ઈઝરાયેલ સાથે તણાવ વચ્ચે ઈરાનમાં 29 લોકોને અપાઇ ફાંસી,જાણો શું છે કારણ

સમગ્ર વિશ્વમાં ઈરાનના જવાબી હુમલાના સમાચારો ચાલી રહ્યા છે. ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેના તણાવ પર દુનિયાની નજર છે ત્યારે બુધવારે ઈઝરાયેલે લગભગ 29 લોકોને ફાંસી આપી છે. રાજધાની તેહરાનની નજીકની બે જેલોમાં આ સામૂહિક સજા એક જ દિવસમાં આપવામાં આવી છે. આ સમાચાર સૌ કોઇ માટે આઘાતજનક છે.

ઈઝરાયેલ સાથે તણાવ વચ્ચે ઈરાનમાં  29 લોકોને અપાઇ ફાંસી,જાણો શું છે કારણ
Follow Us:
| Updated on: Aug 08, 2024 | 9:32 AM

સમગ્ર વિશ્વમાં ઈરાનના જવાબી હુમલાના સમાચારો ચાલી રહ્યા છે. ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેના તણાવ પર દુનિયાની નજર છે ત્યારે બુધવારે ઈઝરાયેલે લગભગ 29 લોકોને ફાંસી આપી છે. રાજધાની તેહરાનની નજીકની બે જેલોમાં આ સામૂહિક સજા એક જ દિવસમાં આપવામાં આવી છે. આ સમાચાર સૌ કોઇ માટે આઘાતજનક છે.

નોર્વે સ્થિત ઈરાન હ્યુમન રાઈટ્સ ઓર્ગેનાઈઝેશન (HRNGO) અનુસાર, 26 કેદીઓને ગેઝેલહેઝર જેલમાં અને ત્રણને કરજ સેન્ટ્રલ જેલમાં ફાંસી આપવામાં આવી હતી. HRNGO ના ડિરેક્ટર મહમૂદ અમીરી-મોગદ્દામ બુધવારે એક નિવેદનમાં જણાવ્યું હતુ કે ઇસ્લામિક રિપબ્લિક દેશમાં કેદીઓને સામૂહિક ફાંસી આપવા અને ઇરાનમાં દમનને વધુ તીવ્ર બનાવવા ઇઝરાયેલ સાથેના તેના તણાવ તરફ વૈશ્વિક ધ્યાનનો લાભ લઈ રહ્યું છે.

કેદીઓની સામુહિક ફાંસી

ઈઝરાયેલ-ઈરાન તણાવ પર સમગ્ર વિશ્વની નજર છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ઈરાન દેશની અંદર માનવાધિકારને દબાવવા માટે આનો ફાયદો ઉઠાવી રહ્યું છે. ફાંસી આપવામાં આવેલા 29 લોકોમાંથી 17ને હત્યાના આરોપમાં, સાતને ડ્રગ સંબંધિત આરોપોમાં અને ત્રણને બળાત્કારના આરોપમાં ફાંસી આપવામાં આવી હતી. HRNGO એ પણ કહ્યું કે તેમને બુધવારે વધુ બે મહિલાઓને ફાંસી આપવામાં આવી હોવાના સમાચાર મળ્યા છે, પરંતુ હજુ સુધી તેની પુષ્ટિ થઈ નથી.

આજનું રાશિફળ તારીખ : 10-09-2024
'હું મુસ્લિમ છું, ચર્ચમાં જાઉં છું, મારા દીકરાને હિન્દુ નામ આપ્યું છે' - કિશ્વર મર્ચન્ટ
ટેસ્ટમાં ભારતના સૌથી સફળ ટોપ-10 વિકેટકીપરમાં ત્રણ ગુજ્જુ સામેલ
સુરતના 3 સૌથી મોટા મોલ, જાણો તેમના નામ
માત્ર એક એલચી દરરોજ ખાવાથી જાણો શું થાય છે?
જાણો કોણ છે કૌશિક ભરવાડ, જેનું મારે કપડાં મેચિંગ કરવા છે ગીત ફેમસ થયું છે

ચૂંટણી પછી મૃત્યુદંડમાં વધારો થયો

HRNGOએ વધુમાં જણાવ્યું કે ઈરાનમાં 6 જુલાઈના રોજ રાષ્ટ્રપતિની ચૂંટણી બાદ એક મહિનામાં ઓછામાં ઓછા 87 લોકોને ફાંસી આપવામાં આવી છે. આ બુધવાર સુધીમાં, 2024 માં ફાંસી આપવામાં આવનાર લોકોની કુલ સંખ્યા 338 પર પહોંચી ગઈ છે.

એમ્નેસ્ટી ઈન્ટરનેશનલ અનુસાર ઈરાને 2023માં 853 લોકોને મોતની સજા સંભળાવી હતી. જે છેલ્લા 8 વર્ષમાં સૌથી વધુ છે. એમ્નેસ્ટી ઇન્ટરનેશનલે અહેવાલ આપ્યો છે કે 2023 માં મૃત્યુદંડની સજાના 64 ટકા એવા ગુનાઓ માટે હતા જેના માટે આંતરરાષ્ટ્રીય કાયદામાં મૃત્યુદંડની કોઈ જોગવાઈ નથી, જેમાં ડ્રગ સંબંધિત ગુનાઓ, લૂંટ અને જાસૂસીનો સમાવેશ થાય છે.

SVPI એરપોર્ટના ટર્મિનલ-2 પરની 'હલચલ વોલ' બની આકર્ષણનું કેન્દ્ર
SVPI એરપોર્ટના ટર્મિનલ-2 પરની 'હલચલ વોલ' બની આકર્ષણનું કેન્દ્ર
સુરત: પથ્થરમારાની ઘટના બાદ સૈયદપુરામા ગેરકાયદે મિલકતો પર ફર્યુ બુલડોઝર
સુરત: પથ્થરમારાની ઘટના બાદ સૈયદપુરામા ગેરકાયદે મિલકતો પર ફર્યુ બુલડોઝર
ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટનામાં મોટો ખુલાસો, તમામ આરોપી સગીર વયના
ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટનામાં મોટો ખુલાસો, તમામ આરોપી સગીર વયના
Surat : પથ્થરમારો કરનારાઓને પોલીસે તેમના ઘરના તાળા તોડી બહાર કાઢ્યા
Surat : પથ્થરમારો કરનારાઓને પોલીસે તેમના ઘરના તાળા તોડી બહાર કાઢ્યા
Vadodara : અલગ અલગ વિસ્તારોમાં ગણેશ મંડળની મૂર્તિ ખંડિત કરવાની 3 ઘટના
Vadodara : અલગ અલગ વિસ્તારોમાં ગણેશ મંડળની મૂર્તિ ખંડિત કરવાની 3 ઘટના
આજે સુરતમાં યોજાશે શાંતિ સમિતિની બેઠક
આજે સુરતમાં યોજાશે શાંતિ સમિતિની બેઠક
શાંતિ ભંગ.. સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારો, અત્યાર સુધીમાં 33ની ધરપકડ
શાંતિ ભંગ.. સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારો, અત્યાર સુધીમાં 33ની ધરપકડ
અમરેલીના શિક્ષક ચંદ્રેશ બોરીસાગરને બેસ્ટ નેશનલ ટીચરનો ઍવોર્ડ- Video
અમરેલીના શિક્ષક ચંદ્રેશ બોરીસાગરને બેસ્ટ નેશનલ ટીચરનો ઍવોર્ડ- Video
ભાદરવી પૂનમને લઈને માઈ ભક્તોના પ્રસાદ માટે અંબાજીમાં ધમધમ્યા રસોડા
ભાદરવી પૂનમને લઈને માઈ ભક્તોના પ્રસાદ માટે અંબાજીમાં ધમધમ્યા રસોડા
માણસોની જેમ આ માછલીઓ પણ જાણે છે અંકગણિતની ફોર્મ્યુલા
માણસોની જેમ આ માછલીઓ પણ જાણે છે અંકગણિતની ફોર્મ્યુલા
g clip-path="url(#clip0_868_265)">