રાહુલ ગાંધીએ BJP સાંસદને માર્યો ધક્કો ? લોહી લુહાણ થયા સાંસદ, જુઓ-Video

|

Dec 19, 2024 | 12:45 PM

લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર ભાજપના સાંસદને ધક્કો મારવાનો આરોપ લાગ્યો છે. સાંસદ પ્રતાપચંદ્ર સારંગીના ધક્કાને કારણે હું પડી ગયો અને ઘાયલ થયો.

રાહુલ ગાંધીએ BJP સાંસદને માર્યો ધક્કો ? લોહી લુહાણ થયા સાંસદ, જુઓ-Video
Rahul Gandhi accused of pushing BJP MP

Follow us on

સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે અને આંબેડકર પર ટિપ્પણીના મુદ્દે બંને ગૃહોમાં ભારે હોબાળો થઈ રહ્યો છે. ત્યારે આજે તો સંસદ પરિસરમાં હાઈવોલ્ટેજ ડ્રામા થયો હતો. વિરોધ દરમિયાન BJP સાંસદ પ્રતાપ ચંદ્ર સારંગીનું માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી અને લોહી લુહાણ થયા હતા ત્યારે તેમની આ ગંભીર ઈજા માટે તેમણે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ધક્કો માર્યો હોવાનો આરોપ લગાવ્યો છે.

BJP સાંસદ પ્રતાપ ચંદ્ર સારંગીએ રાહુલ ગાંધી પર તેમના પર દબાણ કરવાનો આરોપ લગાવ્યો છે. તેણે કહ્યું કે ધક્કો માર્યા બાદ હું નીચે પડી ગયો હતો. જેના કારણે ઈજા થઈ હતી. સારંગીએ કહ્યું કે હું સીડી પાસે ઉભો હતો ત્યારે રાહુલ ગાંધીએ આવીને એક સાંસદને ધક્કો માર્યો હતો, જે બાદ તે મારા પર પડતા મને માથાના ભાગે ઈજા થઈ હતી.

હોલિકા દહનની રાતે કરો આ ઉપાય, કિસ્મત ચમકી ઉઠશે, ધનની થશે પ્રાપ્તિ
આજનું રાશિફળ તારીખ : 11-03-2025
ચહલ-મહવિશ સાથે જોવા મળ્યા બાદ ધનશ્રીએ બધાને ચોંકાવી દીધા, ભર્યું આ પગલું
કયા કયા મુસ્લિમ દેશોમાં પણ ઉજવાય છે હોળીનો તહેવાર ? જાણો નામ
ટીમ ઈન્ડિયાને મળેલી ચેમ્પિયન્સ ટ્રોફીમાં કાણું છે?
દુબઈમાં રોહિત શર્માએ ઉઠાવી 2 ટ્રોફી, બુર્જ ખલીફા સામે બતાવી ભારતની તાકાત

રાહુલ ગાંધીએ આરોપ પર આપ્યો જવાબ

લાગેલા આરોપો પર લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે જ્યારે હું ગૃહમાં જઈ રહ્યો હતો ત્યારે ભાજપના સાંસદ અમને રોકતા હતા. તેમણે કહ્યું કે ગૃહમાં જવું મારો અધિકાર છે પરંતુ ભાજપના સાંસદ અમને અંદર જતા રોકી રહ્યા હતા અને જ્યારે હું સંસદના પ્રવેશદ્વારમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે તેઓ મને ધમકાવતા હતા તેથી આ બન્યું. આ સંસદનું પ્રવેશદ્વાર છે અને અમને અંદર જવાનો અધિકાર છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે મુખ્ય મુદ્દો એ છે કે ભાજપના લોકો બંધારણ પર હુમલો કરી રહ્યા છે. આંબેડકરનું અપમાન કરે છે. રાહુલ ગાંધીએ કહ્યું કે તેમને પણ ધક્કો મારવામાં આવ્યો છે. પણ તેનાથી કોઈ ફરક પડતો નથી. આ બધું થતું રહે છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે મલ્લિકાર્જુન ખડગેને ધક્કો મારવામાં આવી રહ્યો છે, પરંતુ ધક્કાથી અમને કોઈ અસર નથી થઈ, પરંતુ આ પ્રવેશદ્વાર છે અને અમને અંદર જવાનો અધિકાર છે. ભાજપના સાંસદ અમને અંદર જતા રોકવાનો પ્રયાસ કરી રહ્યા હતા. મુખ્ય મુદ્દો એ છે કે તેઓ બંધારણ પર હુમલો કરી રહ્યા છે અને આંબેડકરજીની સ્મૃતિનું અપમાન કરી રહ્યા છે.

એકબીજા પર ધક્કો મારવાનો આરોપ

તમને જણાવી દઈએ કે બાબાસાહેબ આંબેડકર પર કરેલી ટિપ્પણીને લઈને જ્યારે કોંગ્રેસ અને વિપક્ષી દળોએ ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ સંસદ પરિસરમાં પ્રદર્શન કર્યું ત્યારે ભારતીય જનતા પાર્ટીના સભ્યોએ મુખ્ય વિપક્ષી પાર્ટી પર બંધારણના નિર્માતાના અપમાનનો આરોપ લગાવીને વિરોધ કર્યો. શાસક પક્ષ અને વિપક્ષના સભ્યો વચ્ચે કથિત ઝપાઝપી પણ થઈ હતી.

 

Published On - 12:36 pm, Thu, 19 December 24

Next Article