Breaking News : ઉજ્જૈનના મહાકાલ મંદિરના ગર્ભગૃહમાં ભસ્મ આરતી દરમિયાન લાગી ભીષણ આગ, 12 લોકો દાઝ્યા

હોળીના દિવસે એટલે કે આજે મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં પૂજારી સહિત પાંચ લોકો દાઝી ગયા હોવાની માહિતી છે. ભસ્મ આરતી વખતે અબીર-ગુલાલ ચઢાવવામાં આવતો હતો. દરમિયાન આગ લાગી ગઇ હતી.આ ઘટના બાદ દાઝી ગયેલા લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. હાલ તમામની સારવાર ચાલી રહી છે.

Breaking News : ઉજ્જૈનના મહાકાલ મંદિરના ગર્ભગૃહમાં ભસ્મ આરતી દરમિયાન લાગી ભીષણ આગ, 12 લોકો દાઝ્યા
Follow Us:
| Updated on: Mar 25, 2024 | 8:29 AM

હોળીના દિવસે એટલે કે આજે મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં પૂજારી સહિત 12 લોકો દાઝી ગયા હોવાની માહિતી છે. ભસ્મ આરતી વખતે અબીર-ગુલાલ ચઢાવવામાં આવતો હતો. દરમિયાન આગ લાગી ગઇ હતી.આ ઘટના બાદ દાઝી ગયેલા લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. હાલ તમામની સારવાર ચાલી રહી છે.

ગર્ભગૃહમાં મુખ્ય પૂજારી અને 5 સહયોગી પૂજારી હાજર હતા

હોળીનો તહેવાર હોવાથી વહેલી સવારથી ઉજ્જૈન મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી હતી. ભસ્મ આરતીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો મંદિરમાં એકઠા થયા હતા. મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન મુખ્ય પૂજારી અને 5 સહયોગી પૂજારી હાજર હતા. મહાકાલ મંદિરમાં ભસ્મ આરતિમાં મુખ્ય પૂજારી સંજય ગુરુ, વિકાસ પૂજારી, મનોજ પૂજારી, અંશ પુરોહિત, સેવક મહેશ શર્મા અને ચિંતામન ગેહલોત અને અન્ય ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ

હોળીનો તહેવાર હોવાથી રંગો પણ ઉડાડવામાં આવી રહ્યા હતા. અન્ય કેટલાક લોકો પણ ગર્ભગૃહમાં ભસ્મ આરતી દરમિયાન હાજર હતા. આરતી દરમિયાન અચાનક જ આગ લાગી હતી. આગ એટલી ભીષણ હતી કે મુખ્ય પૂજારી સહિત હાજર 12થી વધુ લોકો આગમાં દાઝી ગયા હતા.

ઉજ્જૈનના કલેક્ટર નીરજ કુમાર સિંહે કહ્યું કે ભસ્મ આરતી વખતે પણ ગુલાલનો ઉપયોગ કરવામાં આવે છે. ભસ્મ આરતી દરમિયાન આજે ગર્ભગૃહની અંદર કપૂર સળગાવવામાં આવ્યું હતું, જેના કારણે અંદર હાજર 12થી વધુ લોકો દાઝી ગયા હતા. તે લોકોને ઉજ્જૈનના વિલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની સારવાર કરવામાં આવી રહી છે. સદનસીબે કોઇ ગંભીર રીતે ઇજાગ્રસ્ત નથી. હાલ તમામની હાલત સ્થિર છે અને ડોકટરો તેમની સારવાર કરી રહ્યા છે. 

પ્રત્યક્ષદર્શીએ જણાવી આપવીતિ

એક સેવકે કહ્યું કે તેણે તેની આંખોથી જોયું હતુ તે સમયે મંદિરમાં હજારો ભક્તો હાજર હતા. બધા મહાકાલ સાથે હોળીની ઉજવણી કરી રહ્યા હતા. ઘાયલ સેવકે જણાવ્યું કે પાછળથી આરતી કરી રહેલા પૂજારી સંજીવ પર કોઈએ ગુલાલ નાખ્યુ હતું. ગુલાલ દીવા પર પડ્યુ હતુ. ગુલાલમાં કપૂર હોવાના કારણે આગ લાગી હોવાની શક્યતા છે. બીજી તરફ, ગર્ભગૃહની ચાંદીની દિવાલને રંગ અને ગુલાલથી બચાવવા માટે ત્યાં ફ્લેક્સ મૂકવામાં આવ્યા હતા. તેમાં પણ આગ ફેલાઈ હતી.  

Latest News Updates

બનાસકાંઠાઃ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન
બનાસકાંઠાઃ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન
ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીનાની મદ્રેસાઓમાં શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી
ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીનાની મદ્રેસાઓમાં શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી
ગુજરાતના 1100 મદ્રેસામાં સર્વે હાથ ધરાયો
ગુજરાતના 1100 મદ્રેસામાં સર્વે હાથ ધરાયો
નવસારીમાં મુકાયેલા પાલિકાના વોટર એટીએમ ભરઉનાળે ઠપ્પ
નવસારીમાં મુકાયેલા પાલિકાના વોટર એટીએમ ભરઉનાળે ઠપ્પ
ગુજરાતમાં હીટવેવ અને માવઠાની આગાહી
ગુજરાતમાં હીટવેવ અને માવઠાની આગાહી
ચારધામ યાત્રામાં અરાજકતાના કારણે સુરતના શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા
ચારધામ યાત્રામાં અરાજકતાના કારણે સુરતના શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા
ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં મનસુખ વસાવાની હાજરીથી ચૈતર વસાવા ગિન્નાયા
ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં મનસુખ વસાવાની હાજરીથી ચૈતર વસાવા ગિન્નાયા
આ ચાર રાશિના જાતકો આજે સ્વાસ્થ્યને લઈને રહે સાવચેત, જાણો કઈ છે રાશિ
આ ચાર રાશિના જાતકો આજે સ્વાસ્થ્યને લઈને રહે સાવચેત, જાણો કઈ છે રાશિ
રાજકોટમાં બસપોર્ટની લિફ્ટમાં ફસાયો યુવક, ફાયરવિભાગે કર્યુ રેસ્ક્યુ
રાજકોટમાં બસપોર્ટની લિફ્ટમાં ફસાયો યુવક, ફાયરવિભાગે કર્યુ રેસ્ક્યુ
ચોમાસામાં તમારા ઘર નજીક પાણી ભરાય તો ગટરના ઢાંકણા જાતે ખોલવાના રહેશે
ચોમાસામાં તમારા ઘર નજીક પાણી ભરાય તો ગટરના ઢાંકણા જાતે ખોલવાના રહેશે
g clip-path="url(#clip0_868_265)">