Video : ગુજરાતમાં શિક્ષકોની ઘટ હોવાનું ખુદ સરકારે સ્વીકાર્યુ, 71 શાળાઓમાં શિક્ષકોની ઘટ હોવાનું જણાવ્યુ

વિધાનસભા સત્ર દરમિયાન રાજ્યમાં શિક્ષકો મુદ્દે ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. શિક્ષકોની ઘટ મુદ્દે વિધાનસભામાં સરકારે જવાબ આપ્યો છે. શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોરે વિધાનસભામાં માહિતી આપી કે રાજ્યની 71 શાળાઓમાં શિક્ષકોની ઘટ છે.

Kinjal Mishra
| Edited By: | Updated on: Feb 12, 2024 | 2:45 PM

વિધાનસભા ગૃહમાં આજે સત્ર દરમિયાન અલગ અલગ પ્રશ્નો પુછાયા હતા.જેમાં ગુજરાતમાં શિક્ષકોની ઘટને લઇને પણ સવાલ પુછવામાં આવ્યો હતો.કેટલા શિક્ષકોની ઘટ છે તેનો સવાલ પુછવામાં આવ્યો હતો.જેના જવાબમાં રાજ્ય સરકારે 1606 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક દ્વારા અભ્યાસ આપતો હોવાનું સ્વીકાર્યુ હતુ.

શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોરે વિધાનસભામાં માહિતી આપી

વિધાનસભા સત્ર દરમિયાન રાજ્યમાં શિક્ષકો મુદ્દે ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. શિક્ષકોની ઘટ મુદ્દે વિધાનસભામાં સરકારે જવાબ આપ્યો છે. શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોરે વિધાનસભામાં માહિતી આપી કે રાજ્યની 71 શાળાઓમાં શિક્ષકોની ઘટ છે.

5થી ઓછી સંખ્યા ધરાવતી 20 શાળાઓ છે. 5થી 10 જેટલા વિદ્યાર્થીઓ હોય એવી 86 શાળાઓ છે. 21થી 30 સંખ્યા ધરાવતી 419 શાળાઓ છે. તો રાજ્યમાં 31થી 60 શિક્ષકો ધરાવતી 600 શાળાઓ છે.

રાજ્યના શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું છે કે, ભૂલકાઓને પ્રાથમિક શિક્ષણ ઘર આંગણે જ પુરૂ પાડવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. રાજ્યમાં એક જ શિક્ષક વાળી 1606 પ્રાથમિક શાળાઓ છે,જેમાં સત્વરે શિક્ષકો મૂકવામાં આવશે.

પ્રાથમિક શાળાઓમાં ભૂલકાઓનું શિક્ષણ બગડે નહીં એ માટે આવી શાળાઓમાં યોગ્ય લાયકાત ધરાવતા જ્ઞાન સહાયક મુકવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સાથોસાથ શાળાઓમાં વધઘટ કેમ્પનું આયોજન કરાયઉ છે. જેમાં જિલ્લા ફેર અને જિલ્લાઓની આંતરિક બદલી કેમ્પનું આયોજન કરીને શિક્ષકોને વતનનો લાભ આપવાનો પ્રયાસ કર્યો છે. જેના પરિણામે આ ઘટ જોવા મળી રહી છે.

તેમણે ઉમેર્યું કે, રાજ્યની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ફાળવણી RTE એક્ટ હેઠળ કરવામાં આવે છે. જેમાં 30 વિદ્યાર્થી દીઠ 1 શિક્ષકની ફાળવણી કરવામાં આવે છે. વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોય તેવી શાળાઓ પણ વધુ છે. જેના પરિણામે એકજ શિક્ષક ધરાવતી પ્રાથમિક શાળાઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. સંખ્યા આધારિત શિક્ષકોની ભરતી સત્વરે કરવામાં આવશે તેમ, તેમણે ઉમેર્યું હતું.

ક્ષણપ્રધાનના જવાબ મુદ્દે વિપક્ષે પ્રહાર કર્યા

બીજી તરફ શિક્ષણપ્રધાનના જવાબ મુદ્દે વિપક્ષે પ્રહાર કર્યા. કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ કહ્યુ કે શિક્ષકોની ઘટથી વિદ્યાર્થીઓનું શિક્ષણ ન બગડવું જોઇએ. વર્તમાન નીતિને પગલે ખાનગી શાળાઓની સંખ્યા વધી છે. ત્વરીત અસરથી શાળાઓની ખાલી જગ્યા ભરાવી જોઇએ. જો નવી ભરતી નહીં થાય તો સરકારી માળખું તૂટી જશે. રાજ્યમાં એક શિક્ષકથી ચાલતી શાળાની સંખ્યા વધી છે. રાજ્યની 1,606 શાળામાં માત્ર એક જ શિક્ષક છે. કુલ 19,600 શિક્ષકોની જગ્યા ખાલી છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Follow Us:
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">