ, મંદિર સ્થાપન બાદ જે ખૂબ જ જરૂરી છે તેવી બાબતોને જ ધ્યાને લેવાનું ભૂલી જાય છે.

Bhakti : ઘરના મંદિર પાસે ભૂલથી પણ ન કરતા આ કામ, નહીંતર પસ્તાવાનો આવશે વારો !
ઘરનું મંદિર જ હોય છે ઘરનું સૌથી જાગ્રત સ્થાન !
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 05, 2021 | 12:56 PM
Share

ભક્તો જેટલાં ઉત્સાહથી પોતાનું ઘર (Home) સજાવતા હોય છે, એનાથી પણ વધારે હરખભેર તેઓ ઘરમાં રહેલાં ભગવાનના ‘ઘર’ ને શણગારતા હોય છે. કારણ કે એ ઘરમાં રહેલું ‘મંદિર’ જ હોય છે કે જેની દિવ્ય ઊર્જાથી એક મકાન એ ઘર બને છે. કહે છે કે ઘરમાં સ્થાપિત મંદિરની પવિત્રતાથી જ પરિવારજનોને સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થતી હોય છે. પણ તેનાથી વિપરીત જો આ મંદિર પ્રત્યે દુર્લક્ષ રાખવામાં આવે તો તે ઘરમાં રહેનારાઓની પ્રગતિને પણ અવરોધી શકે છે.

ઘરમાં મંદિર કઈ દિશામાં સ્થાપવું જોઈએ એ વિશે તો બધાં ધ્યાન રાખતાં જ હોય છે. પરંતુ, મંદિર સ્થાપન બાદ જે ખૂબ જ જરૂરી છે તેવી બાબતોને જ ધ્યાને લેવાનું ભૂલી જાય છે. ઘરમાં યોગ્ય સ્થાન પર મંદિર સ્થાપનાની વિધિનું જેટલું મહત્વ છે, એટલું જ મહત્વ કેટલાંક નિયમોને અનુસરવાનું પણ છે. આ એ નિયમો છે કે જે ઘરની પવિત્ર ઊર્જાને અકબંધ રાખશે. કેટલીક નાની બાબતોને ધ્યાનમાં રાખીને તમે ઘરમાં જ કોઈ ‘દેવાલય’ જેવું વાતાવરણ અનુભવી શકશો ! આવો આજે કેટલીક આવી જ માન્યતાઓ વિશે જાણકારી મેળવીએ.

ઘરના મંદિર સંબંધી માન્યતાઓ

1. ઘરમાં ક્યારેય એકથી વધારે મંદિરની સ્થાપના ભૂલથી પણ ન કરવી. તેનાથી શારીરિક, માનસિક અને આર્થિક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

2. ઘરની અંદર જ સીડી પડતી હોય તો ભૂલથી પણ તેની નીચે ક્યારેય મંદિર ન બનાવવું. ભોંયરામાં પણ મંદિરનું નિર્માણ ન કરવું. તેનાથી નકારાત્મક પરિણામો ભોગવવા પડી શકે છે.

3. મંદિરની આસપાસ કે સામે ક્યારેય શૌચાલય ન જ હોવું જોઈએ.

4. ક્યારેય રસોડામાં મંદિર ન મૂકવું જોઈએ. મંદિરની સાથે રસોડું કે સ્ટોર રૂમ પણ ન જ હોવો જોઈએ.

5. ઘરના મંદિરમાં ભૂલથી પણ શનિદેવની તસવીર કે મૂર્તિ ન રાખવી. તેમજ પૂર્વજોની તસવીર પણ ઘરના મંદિરમાં ન મૂકવી. ઘરના મંદિરમાં આવી તસવીરોનું હોવું અશુભદાયી મનાય છે.

6. જો મંદિરમાં એક જ ભગવાનની બે મૂર્તિ હોય તો તેને એકબીજાની સામે ન રાખવી. તેમજ મંદિરની બે મૂર્તિ વચ્ચે ઓછામાં ઓછું એક ઈંચનું અંતર રાખવું જોઈએ.

7. મંદિરની આસપાસ ગંદકી ન હોવી જોઈએ. તે ઘરનું સૌથી પવિત્ર સ્થાન હોઈ હંમેશા જ સ્વચ્છ રાખવું જોઈએ. ત્યાં નિત્ય જ સાફ-સફાઈ કરવી જોઈએ.

8. મંદિર તરફ પગ રાખીને ક્યારેય ન સૂવું જોઈએ. તેનાથી પૂજાના શુભફળની પ્રાપ્તિ નહીં થાય.

9. મંદિર એ ઘરનું સૌથી જાગ્રત સ્થાન હોઈ તેનો દરવાજો ક્યારેય બંધ ન કરવો જોઈએ.

ઉલ્લેખનીય છે કે આ બધી જ બાબતો લૌકિક અને પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. પણ, કહે છે કે આ નાની-નાની બાબતોને ધ્યાનમાં રાખવામાં આવે તો સમગ્ર ઘરનું વાતાવરણ પણ મંદિર જેટલું જ પવિત્ર ભાસવા લાગશે.

આ પણ વાંચો : કેવું છે જગદંબાનું સાચું સ્વરૂપ ? નિર્ગુણા કે સગુણા ? જાણો ‘દેવી ભાગવત’ની કથા

આ પણ વાંચો : વર્ષમાં માત્ર દોઢ માસ ભક્તોને દર્શન દે છે આ દેવાધિદેવ ! સ્વયં પાંડવો દ્વારા પૂજીત શિવલિંગનો જાણો મહિમા

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">