AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : મહાનગરપાલિકાની સામાન્ય સભામાં મોડી રાત સુધી AAPના ધરણાં, દરખાસ્તો પર ચર્ચા પહેલા જ સભા પુરી કરી દેતા રોષ

સુરત મહાનગરપાલિકાની (SMC) સામાન્ય સભા (General meeting) મળી હતી. જેમાં આમ આદમી પાર્ટીના નગરસેવકો બે દરખાસ્ત રજૂ કરવાના હતા. પરંતુ તેઓ દરખાસ્તો રજૂ કરે તે પહેલા જ સામાન્ય સભા બરખાસ્ત કરી દેવાઈ હતી.

Surat : મહાનગરપાલિકાની સામાન્ય સભામાં મોડી રાત સુધી AAPના ધરણાં, દરખાસ્તો પર ચર્ચા પહેલા જ સભા પુરી કરી દેતા રોષ
Surat AAP's Protest till late night in the general meeting of the corporation
Parul Mahadik
| Edited By: | Updated on: May 01, 2022 | 10:06 AM
Share

સુરત (Surat ) મહાનગરપાલિકાની સામાન્ય સભા બરખાસ્ત કરી દેવાતાં આમ આદમી પાર્ટીના નગરસેવકોએ મોડી રાત સુધી ધરણાં (Protest) યોજ્યા. ગઈકાલે સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા (General meeting) મળી હતી. જેમાં આમ આદમી પાર્ટીના નગરસેવકો બે દરખાસ્ત રજૂ કરવાના હતા. પરંતુ તેઓ દરખાસ્તો રજૂ કરે તે પહેલા જ સામાન્ય સભા બરખાસ્ત કરી દેવાઈ હતી. તેમની દરખાસ્ત પહેલા જ સભા બરખાસ્ત કરી દેવાતાં AAPના નગરસેવકો રોષે ભરાયા હતા અને મોડી રાત સુધી સભાખંડમાં ધરણા પર બેસી રહ્યા હતા.

શનિવારે સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા મળી હતી. જેમાં વિપક્ષ આપના કોર્પોરેટર કેટલીક રજૂઆત કરી હતી. લાઇટ એન્ડ ફાયર સમિતિ હસ્તકની કતારગામ ઝોનમાં સ્ટ્રીટ લાઇટ પોલ ઊભા કરી એલઇડી સભા ફિટિંગ્સ લગાડવાની કામગીરીના કારણે શહેરમાં ઘણાં સ્થળેથી લાઇટો બંધ થઇ જતી હોવાની અને કેટલાંક કિસ્સાઓમાં અંધારાને કારણે મા-બેન-દીકરીઓ સાથે અઘટિત ઘટનાઓ થતી હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. વિપક્ષી સભ્ય દ્વારા મહિલાઓ સાથે દુષ્કર્મ થતો હોવાનો ઉલ્લેખ કરાતાં શાસકપક્ષના સભ્યોએ ભારે હોબાળો મચાવ્યો હતો અને મહિલાઓનું અપમાન કર્યુ હોવાનો આક્ષેપ ફગાવ્યો હતો.

ભારે હોબાળો થતાં મેયરે મંચ પરથી સભા પૂર્ણ થવાની જાહેરાત કરી દીધી હતી. જોકે, સામાન્યસભામાં બે વધારાની દરખાસ્તો રજૂ કરાઇ હતી, પરંતુ આ દરખાસ્તો પર વિપક્ષને ચર્ચા કરવાની તક મળે તે પહેલા જ સભાગૃહમાં બોર્ડ સમાપ્તિની જાહેરાત થઈ જતાં વિપક્ષી સભ્યોએ ભારે હોબાળો કર્યો હતો. મેયર દ્વારા વિપક્ષની દરખાસ્ત પર ચર્ચા કરવાને બદલે પૂર્વ આયોજીત ષડયંત્રના ભાગરૂપે સભાગૃહમાં ભાજપી સભ્યો પાસે હોબાળો કરાવી સમાપ્તિની જાહેરાત કરાઇ હોવાનો આક્ષેપ વિપક્ષી સભ્ય દ્વારા કરવામાં આવ્યો હતો. સભા પૂર્ણ થયા બાદ વિપક્ષી સભ્યોએ સભાગૃહમાં ધરણાં કર્યા હતા અને સભાગૃહમાંથી મેયર સહિતના શાસકપક્ષના તમામ સભ્યો, અધિકારીઓ, સેક્રેટરી વિભાગનો સ્ટાફ પણ ગૃહમાંથી રવાના થઇ ગયા હતા.

વિપક્ષી દ્વારા સભાગૃહ પૂર્ણ થયા બાદ પણ પોતાના ધરણાં યથાવત રાખવામાં આવ્યા હતા. મનપાના સિક્યુરિટી વિભાગનો સ્ટાફ સભાગૃહમાં વિપક્ષી સભ્યોના ધરણાંના કારણે હાજર રહ્યો હતો. સામાન્યસભા પૂર્ણ થયા બાદ ગૃહમાંથી મેયર સહિતના પદાધિકારીઓ, ભાજપના સભ્યો, કમિશનર સહિતના અધિકારીઓ નીકળી ગયા, પરંતુ વિપક્ષી સભ્યોએ ગૃહમાં મોડે સુધી ધરણાં પર બેસી વિરોધ દર્શાવ્યો. એટલું જ નહીં રાતવાસો પણ સભાખંડમાં જ કર્યો હતો.

આમ પાણીના મીટર હટાવવા, વર્ગ4 ના કર્મચારીઓની ભરતી કરવા જેવા અલગ અલગ મુદ્દાઓને લઈને માગ પર અડગ રહી સભાખંડમાં જ ધરણાં પર બેસેલા આપના નગરસેવકોને મળવા ગોપાલ ઇટલીયા અને ઇલેક્શન ઇન્ચાર્જ ગુલાબસિંહ યાદવ પણ પહોંચ્યા હતા પણ તેઓને મળવા દેવામાં આવ્યા નહોતા. હવે જોવાનું એ રહેશે કે આપના નગરસેવકોની આ લડાઈ કેટલી લાંબી ચાલે છે.

આ પણ વાંચો-Gujarat Assembly elections 2022: આપના રાષ્ટ્રીય પ્રમુખ કેજરીવાલ આજે ગુજરાત પ્રવાસે, ભરુચમાં આદિવાસી સંકલ્પ મહાસંમેલનને સંબોધશે

આ પણ વાંચો-જામીન મળ્યા બાદ જીગ્નેશ મેવાણી આકરા પાણીએ, કહ્યું ‘ભાજપ મારી બદલે આસામની સમસ્યાઓ પર ધ્યાન આપે’

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">