AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Supreme Court: મૃત્યુ સજાની દયા અરજી પર ઝડપથી નિર્ણય થવો જોઈએ, સુપ્રીમ કોર્ટે આવું કેમ કહ્યું?

એક મહત્વપૂર્ણ ટિપ્પણીમાં, સુપ્રીમ કોર્ટે કહ્યું કે, મૃત્યુદંડના કેસોમાં, દયા અરજીમાં વધુ પડતા વિલંબથી સજાનો હેતુ પૂરો થતો નથી. રેણુકા શિંદેને 2001માં ટ્રાયલ કોર્ટે ફાંસીની સજા સંભળાવી હતી.

Supreme Court: મૃત્યુ સજાની દયા અરજી પર ઝડપથી નિર્ણય થવો જોઈએ, સુપ્રીમ કોર્ટે આવું કેમ કહ્યું?
દયા અરજી પર જલદી નિર્ણય થવો જોઈએ: સુપ્રીમ કોર્ટે Image Credit source: Google
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 15, 2023 | 3:04 PM
Share

સુપ્રીમ કોર્ટે રાજ્યો અને અન્ય સક્ષમ અધિકારીઓને મૃત્યુદંડના દોષિતોની દયા અરજી પર નિર્ણય લેવામાં વિલંબ ન કરવા જણાવ્યું છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે, આ વિલંબ સજાના હેતુને નિષ્ફળ કરી શકે છે. આ સાથે, દોષિતો લાંબા વિલંબનો ફાયદો ઉઠાવીને સજાને આજીવન કેદમાં પરિવર્તિત કરી શકે છે.

આ પણ વાચો: સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ, તમામ શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ વિદ્યાર્થિનીઓને આપે  ફ્રી સેનેટરી પેડ

રેણુકા શિંદે ઉર્ફે રેણુકા બાઈની ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવવા સંબંધિત કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણી કરી હતી. રેણુકા શિંદે 1990થી 1996 વચ્ચે 13 બાળકોનું અપહરણ કરવા અને તેમાંથી 9ની હત્યા કરવા બદલ દોષી ઠેરવવામાં આવી હતી. રેણુકા શિંદેને 2001માં ટ્રાયલ કોર્ટે ફાંસીની સજા સંભળાવી હતી.

હાઈકોર્ટે નિર્ણય બદલ્યો હતો

જો રેણુકા શિંદેને ફાંસી આપવામાં આવી હોત તો તે દેશની પહેલી એવી વ્યક્તિ હોત જેની ફાંસીની સજા પર અમલ થયો હોત, જો કે, જાન્યુઆરી 2022 માં, બોમ્બે હાઈકોર્ટે મૃત્યુદંડની સજાને આજીવન કેદમાં ફેરવી. કોર્ટે આ માટે સજામાં વિલંબને આધાર ગણાવ્યો હતો.

2008માં મહારાષ્ટ્રના રાજ્યપાલે રેણુકા શિંદેની દયાની અરજી ફગાવી દીધી હતી. આ પછી રાષ્ટ્રપતિ સમક્ષ બીજી દયાની અરજી દાખલ કરવામાં આવી હતી. આના પર પણ 2014માં નિર્ણય આવ્યો જે રેણુકાની વિરુદ્ધ રહ્યો. અરજીમાં વિલંબ હાઈકોર્ટમાં રેણુકાની તરફેણમાં ગયો અને ફાંસીની સજા આજીવન કેદમાં ફેરવાઈ ગઈ. તેની સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટે હસ્તક્ષેપ કર્યો નથી

હાઈકોર્ટના નિર્ણયમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કરતા, સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એમઆર શાહ અને જસ્ટિસ સીટી રવિકુમારની બેન્ચે રાજ્યોને દયાની અરજીઓ પર વહેલી તકે નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો હતો, જેથી આરોપીઓને વિલંબનો લાભ ન ​​મળે. ખંડપીઠે કહ્યું, આ કોર્ટના અંતિમ ચુકાદા પછી પણ, દયાની અરજીનો નિર્ણય ન કરવામાં અતિશય વિલંબથી ફાંસીની સજાનો હેતુ નિષ્ફળ થઈ જશે.

બેન્ચે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર અથવા સંબંધિત સત્તાવાળાઓ એ જોવાનો પ્રયાસ કરી શકે છે કે દયાની અરજીઓનો વહેલી તકે નિર્ણય કરવામાં આવે અને તેનો નિકાલ કરવામાં આવે, જેથી આરોપીઓને પણ તેમનો હક મળી શકે અને પીડિતોને પણ ન્યાય મળી શકે.

આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું
આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">