સેમીફાઈનલ પહેલા ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ માટે આવ્યા ખરાબ સમાચાર
ટીમ ઈન્ડિયા ગુરુવારે T20 વર્લ્ડ કપ 2024ની સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે ટકરાશે. આ મેચ ગયાનામાં રમાશે. જો કે આ નોક આઉટ મેચ પહેલા જ સૂર્યકુમાર યાદવ માટે ખરાબ સમાચાર આવ્યા છે. તે હવે ICC T20 રેન્કિંગમાં નંબર 1 બેટ્સમેન નથી.
T20 વર્લ્ડ કપ 2024ની સેમીફાઈનલ મેચ પહેલા જ ભારતીય બેટ્સમેન સૂર્યકુમાર યાદવને એક ખરાબ સમાચાર મળ્યા છે. સૂર્યકુમાર યાદવ હવે વિશ્વના નંબર 1 T20 બેટ્સમેન નથી રહ્યો. ટ્રેવિસ હેડે સૂર્યકુમારનું સ્થાન લઈ લીધું છે. આ ઓસ્ટ્રેલિયન બેટ્સમેન બુધવારે જાહેર કરવામાં આવેલી રેન્કિંગમાં ટોચ પર પહોંચી ગયો છે, જ્યારે ભારતીય બેટ્સમેનને એક સ્થાનનું નુકસાન થયું છે.
ICC T20 રેન્કિંગમાં મોટો ફેરફાર
ટ્રેવિસ હેડ 844 રેટિંગ પોઈન્ટ સાથે ICC T20 બેટ્સમેન રેન્કિંગમાં પ્રથમ સ્થાને પહોંચી ગયો છે. તેણે 4 પોઝિશન જમ્પ કરી નંબર 1 રેન્કિંગ પર પહોંચ્યો છે. ટ્રેવિસ હેડે ભારત સામે 76 રનની ઈનિંગ રમી હતી અને તેણે આ ટૂર્નામેન્ટમાં 255 રન બનાવ્યા હતા. આ જ કારણ છે કે તે T20 રેન્કિંગમાં ટોપ પર પહોંચી ગયો છે. જો કે આ ટૂર્નામેન્ટમાં સૂર્યકુમાર યાદવે પણ સતત બે અડધી સદી ફટકારી હતી, પરંતુ ઓસ્ટ્રેલિયા સામે તે 31 રન બનાવી શક્યો હતો અને બાંગ્લાદેશ સામે પણ તેણે તેના બેટથી માત્ર 6 રન બનાવ્યા હતા. આ કારણે તેણે પોતાનું નંબર 1 રેન્કિંગ ગુમાવ્યું.
Travis Head dethrones Suryakumar Yadav as the No.1 T20I batter pic.twitter.com/s9NeBB153k
— Sport360° (@Sport360) June 26, 2024
Travis head achieves no.1 ranking in latest icc t20i rankings pic.twitter.com/4jTgxVc5oE
— ✨ (@_Morningstar27) June 26, 2024
સૂર્યકુમાર યાદવ ફરી નંબર 1 બની શકે છે
જો કે, સૂર્યકુમાર યાદવ પાસે ફરીથી નંબર 1 T20 બેટ્સમેન બનવાની તક છે. સૂર્યકુમારને T20 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં રમવાનું છે અને જો ટીમ જીતશે તો તેને ફાઈનલ રમવાની પણ તક મળશે. જો સૂર્યા બંને મેચમાં મોટી ઈનિંગ રમશે તો તે ચોક્કસપણે ટોચ પર પહોંચી જશે. સારી વાત એ છે કે ઈંગ્લેન્ડ સામે સતત સફળ રહ્યો છે. આ ખેલાડીએ ઈંગ્લેન્ડ સામે 45થી વધુની એવરેજથી 274 રન બનાવ્યા છે, જેમાં એક સદી પણ સામેલ છે. સૂર્યાનો સ્ટ્રાઈક રેટ પણ 190થી વધુ છે. તે સ્પષ્ટ છે કે ટ્રેવિસ હેડની નંબર 1 બનવાની ખુશી લાંબો સમય ટકી શકશે નહીં.
આ પણ વાંચો: IND vs ENG : સેમીફાઈનલ મુકાબલા પહેલા રોહિત શર્મા-કુલદીપ યાદવના નિવેદને વધાર્યો મેચનો પારો