Women’s health : ઓવ્યુલેશન થાય ત્યારે આ લક્ષણો દેખાય છે, જાણો ડૉક્ટર પાસેથી
ઓવુલેશન પીરિયડ મહિલાઓના પ્રજનન સ્વાસ્થ્ય માટે ખુબ જરુરી છે. આ દરમિયાન શરીરમાં અનેક હોર્મોનલ બદલાવ ઝડપી થાય છે. જેને મેનેજ કરવા માટે ચાલો શું કરવું જોઈએ.

ઓવુલેશન (Ovulation)નો અર્થ છે જ્યારે મહિલાના અંડાશયમાંથી ઈંડું બહાર આવે છે. આ મહિલાના માસિક ચક્રનો એક મહત્વપૂર્ણ ભાગ છે. જ્યારે આ થાય છે ત્યારે મહિલાને ગર્ભધારણ કરવાની સૌથી વધારે સંભાવના હોય છે.

સ્ત્રીઓમાં ઓવ્યુલેશન એક કુદરતી પ્રક્રિયા છે, જે દરેક માસિક ચક્રની મધ્યમાં થાય છે.ઓવુલેશન દરમિયાન મહિલાઓના અંડાશયમાંથી એક પરિપક્વ અંડાણું બહાર આવે છે. આ સમય મહિલાઓના પ્રજનન સ્વાસ્થ માટે ખુબ જરુરી હોય છે. આ દરમિયાન તેમના શરીરમાં અનેક હોર્મોનલ ફેરફાર પણ ઝડપી થાય છે.

હોર્મોન્સમાં બદલાવને કારણે થાક લાગવો, મૂડ સ્વિંગ થવું, કંટાળો આવી શકે છે. આ દરમિયાન જો તમે શરીરને યોગ્ય દેખભાળ રાખો અને પોષણ આપો તો માત્ર ઓવુલેશનની પ્રકિયાને યોગ્ય બનાવી શકાય છે.સાથે સંપૂર્ણ સ્વાસ્થ્ય પણ રાખી શકાય છે.

તણાવ તમારા હોર્મોનલનું સંતુલન બગાડી શકે છે. જેનાથી ઓવ્યુલેશન પર નકારાતમક પ્રભાવ પડી શકે છે. એટલા માટે મેડિટેશન યોગ, પુરતી ઊંઘ તમારો તણાવ ઓછો કરવામાં મદદ કરી શકે છે. આખા દિવસમાં થોડો સમય તમારા માટે પણ કાઢવો અને મનને શાંત કરવા માટે આ પ્રવુતીઓ કરો.

વિટામીન ડી માત્ર તમારા હાડકાં મજબુત બનાવવામાં મદદ કરે છે પરંતુ પ્રજનન સ્વાસ્થ્ય માટે પણ ખુબ જરુરી છે.

આ હોર્મોનલ સંતુલન બનાવી રાખવામાં મદદ કરે છે. સુરજની રોશની વિટામિન ડીનો નેચરલ સ્ત્રોત છે. એટલા માટે ઓવ્યુલેશન પીરિયડ્સ માટે તમારે શરીરને તૈયાર અને હેલ્ધી બનાવવા માટે દરરોજ 15-20 મિનિટ સુધી તડકામાં રહેવું જોઈએ.

ઓવ્યુલેશન સમયે શરીરમાં હોર્મોનલમાં ફેરફારનું કારણ પાણીની જરુરિયાત વધી જાય છે. જેની પર્યાપ્ત માત્ર પાણી પીવાથી શરીરમાંથી ટૉક્સિક પદાર્થો બહાર નીકળવામાં મદદ મળે છે.

શરીરની એનર્જી પણ મળી રહે છે. માથાનો દુખાવો અને થાક જેવી સમસ્યામાંથી રાહત મળે છે. તમારે દિવસમાં ઓછામાં ઓછું 8 થી 10 ગ્લાસ પાણી પીવું જોઈએ.

દરરોજ રાત્રે 7 થી 8 કલાકની સારી ઊંઘ તમારા હોર્મોનલ સંતુલન જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ઊંઘનો અભાવ તણાવ વધારી શકે છે અને શરીરની ઉર્જા ઘટાડી શકે છે, જે ઓવ્યુલેશન પર નકારાત્મક અસર કરી શકે છે. તે

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

































































