કેદીઓને જામીન પર છુટવામાં થતા વિલંબને ટાળવા સુપ્રિમ કોર્ટ શોધ્યો રસ્તો, હવે જામીન અંગેનો આદેશ સીધો જ જેલ સત્તાવાળાને પહોચાડવા સિસ્ટમ વિકસાવાશે

દોષિતોને જામીન મળ્યા પછી જેલમુક્તિમાં થઈ રહેલા વિલંબ અંગે સુપ્રિમકોર્ટે (supreme court) સુઓમોટો રીટ દાખલ કરી હતી. જેના પર આજે 17 જુલાઈના રોજ હાથ ધરાયેલી સુનાવણીમાં, સુપ્રિમ કોર્ટે કહ્યુ છે કે, જામીન અંગેના આદેશ સીધા જ જેલ સત્તાવાળાઓ સુધી પહોચાડવા માટે સિસ્ટમ વિકાસવાશે. જેનાથી કેદીઓને જામીન પર મુક્ત થવામા વિલંબ ના થાય.

કેદીઓને જામીન પર છુટવામાં થતા વિલંબને ટાળવા સુપ્રિમ કોર્ટ શોધ્યો રસ્તો, હવે જામીન અંગેનો આદેશ સીધો જ જેલ સત્તાવાળાને પહોચાડવા સિસ્ટમ વિકસાવાશે
સુપ્રીમ કોર્ટ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 16, 2021 | 6:11 PM

સુપ્રિમ કોર્ટના ( supreme court ) મુખ્ય ન્યાયમૂર્તિ એન વી રમણાએ, શુક્રવારે કહ્યુ હતુ કે, જામીન અંગેના આદેશ સીધા જેલ સત્તાવાળા સુધી પહોચે તે માટે સિસ્ટમ વિકસીત કરવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે. જેના કારણે જામીન અંગેના આદેશની પ્રમાણિત નકલની રાહ જોવામાં કેદીઓને મુક્ત કરવામાં વિલંબ ના થાય. જામીન અંગેના આદેશ સુરક્ષિત ડિજિટલ ટ્રાન્સમિશન માટે સિસ્ટમ રજૂ કરવા સુપ્રિમ કોર્ટે કહ્યું છે.

સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ ( CJI ) એન વી રમણાએ, કહ્યુ કે, આપણે ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ કરાઈ રહ્યો હોય તેવા સમયમાં છીએ. અમે એએસટીઆઆર- આસ્ક એન્ડ સિક્યોર ટ્રાન્સમિશન ઓફ ઈલેક્ટ્રોનિક રેકોર્ડ નામની યોજના પર વિચાર કરી રહ્યા છીએ. જેનો હેતુ સંબધિત જેલ સત્તાવાળાઓને કોઈ પણ વિલંબ વિના જ જામીન અંગેના આદેશ પહોચાડવાનો છે.

મુખ્ય ન્યાયાધીશ એન.વી. રમણાની અધ્યક્ષતાવાળી ખંડપીઠે સર્વોચ્ચ અદાલતના મહાસચિવને આ યોજના અંગેની દરખાસ્ત રજૂ કરવા નિર્દેશ કર્યો છે. જેનું પાલન થઈ શકે છે અને એમ પણ કહ્યું હતું કે એક મહિનામાં તેનો અમલ થઈ શકે. કોર્ટે તમામ રાજ્યોને દેશભરની જેલોમાં ઇન્ટરનેટ કનેક્શનની ઉપલબ્ધતા અંગે જવાબ રજૂ કરવા પણ જણાવ્યું છે. કારણ કે આ ઇન્ટરનેટ કનેક્શનની સુવિધા વિના જેલને આવા આદેશો મોકલી શકાતા નથી. આ સાથે અદાલતે વરિષ્ઠ વકીલ દુષ્યંત દવેને આ પ્રકારની સુવિધાના અમલીકરણમાં જરૂરી સહાય માટે એમેકસ ક્યુરી તરીકે નિમણૂક કરી છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

તાજેતરમાં જ, 13 જુલાઇએ સુપ્રીમ કોર્ટે જામીન પર દોષિતોને મુક્ત કરવામાં વિલંબ અંગે સુઓમોટો રીટ દાખલ કરી હતી. સુપ્રીમ કોર્ટે આગ્રા સેન્ટ્રલ જેલમાં બંધ 13 કેદીઓને તાત્કાલિક વચગાળાના જામીન આપી દીધા હતા. આઠમી જુલાઈના રોજ આ આદેશ અપાયો હતો પરંતુ કેદીઓ જામીન ઉપર જેલની બહાર આવી શક્યા નહોતા. કારણ કે જેલ સત્તાવાળાઓ કહી રહ્યા છે કે તેમને પોસ્ટ દ્વારા આદેશની પ્રમાણિત નકલ મળી નથી. ગુનો કર્યા સમયે, કેદીઓ કિશોર હોવા છતાં, આરોપીઓએ 14 થી 20 વર્ષ જેલમાં પસાર કર્યા હતા.

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">