Russia Ukraine War: યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ પુતિનને આતંકવાદી કહ્યા, જાણો રશિયા-યુક્રેન યુદ્ધની અપડેટ

Russia Ukraine War: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધને ચાર મહિનાથી વધુ સમય થઈ ગયો છે. આ યુદ્ધમાં બંને દેશોના સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા છે. આ સાથે લાખો લોકોએ યુક્રેન છોડવું પડ્યું છે.

Russia Ukraine War:  યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ પુતિનને આતંકવાદી કહ્યા, જાણો રશિયા-યુક્રેન યુદ્ધની અપડેટ
ઝેલેન્સકીએ પુતિન પર સાધ્યું નિશાન
Image Credit source: PTI
| Edited By: | Updated on: Jun 29, 2022 | 10:52 AM

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ (Russia Ukraine War) ચાલુ છે. વૈશ્વિક દબાણને કારણે પણ રશિયા આ યુદ્ધમાંથી પીછેહઠ કરી રહ્યું નથી. હાલમાં જ યુક્રેનના (Ukraine)મોટા શહેર ક્રેમેનચુકમાં રશિયા તરફથી મિસાઈલોનો વરસાદ કરવામાં આવ્યો છે. આ રશિયન હુમલામાં (Attack)ઓછામાં ઓછા 18 લોકો માર્યા ગયા હતા. આ હુમલો એક શોપિંગ મોલમાં કરવામાં આવ્યો હતો, જેમાં તે સમયે 1000થી વધુ લોકો હતા. હવે આ હુમલા બાદ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સકીએ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Vladimir Putin)પર જોરદાર પ્રહારો કર્યા છે. તેણે પુતિનને આતંકવાદી ગણાવ્યા છે.

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધને ચાર મહિનાથી વધુ સમય થઈ ગયો છે. આ યુદ્ધમાં બંને દેશોના સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા છે. આ સાથે લાખો લોકોએ યુક્રેન છોડવું પડ્યું છે. આમાંથી મોટાભાગના લોકોએ પડોશી દેશોમાં આશરો લીધો છે. તેની અસર પણ આખી દુનિયામાં જોવા મળી રહી છે. જેના કારણે અનાજની પણ અછત સર્જાઈ છે.

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધના અપડેટ્સ જાણો

1-રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું છે કે રશિયા તાલિબાન સાથે સંબંધો બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે અને મોસ્કો ઈચ્છે છે કે અફઘાનિસ્તાનમાં તમામ વંશીય જૂથો દેશ ચલાવવામાં સામેલ થાય. પુતિનનું નિવેદન મંગળવારે તાજિકિસ્તાનના રાષ્ટ્રપતિ ઈમોમાલી રહેમાન સાથેની બેઠકમાં આવ્યું છે. બંને નેતાઓ વચ્ચેની મુલાકાત યુક્રેન સંઘર્ષની શરૂઆત પછી પુતિનની પ્રથમ વિદેશ મુલાકાત દરમિયાન થઈ હતી.

2-યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સકીએ યુએન સુરક્ષા પરિષદની બેઠકમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કહ્યું છે કે વ્લાદિમીર પુતિન આતંકવાદી બની ગયા છે અને આતંકવાદી દેશ ચલાવી રહ્યા છે. આ સાથે તેણે યુક્રેનમાં રશિયાની કાર્યવાહીની તપાસ કરવા સંયુક્ત રાષ્ટ્રને અપીલ કરી છે. આ માટે આંતરરાષ્ટ્રીય ટ્રિબ્યુનલની સ્થાપના કરવી જોઈએ.

3-રશિયાએ તાજેતરમાં જ ક્રેમેનચુકમાં એક શોપિંગ મોલમાં મિસાઈલથી હુમલો કર્યો હતો, જેમાં 18 લોકોના મોત થયા હતા. આ પછી, ઝેલેન્સકીએ સંયુક્ત રાષ્ટ્રને કહ્યું છે કે તે તપાસ માટે UNમાં એક ટીમ મોકલે અથવા મહાસચિવ પોતે ત્યાં મુલાકાત કરે, જેથી તેઓ જાણી શકે કે તે રશિયન હુમલો હતો.

4-ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમેન્યુઅલ મેક્રોને મંગળવારે જણાવ્યું હતું કે સાત ઔદ્યોગિક લોકશાહીઓ જ્યાં સુધી જરૂરી હશે ત્યાં સુધી યુક્રેનને સમર્થન આપવાનું ચાલુ રાખશે. આ સાથે તેમણે કહ્યું કે રશિયા સામેના પ્રતિબંધો યથાવત રહેશે. તેમણે કહ્યું કે રશિયા જીતી શકતું નથી અને ન જીતવું જોઈએ.

5-અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને રવિવારે કહ્યું, આપણે સાથે રહેવું પડશે, કારણ કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને શરૂઆતથી જ આશા હતી કે નાટો અને જી-7 અલગ થઈ જશે, પરંતુ એવું થયું નહીં અને અમે તેને થવા દઈશું નહીં.’

6-G7 સમિટમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીના વિડિયો કોન્ફરન્સના સંબોધન પછી, યુએસ, જર્મની, ફ્રાન્સ, ઇટાલી, બ્રિટન, કેનેડા અને જાપાને સોમવારે શક્ય હોય ત્યાં સુધી યુક્રેનને ટેકો આપવાનું વચન આપ્યું હતું.

7-યુક્રેનમાં યુદ્ધને કારણે ગઠબંધનના સંકલ્પ અંગે વધતી જતી ચિંતાઓ વચ્ચે યુરોપમાં યુએસ હાજરી વધારવાની યોજના સાથે નાટોના સાથી નેતાઓને મળવા યુએસ પ્રમુખ જો બિડેન મંગળવારે સ્પેન પહોંચ્યા હતા.

8-યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝને કહ્યું છે કે તેમના દેશને રશિયન હુમલાઓથી બચવા માટે મિસાઇલ સંરક્ષણ પ્રણાલીની જરૂર છે.

9-જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝે કહ્યું છે કે જ્યારે પુતિન સ્વીકારે છે કે યુક્રેન પર તેમની યોજના સફળ થઈ નથી ત્યારે પશ્ચિમી દેશો રશિયા સામેના પ્રતિબંધો ખતમ કરશે.

10-યુક્રેન પર રશિયાના હુમલાથી નાટોનો સુરક્ષા પ્રત્યેનો અભિગમ ધરમૂળથી બદલાઈ ગયો છે અને સભ્ય દેશોએ હવે વિશ્વમાં ઝડપથી વધી રહેલી અસ્થિરતા સામે પોતાનો સૈન્ય ખર્ચ વધારવો પડશે. ગઠબંધન દેશોના નેતાઓએ મંગળવારે નાટો સમિટ પહેલા આ વાત કહી. નાટો સેક્રેટરી જનરલે વિશ્વને પહેલા કરતા વધુ ખતરનાક અને અણધારી ગણાવ્યું હતું.

Published On - 10:52 am, Wed, 29 June 22

Follow Us