AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sharad Pawar met CM Eknath Shinde: શરદ પવાર CM એકનાથ શિંદેને તેમના નિવાસસ્થાન વર્ષા પર મળ્યા, રાજકારણ ગરમાયું

JAB Sharad Pawar MET CM Eknath Shinde: ગુરુવારે (1 જૂન) સાંજે, NCP વડા શરદ પવાર મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેના 'વર્ષા' નિવાસસ્થાને પહોંચ્યા હતા. ઉદ્ધવ ઠાકરે વિદેશ પ્રવાસ પર છે ત્યારે આ મુલાકાત થઈ છે.

Sharad Pawar met CM Eknath Shinde: શરદ પવાર CM એકનાથ શિંદેને તેમના નિવાસસ્થાન વર્ષા પર મળ્યા, રાજકારણ ગરમાયું
Sharad Pawar met CM Eknath Shinde
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 09, 2023 | 11:38 AM
Share

ICPના વડા શરદ પવાર ગુરુવારે (1 જૂન) સાંજે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને મળવા પહોંચ્યા હતા. આ બેઠક સીએમ શિંદેના સત્તાવાર નિવાસસ્થાન ‘વર્ષા’ બંગલામાં થઈ હતી. 30 થી 35 મિનિટ સુધી ચર્ચા કર્યા બાદ તેઓ પોણા આઠ વાગ્યે સીએમ આવાસની બહાર આવ્યા હતા. ગુરુવારે સવારે તેમણે મુખ્યમંત્રી સાથે મુલાકાતનો સમય માંગ્યો હતો. આ પછી સાંજે બંને વચ્ચે મુલાકાત થઈ હતી. આ બેઠકનું કારણ હાલ સ્પષ્ટ નથી. પરંતુ આ મુલાકાત ત્યારે થઈ છે જ્યારે ઉદ્ધવ ઠાકરે વિદેશ પ્રવાસ પર છે.

જ્યારે શરદ પવાર સીએમ એકનાથ શિંદેને મળવા આવ્યા ત્યારે તેમના હાથમાં કેટલાક કાગળો હતા. જણાવી દઈએ કે એકનાથ શિંદેના મુખ્યમંત્રી બન્યા બાદ પહેલીવાર તેમને તેમના નિવાસ્થાને મળવા ગયા હતા. બેઠક બાદ અમારી સહયોગી ન્યૂઝ ચેનલ TV9 મરાઠી સાથે વાત કરતા સીએમ એકનાથ શિંદેએ કહ્યું કે આ એક સદ્ભાવના સંકેત છે. શરદ પવાર મરાઠા મંદિર સંસ્થાના અમૃત મહોત્સવ કાર્યક્રમ માટે આમંત્રિત કરવા માટે મુખ્યમંત્રી આવાસ પર પહોંચ્યા હતા. આ કાર્યક્રમ 24 જૂને થવાનો છે.

આ સદ્ભાવનાની મુલાકાત હતી, રાજકીય બેઠક નહીં – સીએમ એકનાથ શિંદે

મુખ્યમંત્રીએ કહ્યું કે પવાર મુખ્યત્વે મરાઠા મંદિરના કાર્યક્રમ માટે આમંત્રણ આપવા આવ્યા હતા. સાથે જ કહ્યું કે કેટલાક વધુ મુદ્દાઓ પર પણ વાત થઈ હતી. શાળાઓને લગતો મુદ્દો હતો, કલાકારોને લગતો મુદ્દો પણ ચર્ચાયો હતો, પરંતુ તેણે કોઈ રાજકીય ચર્ચા કરવાનો ઇનકાર કર્યો હતો.

ઉદ્ધવ ઠાકરે દેશની બહાર, શરદ પવાર અંદર સીએમ શિંદે સાથે શું કરતા હતા?

ઉદ્ધવ ઠાકરે હાલ દેશની બહાર હોવાથી શરદ પવાર અને સીએમ શિંદેની મુલાકાતને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ઉદ્ધવ ઠાકરેના કાર્યકાળ દરમિયાન શરદ પવાર ક્યારેય એકનાથ શિંદેને મળવા માટે મુખ્યમંત્રી આવાસ પર આવ્યા નથી. સીએમ શિંદે વતી, તેમની પાર્ટીના નેતા અને મંત્રી ઉદય સામંત ચોક્કસપણે રત્નાગિરીના રિફાઈનરી પ્રોજેક્ટને લઈને શરદ પવારને મળવા સિલ્વર ઓક પહોંચ્યા હતા. શરદ પવારે પણ રિફાઈનરી પ્રોજેક્ટને લઈને શિંદે સરકારને પોતાનું સમર્થન આપ્યું હતું. તેમણે એટલું જ કહ્યું કે સ્થાનિક લોકોના હિતોનું ધ્યાન રાખવું જોઈએ. મહાવિકાસ આઘાડી સરકારમાં તેમની સાથી ઉદ્ધવ ઠાકરેની શિવસેના જોકે રિફાઈનરી પ્રોજેક્ટનો વિરોધ કરી રહી છે.

નવા ગઠબંધન કે સમીકરણનો અંદાજ લગાવવાની જરૂર નથી- ભાજપ

જ્યારે અજિત પવાર એનસીપીના એક જૂથ સાથે ભાજપમાં જોડાયા હોવાની ચર્ચા હતી, ત્યારે એવી પણ ચર્ચા હતી કે શરદ પવારના સમર્થકોનો સીએમ એકનાથ શિંદેની શિવસેના સાથે સંપર્ક વધારી રહ્યા છે. પરંતુ આ તમામ બાબતો પર પૂર્ણવિરામ મુકતા ભાજપના વરિષ્ઠ નેતા અને મંત્રી સુધીર મુનગંટીવારે કહ્યું છે કે કોઈપણ વ્યક્તિ મુખ્યમંત્રીને મળવા આવી શકે છે. તેમના સામાજિક-રાજકીય કાર્યને કારણે થયેલી બેઠકમાં આશ્ચર્યજનક કંઈ નથી. આના પર કોઈ નવા જોડાણ કે નવા સમીકરણની અપેક્ષા રાખવાની જરૂર નથી.

DJ પ્રતિબંધ સામે હવે ભુવાએ ધુણતા ધુણતા ગેનીબેનને ફેંક્યો પડકાર- Video
DJ પ્રતિબંધ સામે હવે ભુવાએ ધુણતા ધુણતા ગેનીબેનને ફેંક્યો પડકાર- Video
ગુજરાતમાં પ્રદુષિત થઈ રહ્યાં છે ભૂગર્ભજળ-રાજ્યપાલે વ્યક્ત કરી ચિંતા
ગુજરાતમાં પ્રદુષિત થઈ રહ્યાં છે ભૂગર્ભજળ-રાજ્યપાલે વ્યક્ત કરી ચિંતા
SMCએ એક વર્ષમાં ₹63 કરોડનો દારૂ પકડ્યો, હોટસ્પોટ કચ્છ અને સુરેન્દ્રનગર
SMCએ એક વર્ષમાં ₹63 કરોડનો દારૂ પકડ્યો, હોટસ્પોટ કચ્છ અને સુરેન્દ્રનગર
શ્વાનની ગણતરીને લઇને સરકારનો પરિપત્ર જાહેર
શ્વાનની ગણતરીને લઇને સરકારનો પરિપત્ર જાહેર
પોલીસ પર જીવલેણ હુમલો કરનાર 41 શખ્સો વિરૂદ્ધ ગુનો દાખલ
પોલીસ પર જીવલેણ હુમલો કરનાર 41 શખ્સો વિરૂદ્ધ ગુનો દાખલ
મેસેજિંગ એપ્સ માટે સિમ ફરજિયાત, 1 માર્ચથી લાગુ થશે નવો નિયમ
મેસેજિંગ એપ્સ માટે સિમ ફરજિયાત, 1 માર્ચથી લાગુ થશે નવો નિયમ
વ્યવસાયિક પ્રયત્નો અને દાન કરવાથી અણધાર્યો લાભ થશે
વ્યવસાયિક પ્રયત્નો અને દાન કરવાથી અણધાર્યો લાભ થશે
MP મનસુખ વસાવાએ MLA ચૈતર વસાવા માટે કર્યો અશિષ્ટ ભાષાનો ઉપયોગ - Video
MP મનસુખ વસાવાએ MLA ચૈતર વસાવા માટે કર્યો અશિષ્ટ ભાષાનો ઉપયોગ - Video
ધર્મની દીવાલ ધરાશાયી! સુરતમાં પ્રેમે લખ્યો નવો ઈતિહાસ, જુઓ Video
ધર્મની દીવાલ ધરાશાયી! સુરતમાં પ્રેમે લખ્યો નવો ઈતિહાસ, જુઓ Video
ભવન પોલીસ સ્ટેશનમાં હાજરી બાદ કીર્તિ પટેલ થઈ મુક્ત
ભવન પોલીસ સ્ટેશનમાં હાજરી બાદ કીર્તિ પટેલ થઈ મુક્ત
g clip-path="url(#clip0_868_265)">