રાજનીતિમાં છે પરિવારની ત્રણ પેઢી, જાણો પવારના ‘પાવરફુલ’ પરિવાર વિશે

મહારાષ્ટ્રના DyCM અને NCPના વડા અજિત પવારનું નિધન થયું છે. ન્યુઝ એજન્સી પીટીઆઈએ આ જાણકારી આપી છે.શરદ પવારના પરિવારના મોટાભાગના સભ્યો એક યા બીજી રીતે રાજકારણ સાથે જોડાયેલા છે.

રાજનીતિમાં છે પરિવારની ત્રણ પેઢી, જાણો પવારના પાવરફુલ પરિવાર વિશે
| Updated on: Jan 28, 2026 | 10:24 AM

Sharad Pawar Family Tree : શરદ પવારે વર્ષ 1960માં રાજકારણમાં પ્રવેશ કર્યો હતો અને ત્યારથી છ દાયકા સુધી મહારાષ્ટ્રના રાજકારણનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે. જુલાઈ 1978માં મહારાષ્ટ્રના સૌથી યુવા મુખ્યમંત્રી બનવાનો શ્રેય શરદ પવારને મળ્યો હતો. તે પછી તેઓ વર્ષ 1986માં કોંગ્રેસમાં પાછા ફર્યા અને 1988માં બીજી વખત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા. ત્યારબાદ વર્ષ 1993માં ત્રીજી વખત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા હતા. 1996 થી પવારે રાજકારણ કરવાનું શરૂ કર્યું.

વર્ષ 1999માં શરદ પવારે સોનિયા ગાંધીના વિદેશી મૂળનો મુદ્દો ઉઠાવ્યો હતો અને કોંગ્રેસ સાથે તેમનો વિવાદ થયો હતો. આ પછી, તેમણે કોંગ્રેસથી અલગ થઈને 10 જૂન 1999ના રોજ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ની રચના કરી. આ પછી રાજકારણમાં પણ તેમના પરિવારનું વર્ચસ્વ વધવા લાગ્યું. ધીમે ધીમે પવાર પરિવારના સભ્યો રાજકારણમાં વધુ સક્રિય થવા લાગ્યા.

શરદ પવારે પદ છોડવાની વાત કરી હતી, તાજેતરમાં 2 મે, 2023ના રોજ શરદ પવારે NCP અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. આ પછી, ઉત્તરાધિકારી માટે પાર્ટીમાં ગભરાટ ફેલાયો હતો કે NCPના આગામી અધ્યક્ષ કોણ હશે? આ પછી 5 મેના રોજ તેમણે પદ છોડવાની વાત પાછી ખેંચી લીધી હતી. શરદ પવારના પરિવારમાં કેટલા લોકો એવા છે જે રાજકારણમાં જોડાયેલા છે અને સક્રિય ભૂમિકામાં છે.

 

ગોવિંદ રાવ પવાર

તમે કહી શકો કે રાજકારણ શરદ પવારના લોહીમાં હતું કારણ કે તેમના પિતા ગોવિંદ રાવ પવાર પાસે કોઠાસૂઝ અને નેતૃત્વ કુશળતા હતી. તેમણે જ સમગ્ર બારામતીના શેરડી ઉત્પાદકોને એક કર્યા અને સહકારી મંડળીની રચના કરી. તે એક મોટી સફળતા હતી અને પછી સહકારી પ્રવૃત્તિ બારામતીની આસપાસના અન્ય જિલ્લાઓમાં ફેલાવા લાગી. તેમાંથી ક્રેડીટ સોસાયટીઓ અને સુગર કોઓપરેટિવ ફેક્ટરીઓ શરૂ કરવામાં આવી હતી. જેમાં ગોવિંદ રાવ પવારની મુખ્ય ભૂમિકા હતી. જિલ્લામાં તેમનું નામ હતું છતાં તેમણે ક્યારેય ખુલ્લેઆમ રાજકારણ કર્યું નથી.

દિનકરરાવ ગોવિંદરાવ પવાર ઉર્ફે અપ્પા સાહેબ પવાર

શરદ પવારના મોટા ભાઈ અપ્પા સાહેબ પવાર હતા. તેઓ પવાર પરિવારના પ્રથમ સભ્ય હતા જેમણે ખુલ્લેઆમ રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તેઓ મહારાષ્ટ્રમાં ખેડૂતો અને મજૂરોના હિત માટે લડતા એક મોટા નેતા તરીકે ઓળખાતા હતા. એવું કહેવાય છે કે અપ્પા સાહેબે જ તેમના ત્રીજા ભાઈ શરદ પવારનો રાજકારણમાં પરિચય કરાવ્યો અને તેમને કોંગ્રેસમાં જોડાવા માટે સમજાવ્યા.

અજિત પવાર

શરદ પવારના ભત્રીજા અજિત પવાર 1982થી રાજકારણમાં સક્રિય છે. એક સહકારી ખાંડ ફેક્ટરીના બોર્ડના ચેરમેન તરીકે ચૂંટાઈને તેમણે રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. એક સમયે, અજિત પવાર એનસીપીમાં બીજા સૌથી મજબૂત નેતા પણ માનવામાં આવતા હતા. ઘણા અહેવાલો અનુસાર, શરદ પવાર દરેક મુદ્દા પર અજિત પવાર સાથે વાત કર્યા પછી જ કોઈ નિર્ણય લેતા હતા.

અજિત પવાર વર્ષ 1991માં લોકસભાના સાંસદ પણ બન્યા હતા. આ પછી તેમણે કાકા શરદ પવારની ખાતર પોતાની લોકસભા સીટ છોડી દીધી અને પછી 1991માં બારામતી સીટથી વિધાનસભા પહોંચ્યા. ત્યારબાદ અજિત પવાર 1995, 1999, 2004, 2009, 2014 અને 2019માં આ જ મતદારક્ષેત્રમાંથી ફરીથી ચૂંટાયા હતા. આ દરમિયાન તેઓ ઘણી વખત મંત્રી બન્યા, નાયબ મુખ્યમંત્રી અને મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે પણ ચૂંટાયા.

સુપ્રિયા સુલે

વર્ષ 2006 માં, શરદ પવારની એકમાત્ર પુત્રી સુપ્રિયા સુલેએ પ્રથમ વખત રાજ્યસભાના સભ્ય તરીકે રાજકીય પ્રવેશ કર્યો. આ પછી તે 2009માં બારામતીથી સાંસદ બની હતી. ત્યારબાદ 2014 અને 2019માં તે આ લોકસભા સીટ જીતીને સંસદમાં પહોંચી હતી. રાજકારણી હોવા ઉપરાંત, તે પવાર પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ અને NAB વિમેન્સ કાઉન્સિલ, નેહરુ સેન્ટર (મુંબઈ), YB ચવ્હાણ સેન્ટર (મુંબઈ) અને ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ જેવી અનેક સામાજિક સંસ્થાઓની સભ્ય પણ છે. .

પાર્થ પવાર

અજિત પવારના મોટા પુત્ર છે પાર્થ. પાર્થ પવારે તેમના દાદા શરદ પવારની બેઠક પરથી 2019માં સામાન્ય ચૂંટણી લડી હતી અને શરદ પવારની બેઠક હારી ગયા હતા. પવાર પરિવારમાંથી ચૂંટણી હારનાર પાર્થ પ્રથમ સભ્ય હતા.

રોહિત પવાર

રોહિત પવાર શરદ પવારના મોટા ભાઈ અપ્પા સાહેબના પૌત્ર છે. 2017માં, રોહિતે પવાર પરિવારના વતન બારામતીથી જિલ્લા પરિષદની ચૂંટણી જીતી હતી. ત્યારથી રોહિત પવાર ચૂપચાપ રાજ્યમાં પોતાનું મેદાન બનાવી રહ્યા છે. તે જ સમયે, પાર્ટીના ઘણા કાર્યકરો તેમને શરદ પવાર પછીના જનનેતા તરીકે જુએ છે. અહેવાલો અનુસાર, રોહિત પવાર, પાર્થ પવારથી વિપરીત, લોકો અને કાર્યકરો વચ્ચે ખૂબ જ આત્મવિશ્વાસ સાથે જાહેરમાં હાજરી આપે છે.

શરદ પવારનું ફેમેલિ ટ્રી સમજો ?

ગોવિંદ રાવ પવાર અને શારદા પવારને ચાર પુત્રો અને એક પુત્રી હતી. તે ચાર પુત્રોમાં સૌથી મોટા અપ્પાસાહેબ, બીજા અનંતરાવ, ત્રીજા શરદ પવાર અને સૌથી નાના પ્રતાપ હતા. તેઓને સરોજ પટેલ નામની પુત્રી પણ છે, જે ગૃહિણી છે.

સૌથી મોટા અપ્પાસાહેબનું નિધન થયું છે. તેમના બે પુત્રો રાજેન્દ્ર અને રણજીત. રાજેન્દ્ર પવાર બિઝનેસમેન છે. જ્યારે રણજીત એક વાઈન ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલો છે. રાજેન્દ્રના પુત્રનું નામ રોહિત પવાર છે.

અનંતરાવ પવાર (સ્વ.)ને બે પુત્રો (શ્રીનિવાસ અને અજીત) અને એક પુત્રી (વિજયા પાટીલ) છે. મોટો પુત્ર શ્રીનિવાસ ખેતી અને ઓટોમોબાઈલનો વ્યવસાય કરે છે. જ્યારે અજિત પવાર મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ રહી ચૂક્યા છે અને એનસીપીના સૌથી મજબૂત નેતા માનવામાં આવે છે. જ્યારે અનંતરાવની પુત્રી વિજયા પાટીલ મીડિયામાં કામ કરે છે. અજિત પવારને બે પુત્રો જય અને પાર્થ છે.

શરદ પવાર ત્રીજા નંબરે આવે છે. શરદ પવારને સુપ્રિયા સુલે નામની પુત્રી છે. સુપ્રિયા સુલે લોકસભામાં સાંસદ છે અને તેમના પતિ સદાનંદ સુલે એક બિઝનેસમેન છે.

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો 

Published On - 9:20 am, Sun, 11 June 23

Follow Us
Loading...
Unable to load recommendations.