AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Azadi Ka Amrit Mahotsav : રામ પ્રસાદ બિસ્મિલે કાકોરી કાંડની યોજના ઘડી હતી, તેનો એકમાત્ર ઉદ્દેશ બ્રિટિશ શાસનને ઉથલાવવાનો હતો

Azadi Ka Amrit Mahotsav :  ક્રાંતિકારીઓને સંગઠિત કરવા માટે, રામ પ્રસાદ બિસ્મિલ, લાલા હરદયાલ, સોમદેવની મદદથી, હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિએશન (HRA) ની સ્થાપના કરી અને અંગ્રેજોને દેશમાંથી ખદેડવા માટે નવી યોજનાઓ બનાવી હતી

Azadi Ka Amrit Mahotsav : રામ પ્રસાદ બિસ્મિલે કાકોરી કાંડની યોજના ઘડી હતી, તેનો એકમાત્ર ઉદ્દેશ બ્રિટિશ શાસનને ઉથલાવવાનો હતો
વીર ક્રાંતિકારી રામ પ્રસાદ બિસ્મિલ
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 29, 2022 | 5:35 PM
Share

Azadi Ka Amrit Mahotsav : દેશમાં સ્વતંત્રતાની લડત દરમ્યાન ચૌરી ચૌરાની ઘટના બાદ ગાંધીજીએ અચાનક અસહકાર આંદોલન પાછું ખેંચવાની જાહેરાત કરી. આ નિર્ણય ખૂબ જ આશ્ચર્યજનક હતો, ખાસ કરીને યુવા લડવૈયાઓ કે જેઓ તેને સફળ બનાવવા માટે સખત મહેનત કરી રહ્યા હતા, તેનાથી રામ પ્રસાદ બિસ્મિલ, અશફાક ઉલ્લાહ ખાન જેવા ક્રાંતિકારીઓને ખુબ  દુઃખ થયું. આવી સ્થિતિમાં ક્રાંતિકારીઓએ સાથે મળીને અંગ્રેજો સામે સશસ્ત્ર વિદ્રોહની જાહેરાત કરી. ક્રાંતિકારીઓને સંગઠિત કરવા માટે, રામ પ્રસાદ બિસ્મિલ, લાલા હરદયાલ, સોમદેવની મદદથી, હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિએશન (HRA)ની સ્થાપના કરી અને અંગ્રેજોને ભગાડવા માટે નવી યોજનાઓ બનાવવામાં આવી રહી હતી. કાકોરી કાંડ પણ આ યોજનાઓનો એક ભાગ હતો જે સ્વતંત્રતા ચળવળના ઈતિહાસની સૌથી મોટી ઘટના બની. રામ પ્રસાદ બિસ્મિલે જ આ આયોજન કર્યું હતું. તે હંમેશા  બ્રિટિશ શાસનનો સફાયો ઇચ્છતા હતા. તેમને  ફાંસીના માંચડે ચડતા પહેલા પણ તેનું એ જ સ્વપ્ન દોહરાવ્યું હતું. TV9 ની આ વિશેષ શ્રેણી દ્વારા, અમે તે બહાદુર લડવૈયાઓને સલામ કરીએ છીએ.

શાહજહાંપુરમાં જન્મેલા પૈતૃક ગામ ચંબલની કોતરોમાં હતું

રામ પ્રસાદ બિસ્મિલનો જન્મ 11 જૂન 1897ના રોજ શાહજહાંપુરમાં થયો હતો, તેમના પિતાનું નામ મુરલીધર અને માતાનું નામ મૂળમતી હતું. જોકે બિસ્મિલનું પૈતૃક ગામ બરબાઈ હતું, જે  મધ્ય પ્રદેશના મોરેના જિલ્લામાં ચંબલની ખીણમાં સ્થિત છે.  તેમના દાદા નારાયણ લાલજી ત્યાં રહેતા હતા. નોકરીના કારણે પિતાને શાહજહાંપુર આવવું પડ્યું હતું.

નાનપણથી જ અભ્યાસ પર ભાર

રામ પ્રસાદ બિસ્મિલના શિક્ષણ પર બાળપણથી જ ભાર મૂકવામાં આવતો હતો, પરંતુ તેમનું મન અભ્યાસમાં ઓછું હતું, ઉર્દૂ ભાષા સાથે મધ્યમ પરીક્ષા પાસ ન કરી શકવાને લીધે  તેમણે અંગ્રેજીનો અભ્યાસ શરૂ કર્યો હતો.આ દરમિયાન તેઓ સ્વામી સોમદેવને મળ્યા  જેમણે તેમને આર્ય સમાજ વિશે માહિતી આપી.

મૈનપુરી ષડયંત્ર કેસનો ભાગ બન્યો

રામ પ્રસાદ બિસ્મિલ બાળપણથી જ ક્રાંતિકારી વિચારો ધરાવતા હતા, ખૂબ જ નાની ઉંમરે, તેમણે મૈનપુરીમાં એક ક્રાંતિકારી ઘટનાને અંજામ આપ્યો, જ્યાં બિસ્મિલની માતૃવેદી સંસ્થા અને પંડિત ગેન્દાલાલ દીક્ષિતની શિવાજી સમિતિનું વિલિનીકરણ થયું. પંડિત ગેન્દાલાલ દીક્ષિતજી આગ્રાથી શસ્ત્રો લાવતા પકડાયા, તેમને કેદ કરવામાં આવ્યા, પરંતુ તેઓ ત્યાંથી ભાગી ગયા. આને પાછળથી મૈનપુરી ષડયંત્ર કેસ નામ આપવામાં આવ્યું. આ કેસમાં શાહજહાંપુરના 6 યુવકો સામેલ હતા, તેના લીડર રામ પ્રસાદ બિસ્મિલ હતા.

એચઆરએની રચના

ગાંધીજીએ અસહકાર ચળવળ પાછી ખેંચી લીધી હતી, ક્રાંતિકારીઓ માનતા હતા કે હવે અંગ્રેજો સામે સશસ્ત્ર ક્રાંતિ જ એકમાત્ર વિકલ્પ છે, તેથી 3 ઓક્ટોબર, 1924ના રોજ રામ પ્રસાદ બિસ્મિલ અને અન્ય ક્રાંતિકારીઓએ સાથે મળીને હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિએશન (HRA)ની રચના કરી, શહીદ થયા પછી. બિસ્મિલના આ સંગઠનને HSRA એટલે કે હિન્દુસ્તાન સોશ્યલિસ્ટ રિપબ્લિકન આર્મી તરીકે ઓળખવામાં આવ્યું.

કાકોરી કાંડ યોજના

હિંદુસ્તાન રિપબ્લિકન એસોસિએશને સશસ્ત્ર ક્રાંતિની જાહેરાત કરી હતી, પરંતુ આ માટે શસ્ત્રોની જરૂર હતી, તેથી રામ પ્રસાદ બિસ્મિલે અંગ્રેજોની તિજોરી લૂંટવાની યોજના બનાવી અને કાકોરીમાં શાહજહાંપુરથી લખનૌ જતી પેસેન્જર ટ્રેનને લૂંટીને અંગ્રેજોને ખુલ્લો પડકાર ફેંક્યો. આમાં અન્ય ઘણા લોકો હતા. અશફાક ઉલ્લા ખાન, રાજેન્દ્ર લહેરી, ઠાકુર રોશન સિંહ, ચંદ્રશેખર આઝાદ સહિતના ક્રાંતિકારીઓએ ટેકો આપ્યો હતો.

ધરપકડ કેસ

હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિએશન (HRA)ના વડા રામ પ્રસાદ બિસ્મિલની પોલીસે 26 ઓક્ટોબર 1925ના રોજ ધરપકડ કરી હતી. અંગ્રેજોએ શાહજહાંપુરના બનારસીને સત્તાવાર સાક્ષી બનાવ્યા, બનારસી એ જ વ્યક્તિ હતા જે એક સમયે રામ પ્રસાદ બિસ્મિલ સાથે કપડાના વ્યવસાયમાં ભાગીદાર હતા. રામ પ્રસાદ બિસ્મિલની આત્મકથામાં આનો ઉલ્લેખ છે. 18 મહિના સુધી ચાલેલા ટ્રાયલ બાદ તેમને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી.

આત્મકથા પૂર્ણ કરીને આનંદ વ્યક્ત કર્યો

16 ડિસેમ્બર 1927ના રોજ, રામ પ્રસાદ બિસ્મિલે તેમની આત્મકથાનું છેલ્લું પ્રકરણ પૂરું કર્યું અને તેને પરિવારને સોંપ્યું, તે જ દિવસે તેમની પરિવાર સાથે છેલ્લી મુલાકાત થઈ હતી. તેમને 19 ડિસેમ્બર 1927ના રોજ ગોરખપુર જેલમાં ફાંસી આપવામાં આવી હતી. તે જ સમયે અને તે જ દિવસે તેના ખાસ મિત્ર અશફાક ઉલ્લાહ ખાનને ફૈઝાબાદ જેલમાં ફાંસી આપવામાં આવી હતી. બિસ્મિલની કબર દેવરિયામાં આવેલી છે.

બિસ્મિલ લેખક અને કવિ પણ હતા, તેમના સન્માનમાં ટપાલ ટિકિટ બહાર પડાઈ

તેમના ક્રાંતિકારી જીવન દરમિયાન, રામ પ્રસાદ બિસ્મિલે ઘણા પુસ્તકો લખ્યા અને ઘણાનો અંગ્રેજી-હિન્દીમાં અનુવાદ કર્યો, જોકે બ્રિટિશ સત્તા સામેના તેમના વિરોધને કારણે આ તમામ પુસ્તકો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તેમની બહાદુરીને સન્માન આપવા માટે, 1997 માં ભારત સરકાર દ્વારા તેમના પર એક ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.

પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">