રાષ્ટ્રપતિ મુર્મુએ નરસિમ્હા રાવ, ચૌધરી ચરણ સિંહ, કર્પુરી ઠાકુર અને સ્વામીનાથનને ભારત રત્ન કર્યો એનાયત

|

Mar 30, 2024 | 3:40 PM

પૂર્વ વડાપ્રધાન નરસિમ્હા રાવને આપવામાં આવેલ ભારત રત્ન પુરસ્કાર તેમના પુત્ર પીવી પ્રભાકર રાવે સ્વીકાર્યો હતો. ચૌધરી ચરણ સિંહ વતી તેમના પૌત્ર અને રાષ્ટ્રીય લોકદળના અધ્યક્ષ જયંત ચૌધરીએ આ એવોર્ડ સ્વીકાર્યો. આ સાથે તેમની પુત્રી નિત્યા રાવે સ્વામીનાથન વતી રાષ્ટ્રપતિ એવોર્ડ મેળવ્યો હતો.

રાષ્ટ્રપતિ મુર્મુએ નરસિમ્હા રાવ, ચૌધરી ચરણ સિંહ, કર્પુરી ઠાકુર અને સ્વામીનાથનને ભારત રત્ન કર્યો એનાયત
Bharat Ratna

Follow us on

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશની ચાર મહાન હસ્તીઓને દેશના સર્વોચ્ચ સન્માન ભારત રત્નથી નવાજ્યા છે. આ ચાર વ્યક્તિઓને રાષ્ટ્રપતિ મુર્મુ દ્વારા ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો છે . શનિવારે દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત એક સમારોહમાં રાષ્ટ્રપતિ મુર્મુએ બિહારના બે વખતના મુખ્યમંત્રી જનનાયક કર્પુરી ઠાકુર, પૂર્વ વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવ, પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહ અને દેશના પ્રખ્યાત કૃષિ વૈજ્ઞાનિક એમએસ સ્વામીનાથનને ભારત રત્નથી સન્માનિત કર્યા. તે તમામને મરણોત્તર પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

ભારત રત્નથી નવાજ્યા આ 4 વ્યક્તિ

આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ ભવન ખાતે. ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, વિદેશ મંત્રી એસ જયશંકર, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને અન્ય ઘણા લોકો હાજર હતા. આ સાથે તમામ લોકોના પરિવારજનોએ પણ આ સન્માન મેળવવા માટે ભાગ લીધો હતો જે મરણોત્તર આપવામાં આવી રહ્યું છે. આ દરમિયાન કાર્યક્રમમાં ઉપસ્થિત સૌનું તાળીઓના ગડગડાટથી સ્વાગત કરવામાં આવ્યું હતું.

આજનું રાશિફળ તારીખ : 20-05-2024
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી

પરિવારજનોએ સન્માન સ્વીકાર્યું

પૂર્વ વડાપ્રધાન નરસિમ્હા રાવને આપવામાં આવેલ ભારત રત્ન પુરસ્કાર તેમના પુત્ર પીવી પ્રભાકર રાવે સ્વીકાર્યો હતો. ચૌધરી ચરણ સિંહ વતી તેમના પૌત્ર અને રાષ્ટ્રીય લોકદળના અધ્યક્ષ જયંત ચૌધરીએ આ એવોર્ડ સ્વીકાર્યો. આ સાથે તેમની પુત્રી નિત્યા રાવે સ્વામીનાથન વતી રાષ્ટ્રપતિ એવોર્ડ મેળવ્યો હતો.

તમને જણાવી દઈએ કે આ વર્ષે કેન્દ્ર સરકારે પીવી નરસિમ્હા રાવ, પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહ અને કૃષિ વૈજ્ઞાનિક એમએસ સ્વામીનાથન તેમજ પૂર્વ નાયબ વડાપ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન પુરસ્કાર આપવાની જાહેરાત કરી હતી. પરંતુ સ્વાસ્થ્યના કારણોસર લાલકૃષ્ણ અડવાણી શનિવારે યોજાયેલા સન્માન સમારોહમાં હાજર રહ્યા ન હતા. કહેવામાં આવી રહ્યું છે કે અડવાણીને તેમના ઘરે જઈને આ સન્માનથી સન્માનિત કરવામાં આવશે.

Next Article