વડાપ્રધાન મોદી સિગ્નેચર બ્રિજનું કરશે લોકોર્પણ, જામનગરમાં ભવ્ય રોડ શોના રુટનું પૂનમ માડમે કર્યુ નિરીક્ષણ, જુઓ વીડિયો

વડાપ્રધાન મોદી સિગ્નેચર બ્રિજનું કરશે લોકોર્પણ, જામનગરમાં ભવ્ય રોડ શોના રુટનું પૂનમ માડમે કર્યુ નિરીક્ષણ, જુઓ વીડિયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 22, 2024 | 10:54 AM

વડાપ્રધાન મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ એટલે કે સમુદ્ર પરથી ઓખા અને બેટ દ્વારકાને જોડતો સિગ્નેચર બ્રિજ બનીને તૈયાર થઇ ગયો છે.જેનું 25 ફેબ્રુઆરીએ વડાપ્રધાન મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. 24 ફેબ્રુઆરીના રોજ જામનગરમાં યોજાનાર રોડ શો ના રુટનું સાંસદ પૂનમ માડમે નિરીક્ષણ કર્યું.

વડાપ્રધાન મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ એટલે કે સમુદ્ર પરથી ઓખા અને બેટ દ્વારકાને જોડતો સિગ્નેચર બ્રિજ બનીને તૈયાર થઇ ગયો છે.જેનું 25 ફેબ્રુઆરીએ વડાપ્રધાન મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. જે બાદ ભક્તો બેટ દ્વારકાનું 34 કિલોમીટરનું અંદર ફક્ત ગણતરીની મિનિટોમાં જ કાપી શકશે. વર્ષ 2017માં વડાપ્રધાન મોદીએ જ દ્વારકાના સૌથી મોટા પ્રોજેક્ટનું ભૂમિપૂજન કર્યું હતું.

અગાઉ દ્વારકા દર્શને આવનારા ભક્તો પહેલા ફેરી બોટ મારફતે સવારી કરીને બેટ દ્વારકા જતા હતા.પરંતુ હવે દ્વારકાના ઘુઘવતા દરિયા પર 900 કરોડના ખર્ચે 2320 મીટર લાંબો બ્રિજ બનીને તૈયાર છે.

હવે તેના પરથી નાના-મોટા તમામ વાહનો પસાર થઇ શકશે. 25મી ફેબ્રુઆરીએ પીએમ મોદી દ્વારકાની મુલાકાતે છે. જ્યાં તેઓ સિગ્નેચર બ્રિજ રાષ્ટ્રને સમર્પિત કરવાના છે. આ અગાઉ જામનગરમાં પીએમ મોદીના ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે.

શનિવારે સાંજે એટલે કે 24મી ફેબ્રુઆરીએ પીએેમ મોદી જામનગર એરપોર્ટ પહોંચશે.જ્યાં એરપોર્ટથી સર્કિટ હાઉસ સીધી પીએમના રૂટ પર રોડ જેવી તૈયારીઓ કરવામાં આવી છે. આ રુટની ખાસ સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે. સાંસદ પૂનમ માડમે પીએમ મોદીના રૂટનું નિરીક્ષણ કર્યું.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">