ક્ષત્રિયોના આંદોલનનો આવી શકે છે સુખદ અંત, CM નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક- Video

ક્ષત્રિય આંદોલનનો સુખદ અંત આવે તેવા એંધાણ મળી રહ્યા છે. સીએમ નિવાસસ્થાને હાલ મહત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવી છે. જેમા ક્ષત્રિય સંકલન સમિતિના નેતાઓને પણ બેઠકમાં સામેલ થવા માટે કહેવામાં આવ્યુ છે. જો કે એ પહેલા ક્ષત્રિય સંકલન સમિતિની ખુદની અમદાવાદમાં ગોતા ખાતે અલગથી બેઠક મળી છે. આ બેઠક બાદ તેઓ ગાંધીનગરમાં સીએમની બેઠકમાં સામેલ થાય તેવી શક્યતા જોવાઈ રહી છે. 

Harin Matravadia
| Edited By: | Updated on: Apr 15, 2024 | 11:59 PM

છેલ્લા 22-23 દિવસથી ચાલી રહેલા ક્ષત્રિય સમાજના આંદોલનનો સુખદ અંત આવી શકે છે. હાલ ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને ક્ષત્રિય આગેવાનોની મહત્વપૂર્ણ બેઠક મળી છે. જેમા ક્ષત્રિય સંકલન સમિતિના આગેવાનોને પણ આ બેઠકમાં આવવા માટેનુ આમંત્રણ આપ્યુ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી આ બેઠકમાં હાજર છે. જોકે મળતી જાણકારી અનુસાર ક્ષત્રિય સંકલન સમિતિના આગેવાનો હજુ સુધી મુખ્યમંત્રી નિવાસસ્થાને મળેલી બેઠકમાં પહોંચ્યા નથી અને તેમની ગોતા ખાતે અલગથી બેઠક ચાલી રહી છે.

આ બેઠક બાદ તેઓ મુખ્યમંત્રી નિવાસસ્થાને બેઠકમાં જાય તેવી શક્યતા જોવાઈ રહી છે. આવતીકાલે પરશોત્તમ રૂપાલા લોકસભા ચૂંટણી માટેનુ ઉમેદવારી પત્ર દાખલ કરવાના છે એ પહેલા કોઈ સમાધાનકારી નિર્ણય પર આવવા માટે સરકાર તરફથી પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.

આ પહેલા પદ્મિનીબાવાળાની જે કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે તેમા પણ તેમણે કહ્યુ હતુ કે રૂપાલાને ફોર્મ તો નહીં જ ભરવા દઈએ ત્યારે શાંતિપૂર્ણ દિશામાં ફોર્મ ભરવાની પ્રક્રિયા સંપન્ન થાય તેને લઈને કવાયત હાથ ધરાઈ છે.

રાજકોટમાં ગઈકાલે યોજાયેલા ક્ષત્રિય સમાજના અસ્મિતા મહાસંમેલન બાદ પણ સમાજમાં જાણે તડા પડ્યા હોય તેવા અહેવાલ મળી રહ્યા છે. જેમા રૂપાલા સામેના આંદોલન મુદ્દે ક્ષત્રિય સમાજમાં જ ખેંચતાણ જોવા મળી છે. મહાસંમેલન મુદ્દે રાજકોટના પદ્મિનીબા વાળાની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. જેમાપદ્મિનીબાએ સંકલન સમિતિ પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યુ રાજકોટના સંમેલનમાં કોઈ મહત્વનો નિર્ણય આવ્યો નથી. ત્યારે સમાજના લોકો શું ભાષણ સાંભળવા એક્ઠા થયા હતા તેવો સવાલ પણ તેમણે કર્યો છે.

આ પણ વાંચો: હીટવેવના ખતરા સામે રાજ્ય સરકારે કસી કમર, ઝીરો કેજ્યુલિટી એપ્રોચ સાથે માનવજીવન અને પશુધનની રક્ષા માટે તૈયાર કર્યો એક્શન પ્લાન

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
g clip-path="url(#clip0_868_265)">