CDS જનરલ બિપીન રાવતના હેલિકોપ્ટરને કેવી રીતે નડ્યો હતો અકસ્માત ? કમિટીના રિપોર્ટમાં થયો ખુલાસો

|

Dec 20, 2024 | 10:05 AM

વર્ષ 2021માં દેશના પહેલા CDS જનરલ બિપીન રાવતના હેલિકોપ્ટરને નડેલા અકસ્માતમાં CDS જનરલનું અવસાન થયું હતું. આ મામલાની તપાસ માટે રચાયેલી સંસદીય સમિતિએ 8 ડિસેમ્બરે પોતાનો રિપોર્ટ રજૂ કર્યો હતો. જેમાં અકસ્માત પાછળ માનવીય ભૂલને જવાબદાર દર્શાવવામાં આવી છે. આ અકસ્માતમાં જનરલ રાવતની પત્ની સહિત 12 લોકોના મોત થયા હતા.

CDS જનરલ બિપીન રાવતના હેલિકોપ્ટરને કેવી રીતે નડ્યો હતો અકસ્માત ? કમિટીના રિપોર્ટમાં થયો ખુલાસો

Follow us on

દેશના પહેલા CDS જનરલ બિપીન રાવતના મૃત્યુની તપાસ માટે રચાયેલી સંસદીય સમિતિનો રિપોર્ટ સામે આવ્યો છે. રિપોર્ટમાં 8 ડિસેમ્બર, 2021ના રોજ થયેલા Mi-17 V5 હેલિકોપ્ટર દુર્ઘટના માટે ‘માનવીય ભૂલ’ને જવાબદાર ઠેરવવામાં આવી છે. આ સૈન્ય હેલિકોપ્ટર તમિલનાડુના કુન્નુર પાસે ક્રેશ થયું હતું. CDS રાવત અને તેમની પત્ની સહિત હેલિકોપ્ટરમાં હાજર તમામ લોકો માર્યા ગયા હતા.

મંગળવારે સંસદમાં રજૂ કરાયેલા એક અહેવાલમાં, સંરક્ષણ પરની સ્થાયી સમિતિએ 13મી સંરક્ષણ યોજનાના સમયગાળા દરમિયાન ભારતીય વાયુસેનાના વિમાનોની સાથે સંકળાયેલા અકસ્માતોની સંખ્યા પર ડેટા શેર કર્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ 2017 થી 2022 સુધીમાં કુલ 34 અકસ્માતો થયા છે.

જેમાં 2021-22માં ભારતીય વાયુસેનાના નવ વિમાન અકસ્માતો અને 2018-19માં 11 વિમાન અકસ્માતોનો સમાવેશ થાય છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ તમામ ઘટનાઓ માનવીય ભૂલના કારણે બની છે.

'હું આખી જિંદગી લગ્ન નહીં કરું, મને છોકરાઓની ઝંઝટ નથી જોઈતી' - જિયા શંકર
TMKOC: તો શું આ છે 'તારક મહેતા' શોની નવી દયાબેન? જાણો સત્ય
LPG, UPI અને TAX માં 1 એપ્રિલથી લાગુ થશે આ મોટા ફેરફારો
રવિના ટંડનની દીકરી રાશા થડાનીના જુઓ સુંદર ફોટો
ઘરની આ 5 જગ્યાઓ પર ભૂલથી પણ ના રાખવો જોઈએ તુલસીનો છોડ!
ડેવિડ વોર્નરને ફિલ્મ 'રોબિન હૂડ' માટે કેટલો ચાર્જ લીધો, જુઓ ફોટો

જનરલ રાવતના મૃત્યુના 3 વર્ષ બાદ રિપોર્ટ આવ્યો

જનરલ રાવતનું હેલિકોપ્ટર તમિલનાડુના કુન્નુર પાસે એક પહાડી પર ક્રેશ થયું હતું. ત્રણ વર્ષ બાદ સંરક્ષણ અંગેની સ્થાયી સમિતિનો અહેવાલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યો છે. આમાં, ઘટનાનું કારણ ‘માનવીય ભૂલ’ (એરક્રુ) એટલે કે માનવ ભૂલ જણાવવામાં આવ્યું છે.

ઘટનાની તપાસ કરી રહેલી ટીમે શરૂઆતમાં કહ્યું હતું કે ખીણમાં હવામાનની સ્થિતિમાં અણધાર્યા ફેરફારને કારણે વાદળો અંદર પ્રવેશ્યા બાદ આ અકસ્માત થયો હતો. જેના કારણે પાયલોટ યોગ્ય લોકેશન શોધી શક્યો ન હતો અને તેનો રસ્તો ખોવાઈ ગયો હતો.

અકસ્માતનું સંભવિત કારણ જાણવા માટે તપાસ ટીમે ફ્લાઈટ ડેટા રેકોર્ડર અને કોકપિટ વોઈસ રેકોર્ડરની તપાસ કરી હતી. આ ઉપરાંત ટીમે ઉપલબ્ધ તમામ સાક્ષીઓની પણ પૂછપરછ કરી હતી. જે બાદ સંપૂર્ણ માહિતી રજૂ કરવામાં આવી છે.

ક્યાં થયો અકસ્માત?

દેશના પ્રથમ CDS વડા જનરલ બિપીન રાવત 8 ડિસેમ્બર 2021ના રોજ તેમની પત્ની મધુલિકા અને અન્ય 12 સશસ્ત્ર દળોના કર્મચારીઓ સાથે તમિલનાડુના કોઈમ્બતુરમાં સુલુર એરફોર્સ બેઝથી ડિફેન્સ સર્વિસ સ્ટાફ કોલેજ, વેલિંગ્ટન જઈ રહ્યા હતા. તેઓ Mi-17 V5 હેલિકોપ્ટરમાં મુસાફરી કરી રહ્યા હતા, હેલિકોપ્ટર લેન્ડિંગ કરતા પહેલા પહાડીઓમાં તૂટી પડ્યું હતું. આ ઘટનામાં હેલિકોપ્ટરમાં સવાર તમામ લોકોના મોત થયા છે.

કેવું હતું હેલિકોપ્ટર જેમાં રાવત સવાર હતા?

જનરલ બિપીન રાવત જે Mi-17V5 હેલિકોપ્ટરમાં મુસાફરી કરી રહ્યા હતા તે VVIP હેલિકોપ્ટર છે, તેમાં 2 એન્જિન છે. સેના આ હેલિકોપ્ટરનો ઉપયોગ દુર્ગમ વિસ્તારો માટે કરે છે. આ દુનિયાનું સૌથી એડવાન્સ ટ્રાન્સપોર્ટ હેલિકોપ્ટર છે. આ હેલિકોપ્ટરનો ઉપયોગ સૈન્ય અને શસ્ત્રોના પરિવહન, ફાયર સપોર્ટ, પેટ્રોલિંગ અને શોધ-અને-બચાવ મિશન માટે થાય છે.