ક્રુઝ ડ્રગ્સ પાર્ટીમાં કાશિફ ખાનને લઈને વિવાદ વણસ્યો, નવાબ મલિકે વાનખેડે પર કર્યા આકરા પ્રહાર
મલિકે કહ્યું કે, તમે જોઈ રહ્યા છો કે પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. આર્યન ખાનને NCB ઓફિસમાં ખેંચનાર વ્યક્તિ હવે જેલના સળિયા પાછળ છે. જે વ્યક્તિ આર્યન ખાનના જામીનને રોકવા માટે બધું જ કરી રહ્યો હતો, તેણે ગઈકાલે કોર્ટનો સંપર્ક કર્યો.
Cruise Drugs Case : નવાબ મલિકે બુધવારે NCB ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે પર ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી (Cruise Drugs Party) દરમિયાન દાઢીવાળો વ્યક્તિ હોવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારથી સતત આ સવાલો ઉઠી રહ્યા હતા કે, આ દાઢીવાળો માણસ કોણ છે? ત્યારે આજે નવાબ મલિકે ખુલાસો કર્યો છે કે તે દાઢીવાળો કોણ હતો.
નવાબ મલિકે વાનખેડે પર ગંભીર આરોપ લગાવ્યા
નવાબ મલિકે ((Nawab Malik) કહ્યું કે મારો સવાલ એ છે કે દાઢીવાળો કોણ હતો? આ દાઢીવાળા ફેશન ટીવીના ઈન્ડિયા હેડ કાશિફ ખાન છે. તે ફેશનના નામે પોર્નોગ્રાફી, ડ્રગ્સ, સેક્સ રેકેટનો ધંધો કરે છે. સમીર વાનખેડે સાથે તેના સંબંધો છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, સમીર વાનખેડેએ કાશિફ ખાન પર ઘણી વખત દરોડા અટકાવ્યા હતા.
શું નવાબ મલિક મરાઠી નથી ?
His (Sameer Wankhede) family wrote to CM y’day that they’re Marathis & being a Marathi CM should help them. Nawab Malik’s family too has been in this city for 70 yrs. I was born in 1959 & have been a citizen of this city. Is Nawab Malik not a Marathi?: Maharashtra Min Nawab Malik pic.twitter.com/xBoQUPc0jv
— ANI (@ANI) October 29, 2021
એનસીપી નેતાએ વધુમાં કહ્યું કે, સમીર વાનખેડેના (Sameer Wankhede) પરિવારે મુખ્યપ્રધાન ઉદ્વવ ઠાકરેને પત્ર લખ્યો છે કે તેઓ મરાઠી છે અને મરાઠી સીએમ હોવાને કારણે તેમની મદદ કરવી જોઈએ. મારો પરિવાર છેલ્લા 70 વર્ષથી આ શહેરમાં રહે છે. મારો જન્મ 1959માં થયો હતો, ત્યારથી હું આ શહેરનો નાગરિક છું.
સંપૂર્ણપણે બદલાયેલી પરિસ્થિતિ
મલિકે વધુમાં કહ્યું કે, તમે જોઈ રહ્યા છો કે પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. આર્યન ખાનને NCB ઓફિસમાં ખેંચી લાવનાર વ્યક્તિ હવે જેલના સળિયા પાછળ છે. જે વ્યક્તિ આર્યન ખાનના જામીનને (Aryan Khan) રોકવા માટે બધું જ કરી રહ્યો હતો, તેણે ગઈકાલે કોર્ટનો સંપર્ક કર્યો.
સમીર વાનખેડેએ આરોપોને નકાર્યા
બીજી તરફ, નવાબ મલિકના આરોપો અને કાશિફ ખાન (Kasiff Khan) સાથેના તેના સંબંધો પર સમીર વાનખેડેએ કહ્યું કે, આ બિલકુલ ખોટું છે અને હું તેના પર કોઈ નિવેદન આપવા માગતો નથી, કાયદો તેનો માર્ગ બતાવશે. નવાબ મલિકે વાનખેડે પર ક્રૂઝ પાર્ટી દરમિયાન પાર્ટીના આયોજક કાશિફ ખાનને ન પકડવાનો આરોપ લગાવ્યો હતો.
આ પણ વાંચો: સમીર વાનખેડેના ધર્મને લઈને કેમ થઈ રહ્યો છે વિવાદ ? જાણો TV9 સાથેની વાતચીતમાં તેમના પરિવારે શું કહ્યુ……
આ પણ વાંચો: Aryan Khan Bail: શું આર્યન ખાન આજની રાત પણ જેલમાં વિતાવશે ? જાણો જામીન મળ્યા બાદ શું છે છૂટવાની પ્રક્રિયા