IND vs BAN: કાનપુર ટેસ્ટનો પ્રથમ દિવસ માત્ર 35 ઓવરમાં સમાપ્ત, ટીમ ઈન્ડિયા માટે આ સારા સમાચાર નથી

કાનપુર ટેસ્ટ મેચના પહેલા દિવસે માત્ર 35 ઓવર જ રમાઈ શકી, જેમાં બાંગ્લાદેશે પ્રથમ બેટિંગ કરતા 3 વિકેટ ગુમાવીને 107 રન બનાવ્યા. પહેલા દિવસની શરૂઆત જ વરસાદને કારણે મોડી થઈ હતી, જે બાદ ખરાબ પ્રકાશના કારણે રમત અટકાવવામાં આવી હતી અને 35 ઓવર બાદ સમય પહેલા જ રમત બંધ કરવી પડી હતી.

IND vs BAN: કાનપુર ટેસ્ટનો પ્રથમ દિવસ માત્ર 35 ઓવરમાં સમાપ્ત, ટીમ ઈન્ડિયા માટે આ સારા સમાચાર નથી
Team IndiaImage Credit source: PTI
Follow Us:
| Updated on: Sep 27, 2024 | 5:32 PM

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી ટેસ્ટ મેચ શુક્રવાર 27 સપ્ટેમ્બરથી કાનપુરમાં શરૂ થઈ રહી છે. ચેન્નાઈમાં આસાન જીત બાદ ટીમ ઈન્ડિયાએ કાનપુર ટેસ્ટમાં બાંગ્લાદેશનો ક્લીન સ્વીપ કરવાના ઈરાદા સાથે પ્રવેશ કર્યો હતો. આશા હતી કે ટીમ ઈન્ડિયા આ ટેસ્ટ પણ આસાનીથી જીતી જશે, પરંતુ પહેલા દિવસે વરસાદ અને ખરાબ પ્રકાશના કારણે માત્ર 35 ઓવર જ રમાઈ શકી અને આગામી બે દિવસ પણ આવી જ સ્થિતિ રહેવાની શક્યતા છે, જે ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર નથી.

દિવસ માત્ર 35 ઓવરમાં દિવસ પૂરો થયો

કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં શુક્રવારથી મેચ શરૂ થઈ, પરંતુ બે-ત્રણ દિવસ પહેલા જેની આશંકા હતી તે જ થયું. મેચની શરૂઆતથી જ ખરાબ હવામાન અને ભીના મેદાનને કારણે મેચની શરૂઆત એક કલાક મોડી થઈ. ત્યારપછી જ્યારે પ્રથમ સત્ર રમાયું ત્યારે ફરી વરસાદ પડ્યો, જેના કારણે લંચ પછીની રમત પણ 15 મિનિટ મોડી શરૂ થઈ. બીજા સેશનમાં પણ માત્ર 9 ઓવર જ નાખવામાં આવી હતી, જ્યારે ખરાબ પ્રકાશને કારણે રમત અટકાવવામાં આવી અને પછી ભારે વરસાદને કારણે દિવસની રમત સમાપ્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. એકંદરે, પ્રથમ દિવસે માત્ર 35 ઓવર રમાઈ, જેમાં બાંગ્લાદેશે પ્રથમ બેટિંગ કરતા 3 વિકેટ ગુમાવીને 107 રન બનાવ્યા.

ભારતમાં સૌથી પહેલા સૂર્યાસ્ત ક્યાં થાય છે?
નવરાત્રીમાં રાસ-ગરબાની રમઝટ બોલાવો રાજેશ આહિરના ગીત સાથે
અહીં મળે છે સસ્તો દારૂ, જાણો શા માટે દરેક રાજ્યમાં દારૂની કિંમત અલગ-અલગ હોય?
તૂટેલા દિલ સિવાય દરેક તૂટેલી વસ્તુને ચીપકાવનાર Fevikwik કેમ તેની બોટલમાં નથી ચીપકતી
Increase Platelets Count : ક્યું જ્યુસ પીવાથી પ્લેટલેટ્સ કાઉન્ટ્સ વધે છે?
આજનું રાશિફળ તારીખ : 27-09-2024

આગામી બે દિવસ ભારે વરસાદની આશંકા

હવે આ ટેસ્ટમાં 4 દિવસની રમત બાકી છે, જેમાં પરિણામ હજુ પણ આવી શકે છે, પરંતુ આ 4 દિવસમાં જ ખેલ થઈ શકે છે. વાસ્તવમાં કાનપુરમાં આગામી બે દિવસ સુધી ભારે વરસાદની આશંકા છે. એક્યુવેધરની આગાહી અનુસાર, શુક્રવાર-શનિવારની મધ્યરાત્રિએ કાનપુરમાં ભારે વરસાદ પડશે. શનિવારે સવારે 9 થી 10 વાગ્યા સુધી પણ ભારે વરસાદની આગાહી છે. એકંદરે, શનિવારે 80 ટકા વરસાદ થવાની સંભાવના છે, અને તે પછી પણ કદાચ વરસાદથી રાહત નહીં મળે.

ટીમ ઈન્ડિયાને થશે નુકસાન

રવિવાર, 29 સપ્ટેમ્બર એટલે કે ટેસ્ટ મેચના ત્રીજા દિવસે વરસાદની સ્થિતિ યથાવત રહેશે. તે દિવસે પણ મેચ શરૂ થવાના સમયે વરસાદની સંભાવના છે. આવી સ્થિતિમાં, તે નિશ્ચિત છે કે વરસાદ અને ખરાબ હવામાનને કારણે આ મેચનો ઘણો સમય બગડશે, જેના કારણે પરિણામ આવવાની શક્યતા ઓછી રહેશે. જ્યારે બાંગ્લાદેશને આનો ફાયદો થશે, કારણ કે તે ક્લીન સ્વીપથી બચી શકે છે, પરંતુ ટીમ ઈન્ડિયાને પરિણામ ભોગવવું પડી શકે છે.

WTC પોઈન્ટ પર અસર થશે

વાસ્તવમાં સવાલ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચવાનો છે. હાલમાં ટીમ ઈન્ડિયા આ રેસમાં નંબર-1 પર છે, ટીમની પોઈન્ટ ટકાવારી 71.67 છે, પરંતુ જો આ મેચ વરસાદને કારણે ડ્રો થાય છે તો બંને ટીમોને 4-4 પોઈન્ટ મળશે. આવી સ્થિતિમાં ટીમના પોઈન્ટ ઘટીને 68.18 ટકા થઈ જશે. આની અસર અંતિમ રેસ પર પડી શકે છે. ટીમ ઈન્ડિયાને સતત ત્રીજી વખત WTC ફાઈનલમાં પહોંચવા માટે બાકીની કુલ મેચોમાંથી ઓછામાં ઓછી 50 ટકા મેચ જીતવી જરૂરી છે.

આગામી સિરીઝ ન્યુઝીલેન્ડ-ઓસ્ટ્રેલિયા સામે

આ સિરીઝ બાદ ભારતે ન્યુઝીલેન્ડ સામે 3 ટેસ્ટ મેચ રમાવાની છે, જેમાં ટીમ ઈન્ડિયા ક્લીન સ્વીપ કરે તેવી આશા છે. આ પછી ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર 5 ટેસ્ટ રમવાની છે અને ત્યાં કેટલી મેચો જીતવામાં સફળ રહેશે તે નક્કી નથી. આથી ટીમ ઈન્ડિયા માટે સારું રહેશે કે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા ઘરઆંગણે તમામ 5 ટેસ્ટ જીતી લે, પરંતુ કાનપુરમાં વરસાદ મજા બગાડી શકે છે.

આ પણ વાંચો: IND vs BAN: બાંગ્લાદેશી સુપરફેન ‘ટાઈગર રોબી’ સાથે મારપીટ વચ્ચે મોહમ્મદ સિરાજનું નામ ક્યાંથી આવ્યું?

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">