Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અરવલ્લીઃ માર્કેટયાર્ડમાં મગફળી વેચવા આવેલા 45 વર્ષના ખેડૂતનું હાર્ટએટેકથી મોત

અરવલ્લીઃ માર્કેટયાર્ડમાં મગફળી વેચવા આવેલા 45 વર્ષના ખેડૂતનું હાર્ટએટેકથી મોત

| Updated on: Dec 12, 2023 | 7:39 PM

અરવલ્લી જિલ્લામાં એક ખેડૂતને હાર્ટએટેક આવતા મોત નિપજ્યુ હતુ. માર્કેટયાર્ડમાં મગફળી વેચવા માટે આવ્યો હતો ખેડૂત અને એ દરમિયાન અસ્વસ્થતા અનુભવી રહ્યો હતો. બાદમાં અચાનક જ ઢળી પડ્યો હતો. જેને લઈ ખેડૂતને મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તબીબે મૃત જાહેર કર્યો હતો.

મોડાસા માર્કેટ યાર્ડમાં ખેડૂત મગફળી વેચવા માટે પહોંચ્યો હતો અને જ્યાં તબીયત લથડી હતી અને અચાનક ઢળી પડ્યા બાદ મોતને ભેટ્યો હતો. સાકરીયા ગામના 45 વર્ષીય ખેડૂત સુખા સોમાભાઈ ખાંટ મગફળી વેચવા માટે માર્કેટયાર્ડમાં પહોંચ્યા હતા. જ્યાં તેઓને અચનાક અસ્વસ્થતા જણાઈ હતી. આ દરમિયાન જ તેઓ ઢળી પડ્યા હતા.

ખેડૂતની તબીયત ઠીક નહીં જણાતા તેમને તુરત જ સ્થાનિક સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તબિબોએ ખેડૂત સુખા ખાંટને મૃત જાહેર કર્યા હતા. આમ મોડાસામાં વધુ એક મોતની ઘટના હ્રદયરોગના હુમલાને લઈ નોંધાઈ હતી.

 

આ પણ વાંચોઃ  સાબરકાંઠાઃ હિંમતનગરમાં પોલીસ પરેડ, મોકડ્રીલ અને કવાયત યોજાઈ, રેન્જ IGએ કર્યુ નિરીક્ષણ, જુઓ

અરવલ્લી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">