Surat : હવે અધવચ્ચેથી અભ્યાસ છોડી જનારા વિદ્યાર્થીઓને પણ VNSGU પ્રમાણપત્ર આપશે

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી ગુજરાતની પહેલી યુનિવર્સીટી બની છે. જે નવી શિક્ષણ નીતિનો અમલ કરવા જઈ રહી છે. અધવચ્ચે અભ્યાસ છોડીને જનારા વિદ્યાર્થીઓને પણ તેઓએ જેટલો અભ્યાસ કર્યો હશે તેટલું પ્રમાણપત્ર મળશે. ઉપરાંત વિદેશ જનારા વિદ્યાર્થીઓને પણ ક્રેડિટ મળશે.

Surat : હવે અધવચ્ચેથી અભ્યાસ છોડી જનારા વિદ્યાર્થીઓને પણ VNSGU પ્રમાણપત્ર આપશે
Surat: VNSGU will now issue certificates to students who have dropped out in the meantime
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 16, 2021 | 1:17 PM

સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીમાં(Veer Narmad South Gujarat University ) સેનેટ સભામાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત સ્ટેટ્યુટમાં સુધારા વધારાને મંજૂરી આપવામાં આવી હતી. યુનિવર્સીટીએ સ્ટેટ્યુટમાં કરેલા ફેરફારને પગલે હવે પ્રવર્તમાન શૈક્ષણિક વર્ષ 2021-22થી એકથી વધુ પ્રકારના વિવિધ સર્ટિફિકેટ કોર્સને પણ લીલી ઝંડી મળી ગઈ છે. અને હવે ગ્રેજ્યુએશન કોર્સ દરમ્યાન પહેલા વર્ષનું શિક્ષણ સફળતાપૂર્વક પાસ કર્યા પછી સર્ટિફિકેશન, બીજા વર્ષે ડિપ્લોમા, ત્રીજા વર્ષે ગ્રેજ્યુએશન અને ચોથા વર્ષે ઓનર્સની ડિગ્રી મળશે.

આવું થવાથી યુનિવર્સીટીમાં અધૂરો અભ્યાસ છોડનારા વિદ્યાર્થીઓને પણ ફાયદો થશે. જેટલું ભણ્યા હોય તેટલું પ્રમાણપત્ર વિદ્યાર્થીઓને મળશે. વિદેશ અભ્યાસનું આયોજન કરી રહેલા વિદ્યાર્થીઓની ક્રેડિટ પણ ટ્રાન્સફર કરી શકાશે. આમ વિદ્યાર્થીઓ માટે નેશનલ એજ્યુકેશન પોલિસી અત્યંત ઉપયોગી નીવડશે.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી ગુજરાતની પહેલી યુનિવર્સીટી બની છે જ્યાં હવે નેશનલ એજ્યુકેશન પોલીસીનો અમલ શરૂ કરી દેવામાં આવશે. યુનિવર્સીટીના કુલપતિએ જણાવ્યું હતું કે ચાલુ વર્ષથી મલ્ટીપલ સર્ટિફિકેશન પોલીસીનો અમલ શરૂ કરવામાં આવશે. જેમાં વિદ્યાર્થીઓને તેમના વાર્ષિક શિક્ષણ મુજબ સર્ટિફિકેશન આપવામાં આવશે. તેઓને જે ડિગ્રી સર્ટિફિકેટ મળશે તેને વૈશ્વિક સ્તરે માન્યતા નહીં મળે પણ ક્રેડિટ ટ્રાન્સફરનો ફાયદો વિદ્યાર્થીઓને જરૂર મળશે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

જેથી મલ્ટીપલ સર્ટિફિકેશન પોલિસી અંતર્ગત વિદેશ જતા વિદ્યાર્થીઓને તેનો ફાયદો મળી શકશે. વર્તમાન શૈક્ષણિક વર્ષથી નવી શિક્ષણ નીતિ અમલમાં લાવનારી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી ગુજરાતની પહેલી યુનિવર્સીટી બની છે. વિદ્યાર્થીઓના હિતને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું કુલપતિએ જણાવ્યું છે.

અન્ય મહત્વના નિર્ણયો પણ યુનિવર્સીટી દ્વારા લેવામાં આવ્યા છે. જેમાં કુલપતિની વય મર્યાદા 65 વર્ષની કરાઈ છે, બીએસસી નર્સીંગ માટે અલગ બોર્ડ પણ બનાવવામાં આવ્યું છે. ઓનલાઇન પરીક્ષામાં ગેરરીતિ કરતા વિદ્યાર્થીઓને સજા આપવાના નિયમો મંજુર કરાયા છે. ફેકલ્ટીમાં સ્કિલ ડેવલપમેન્ટ કોર્સ દાખલ કરવામાં આવ્યા છે. એકેડેમિક બેન્ક ક્રેડિટને પણ અમલમાં મુકવામાં આવી છે. આ ઉપરાંત બીએસસી મેડિકલ ટેક્નોલોજી કોર્સનું નામ બદલીને બીએસસી મેડિકલ લેબોરેટરી કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો  :

Surat : શ્રાવણ મહિનો સુરત જિલ્લાના આદિવાસી લોકો માટે આશીર્વાદ સમાન, બીલીપત્રોના વેચાણ થકી કરે છે કમાણી

Surat : હવે અધવચ્ચેથી અભ્યાસ છોડી જનારા વિદ્યાર્થીઓને પણ VNSGU પ્રમાણપત્ર આપશે

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">