AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગોધરામાં સાબરમતી એક્સપ્રેસના S-6 ડબ્બાને આગ લગાડવાના કેસના દોષિતોની જામીન અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, જુઓ Video

સોલિસિટર જનરલ મહેતાએ કોર્ટમાં કહ્યું હતું કે, “આ કેસ દુર્લભ કેસોમાંનો એક છે. અમે ગુનેગારોને ફાંસીની સજા આપવાનો આગ્રહ રાખીશું. આ કેસમાં મહિલાઓ અને બાળકો સહિત 59 લોકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 10, 2023 | 10:24 AM
Share

ગુજરાતના પંચમહાલ જિલ્લામાં આવેલ ગોધરા રેલવે સ્ટેશને 2002ના વર્ષમાં ગોધરા ટ્રેન સળગાવવાના કેસમાં દોષિતોની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટ 10 એપ્રિલ, સોમવારે સુનાવણી કરશે. આ અરજી ગોધરા ટ્રેન કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા લોકો દ્વારા કરવામાં આવી છે. આ કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડ, જસ્ટિસ પી.એસ. નરસિમ્હા અને જસ્ટિસ જે. બી. પારડીવાલાની પીઠ કરશે.

સુપ્રીમ કોર્ટ જામીન અરજીઓ તેમજ દોષિતોની સજાને પડકારતી અરજીઓ પર સુનાવણી કરશે. અગાઉ 24 માર્ચે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે તે દોષિતોની જામીન અરજીના નિકાલ માટે આગામી તારીખે આ મામલાની સુનાવણી કરશે. આ મામલામાં ગુજરાત સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાની દલીલોની સુનાવણી દરમિયાન કોર્ટે આ વાત કહી હતી.

તુષાર મહેતાએ દલીલમાં શું કહ્યું

તુષાર મહેતાએ અરજીમાં એવી રજૂઆત કરી હતી કે તેમણે કેટલાક દોષિતોના સંબંધમાં કેટલીક હકીકતલક્ષી વિગતોની ચકાસણી કરવી પડશે. સુપ્રીમ કોર્ટે એક દોષિતને આપવામાં આવેલી જામીન એ આધાર પર લંબાવી હતી કે તેની પત્ની કેન્સરથી પીડિત હતી. તુષાર મહેતાએ તબીબી આધાર પર જામીન લંબાવવાનું સમર્થન કર્યું હતું.

દોષિતોને ફાંસીની સજા આપવા કરાશે રજૂઆત

અગાઉ 17 માર્ચે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે તે 24 માર્ચે ગુજરાત સરકારની અપીલ અને આ કેસમાં અનેક આરોપીઓની જામીન અરજી પર સુનાવણી કરશે. ગુજરાત સરકાર તે દોષિતોને ફાંસીની સજા આપવા માટે દબાણ કરશે, જેમની સજા હાઈકોર્ટ દ્વારા આજીવન કેદમાં પરિવર્તિત કરવામાં આવી છે.

59 લોકો માર્યા ગયા હતા

સોલિસિટર જનરલ મહેતાએ કોર્ટમાં કહ્યું હતું કે, “આ કેસ દુર્લભ કેસોમાંનો એક છે. અમે ગુનેગારોને ફાંસીની સજા આપવાનો આગ્રહ રાખીશું. આ કેસમાં મહિલાઓ અને બાળકો સહિત 59 લોકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા.

તેણે કોર્ટને કહ્યું કે આ મામલામાં બધાને ખબર હતી કે ટ્રેનની બોગીને બહારથી લોક કરીને આગ લગાડવામાં આવી હતી. આ કેસમાં નીચલી અદાલતે 11 દોષિતોને ફાંસીની સજા સંભળાવી હતી અને અન્ય 20ને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી હતી. મહેતાએ કહ્યું કે હાઈકોર્ટે આ કેસમાં 31 લોકોને દોષિત ઠેરવ્યા અને 11 દોષિતોની ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી દીધી. ઉલ્લેખનીય છે કે, 27 ફેબ્રુઆરી 2002ના રોજ ગુજરાતના ગોધરામાં ટ્રેનમાં આગ લાગવાની ઘટનામાં 59 લોકોના મોત થયા હતા.

દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર 

દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">