પાછોતરા વરસાદથી ખેડૂતોની હાલત થઈ કફોડી, તૈયાર મગફળીના પાથરા પલળી જતા ખેડૂતોના મોં માં આવેલો કોળિયો છીનવાયો- Video

ગીર સોમનાથના ખેડૂતોની માઠી દશા બેઠી છે. પાછોતરા વરસાદે ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા છે. ખેતરોમાં સૂકાવા માટે રાખેલા મગફળીના પાથરા પલળી જતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 21, 2024 | 8:23 PM

ગીર-સોમનાથમાં પાછોતરા વરસાદે ખેડૂતોના મુખમાં આવેલો કોળિયો છીનવી લીધો છે. વેરાવળ પંથકમાં વરસાદના કારણે ખેડૂતોનો પાક નષ્ટ થયો છે. વેરાવળના કોડીદ્રા, ભેટાળી, પંડવા સહિતના ગામડાઓમાં ખેડૂતોની મહેનત પર વરસાદી પાણી ફરી વળ્યું છે. મગફળી, સોયાબીન સહિતનો ચોમાસું પાક પાણી ભરાઈ જવાથી નિષ્ફળ ગયો છે. ખેતરમાં પાણીનો ભરાવો થતા પાક કોહવાઈ ગયો છે.

સોના જેવા પાકમાં પાણી ભરાઈ જતા ખેડૂતો થયા પાયમાલ

આખા વર્ષની મહેનત, મોંઘા બિયારણ અને ભારે જતન કરીને ઉછેરેલા પાક પર વરસાદી પાણી ફરી વળતા ખેડૂતોને ભારે નુક્સાન વેઠવાનો વારો આવ્યો છે. જે ખેતરોમાં થોડા સમય પહેલા હરિયાળો પાક લહેરાતો હતો ત્યાં આજે વરસાદના કારણે બધુ રમણ-ભમણ થઈ ગયું છે. પાછાતરા વરસાદે ખેડૂતોને પાયમાલ કર્યા છે.

ખેડૂતોનો પાક પલળી જતા તેમની પીડાનો કોઈ પાર રહ્યો નથી. હાથમાં પલળેલો પાક લઈ ખેડૂત આક્રંદ કરતા જોવા મળ્યા છે. સોયાબિન અને મગફળીનો પાક સંપૂર્ણપણે પલળી જતા ખેડૂતોને રોવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહ્યો નથી. ત્યારે ખેડૂતો હવે સરકાર તરફ મીટ માંડીને બેઠા છે કે સરકાર હવે તેમની સામે કંઈક જુએ.

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
મગફળી- સોયાબિનનો તૈયાર પાક પલળી જતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો
મગફળી- સોયાબિનનો તૈયાર પાક પલળી જતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો
વાવ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે ગુલાબસિંહનું નામ ફાઇનલઃ સૂત્ર
વાવ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે ગુલાબસિંહનું નામ ફાઇનલઃ સૂત્ર
મેંદરડા તાલુકાના ખેડૂતોએ સભા યોજી ઈકો સેન્સિટીન ઝોનનો નોંધાવ્યો વિરોધ
મેંદરડા તાલુકાના ખેડૂતોએ સભા યોજી ઈકો સેન્સિટીન ઝોનનો નોંધાવ્યો વિરોધ
છોટા ઉદેપુરમાં વધુ એક પ્રસુતા પાકા રસ્તાના અભાવે હોસ્પિટલ ન પહોંચી શકી
છોટા ઉદેપુરમાં વધુ એક પ્રસુતા પાકા રસ્તાના અભાવે હોસ્પિટલ ન પહોંચી શકી
ઈકો સેન્સિટીવ ઝોનના વિરોધમાં મળ્યુ કિસાન સંઘનું સંમેલન- Video
ઈકો સેન્સિટીવ ઝોનના વિરોધમાં મળ્યુ કિસાન સંઘનું સંમેલન- Video
MLA જીજ્ઞેશ મેવાણીએ કહ્યું- મારી હત્યા થશે તો IPS રાજકુમાર પાંડિયન જવા
MLA જીજ્ઞેશ મેવાણીએ કહ્યું- મારી હત્યા થશે તો IPS રાજકુમાર પાંડિયન જવા
ગુજરાતમાં હજુ બે દિવસ વરસાદથી નહીં મળે કોઈ રાહત,પડશે હળવા વરસાદી ઝાપટા
ગુજરાતમાં હજુ બે દિવસ વરસાદથી નહીં મળે કોઈ રાહત,પડશે હળવા વરસાદી ઝાપટા
ગીરની રાણી સિંહણની બે બાળ સાથે વહેતા પાણીની વચ્ચે લટાર,જુઓ અદભુત Video
ગીરની રાણી સિંહણની બે બાળ સાથે વહેતા પાણીની વચ્ચે લટાર,જુઓ અદભુત Video
કેન્દ્રીય નાણાંપંચની ટીમ 3 દિવસની ગુજરાતની મુલાકાતે
કેન્દ્રીય નાણાંપંચની ટીમ 3 દિવસની ગુજરાતની મુલાકાતે
ગુજરાતમાં 24 કલાકમાં 69 તાલુકામાં વરસ્યો વરસાદ
ગુજરાતમાં 24 કલાકમાં 69 તાલુકામાં વરસ્યો વરસાદ
g clip-path="url(#clip0_868_265)">