Surat : ઉનાળામાં પાણીજન્ય રોગમાં ઝાડા ઉલ્ટીના કેસ વધ્યા, અખંડ આનંદ કોલેજના ક્લાર્ક સહીત બે વ્યક્તિના મોત

શહેરમાં (Surat )પડી રહેલી કાળઝાળ ગરમીમાં પાણીજન્ય રોગોનો વધારો થઇ રહ્યો છે. નવી સિવિલ હોસ્પિટલના મેડીસીન વિભાગના એચઓડી ડો.કે.એન.ભટ્ટે જણાવ્યું કે, નવી સિવિલ હોસ્પિટલમાં પાણીજન્ય રોગોના કેસોની સંખ્યામાં વધારો થવા લાગ્યો છે

Surat : ઉનાળામાં પાણીજન્ય રોગમાં ઝાડા ઉલ્ટીના કેસ વધ્યા, અખંડ આનંદ કોલેજના ક્લાર્ક સહીત બે વ્યક્તિના મોત
New Civil Hospital (File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 03, 2022 | 10:08 AM

સુરતની (Surat )અખંડ આનંદ કોલેજના ક્લાર્ક સહિત બે વ્યક્તિના ઝાડા-ઊલટીમાં મોત (Death )થયા છે. હાલ શહેરમાં ગરમીના(Heat ) તાપમાનનો પારો ઉચ્ચ સપાટી પર પહોંચ્યો છે. અમુક લોકો ગરમી સહન નહીં કરી શકતા હોય પાણીજન્ય બીમારીમાં સપડાઇ રહ્યા છે. શહેરના કતારગામ વેડરોડ વિસ્તારના રહેવાસીઓ પૈકી ઘણા લોકો ઝાડાઉલ્ટીની બીમારીમાં સપડાઇ રહ્યા છે. એક આધેડનું ઝાડા-ઊલટીની બીમારીમાં મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. કતારગામ વિસ્તારમાં વિજયનગર સોસાયટીમાં રહેતા ૫૫ વર્ષીય કિરણકુમાર મણિશંકર પાઠક અખંડ આનંદ કોલેજમાં ક્લાર્ક તરીકેની ફરજ બજાવી રહ્યા હતા. જેઓ ત્રણ દિવસ પહેલા ઝાડા-ઊલટીની બીમારીમાં સપડાયા હતા. કિરણકુમારે બીમારીને લઇને સામાન્ય ક્લિનિકમાં સારવાર કરાવી દવા લેતા અમુક સમય માટે તેને સારું રહેતું હતું. જોકે રવિવારે સવારના સમયે પોતે બેભાન થઇ જતાં તેમની પત્ની સંગીતાબેન તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઇ તપાસીને મૃત જાહેર કર્યા હતા.

અન્ય બનાવમાં મધ્યપ્રદેશના રહેવાસી ૨૭ વર્ષીય ઇતરીબેન મગનલાલ ગરાસિયા ધુળેટી બાદ પરિવાર સાથે સચિન વિસ્તારમાં આવેલા રોડ નંબર 12 હોજીવાલા એસ્ટેટમાં કોન્ટ્રાક્ટર પર કડિયા કામ કરવા માટે આવેલા હતા. કાળઝાળ ગરમીમાં ઇતરીબેન કામ કરી રહ્યા હતા. જે રવિવારે ઝાડા-ઉલ્ટીમાં સપડાયા હતા. તેઓની તબિયત વધુ લથડી જતાં ઇતરીબેન બેભાન થઇ જતા તેને સારવાર માટે તેના શેઠ નવી સિવિલ હોસ્પિટલમાં લાવ્યા હતા. જ્યાં તેણીને ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા.

ઉનાળાની સિઝનમાં પાણીજન્ય રોગ ઉઠલો મારતો હોય છે : ડો.કે.એન.ભટ્ટ

શહેરમાં પડી રહેલી કાળઝાળ ગરમીમાં પાણીજન્ય રોગોનો વધારો થઇ રહ્યો છે. નવી સિવિલ હોસ્પિટલના મેડીસીન વિભાગના એચઓડી ડો.કે.એન.ભટ્ટે જણાવ્યું કે, નવી સિવિલ હોસ્પિટલમાં પાણીજન્ય રોગોના કેસોની સંખ્યામાં વધારો થવા લાગ્યો છે. ઉનાળાની ગરમીમાં લોકો સમયસર પાણી ન પીવે અથવા તો કોઇ વ્યક્તિ ચોખ્ખું પાણી ન પીવે તો તે પાણીજન્ય રોગમાં સપડાઇ શકે છે. ઉનાળાની દરેક સિઝનમાં આવા રોગો ઉઠલા મારતા હોય છે. અમુક વ્યક્તિમાં ડિહાઇડ્રેશન થવાથી પણ તે બીમાર થઇ શકે છે. ત્યારે ઉમરલાયક વ્યક્તિઓ કે જે અન્ય બીમારીમાં સપડાયેલા હોય તેવા લોકોને પાણીજન્ય રોગો પેહલા ઝપેટમાં લે તેવી શક્યતા હોય છે. હાલની કાળઝાળ ગરમીમાં લોકોમે માથામાં દુખાવો, તાવ આવવો, ગભરામણ થવુ અને ચક્કર આવવા તેવા લક્ષણો દેખાઇ રહ્યા છે. શહેરીજનો ઉનાળાની આ સિઝનમાં તકેદારી રાખવી જરૂરી છે.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

આ પણ વાંચો :

Surat : મહાનગરપાલિકાની સામાન્ય સભામાં મોડી રાત સુધી AAPના ધરણાં, દરખાસ્તો પર ચર્ચા પહેલા જ સભા પુરી કરી દેતા રોષ

જામીન મળ્યા બાદ જીગ્નેશ મેવાણી આકરા પાણીએ, કહ્યું ‘ભાજપ મારી બદલે આસામની સમસ્યાઓ પર ધ્યાન આપે’

Latest News Updates

અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
g clip-path="url(#clip0_868_265)">