આજે જાહેર થઇ જશે મહારાષ્ટ્રના CMનું નામ, 5 ધારાસભ્યો પર 1 મંત્રી, જાણો નવી કેબિનેટની ફોર્મ્યુલા

|

Dec 04, 2024 | 10:04 AM

મહારાષ્ટ્રમાં આજે ભાજપ ધારાસભ્ય દળની મહત્વપૂર્ણ બેઠક યોજાશે, જેમાં મુખ્યમંત્રી પદના ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવશે. પહેલાં દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદે વચ્ચે મુલાકાત થઈ હતી. નવી સરકારમાં ભાજપ, શિવસેના અને અજિત પવારના પક્ષના મંત્રીઓની સંખ્યામાં વધારો થવાની ધારણા છે. ત્રણેય પક્ષોના નેતાઓ બુધવારે રાજ્યપાલને બહુમતનો આંકડો રજૂ કરશે.

આજે જાહેર થઇ જશે મહારાષ્ટ્રના CMનું નામ, 5 ધારાસભ્યો પર 1 મંત્રી, જાણો નવી કેબિનેટની ફોર્મ્યુલા

Follow us on

આજે મહારાષ્ટ્ર ભાજપ ધારાસભ્ય દળની બેઠક યોજાશે, જેમાં સીએમ ચહેરાની જાહેરાત કરવામાં આવશે. આ પહેલા મંગળવારે સાંજે દેવેન્દ્ર ફડણવીસ અચાનક મુંબઈમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાન ‘વર્ષા’ પહોંચ્યા હતા. કાર્યપાલક મુખ્યપ્રધાન એકનાથ શિંદે સાથે લગભગ એક કલાકની બેઠક થઈ હતી. બેઠક બાદ શિવસેનાના વિધાનસભ્ય ભરત ગોગાવલેએ કહ્યું કે એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે જ બેઠક થઈ હતી. આ બેઠકમાંથી ચોક્કસ કંઈક સારું થશે, આ અમારો દાવો છે.

અગાઉ વર્તમાન સરકારમાં ભાજપ અને શિવસેના પાસે 10-10 અને અજિત પવાર પાસે 9 મંત્રી હતા. આ તમામ કેબિનેટ મંત્રી હતા. હવે નવી સરકારમાં ભાજપના 20, શિવસેનાના 13 અને અજિત પવારના પક્ષના 9 મંત્રીઓ હોવાની અપેક્ષા છે. 57 બેઠકો જીતનાર શિવસેના 13થી 16 મંત્રી પદની માગ કરી રહી છે. એવી અપેક્ષા છે કે ત્યાં 13 મંત્રી પદો હશે. તેમાંથી 7 કેબિનેટ અને 6 રાજ્યકક્ષાના મંત્રીઓ મળવાની ધારણા છે. અજિત પવારના 41 ધારાસભ્યો જીત્યા છે. તેમના દ્વારા આપવામાં આવેલી ફોર્મ્યુલા મુજબ દરેક 5 ધારાસભ્યો માટે એક મંત્રી પદ હોવું જોઈએ. જો કે સૂત્રોના જણાવ્યા અનુસાર તેમને 5 કેબિનેટ અને 4 રાજ્ય મંત્રી પદ મળવાની ધારણા છે. કેબિનેટમાં 43 મંત્રીઓ હોઈ શકે છે.

ત્રણેય પક્ષોના નેતાઓ રાજભવન જશે

શિવસેનાના પ્રવક્તા કિરણ પાવસ્કરે જણાવ્યું હતું કે બુધવારે ભાજપ વિધાયક દળની બેઠક બાદ ત્રણેય પક્ષોના નેતાઓ બહુમતનો આંકડો રાજ્યપાલ પાસે લઈ જશે. તેમણે સ્પષ્ટ કર્યું કે મહાગઠબંધનમાં કોઈ તિરાડ નથી. ભાજપ પાસે સૌથી વધુ સંખ્યા છે. અમે કોઈ મંત્રાલયની વાત નથી કરી રહ્યા. મહાયુતિ એક થઈ ગઈ છે.

રોહિત શર્માએ 11,000 રન બનાવી તોડ્યો વર્લ્ડ રેકોર્ડ
ગુજરાતનું મુખ્ય વિમાનમથક અમદાવાદ એરપોર્ટ ક્યાં આવેલું છે ?
સસ્તો થયો દારુ ! અમેરિકાની 'Bourbon Whisky' પર ભારત સરકારે ઘટાડ્યો 50% ટેક્સ
શરીરના 7 ચક્રોને જાગૃત કરવા શું કરવું?
શું તમે તાંબાના વાસણમાં પાણી પીવો છો? આ 5 ભૂલો ન કરો,નહીં તો થશે નુકસાન
ઘરમાં વારંવાર નીકળતી કીડીઓને ભગાવવા અપનાવો આ 5 દેશી ઉપાય

ધારાસભ્ય દળની બેઠક મહત્વપૂર્ણ

બુધવારે સવારે 10 વાગ્યે બીજેપી વિધાયક દળની બેઠક મળી છે. આ બેઠકમાં બે નિરીક્ષકો નિર્મલા સીતારમણ અને વિજય રૂપાણી દિલ્હીથી આવ્યા છે. જેમાં મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રી કોણ હશે તે નક્કી કરવામાં આવશે.

દિવસભર સટ્ટા બજાર ગરમ રહ્યું હતું

સતારાથી આવ્યા બાદ પણ મુખ્યમંત્રી એકનાથ શિંદે થાણેમાં પોતાના ઘરે જ હતા. તેમની તબિયત સારી ન હતી. આ અંગે અનેક અટકળો ચાલી રહી હતી. સ્થિતિ એવી બની કે તેને હોસ્પિટલ પણ જવું પડ્યું. પરંતુ, બપોરે તેઓ વર્ષા બંગલે પાછા ફર્યા, જ્યાં તેમણે તેમના ધારાસભ્યો સાથે બેઠક કરી. આ પછી ડો.ભીમરાવ આંબેડકરના મહાનિર્વાણ દિવસની તૈયારીઓને લઈને એક બેઠક પણ યોજાઈ હતી.