AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જામીન મળ્યા બાદ જીગ્નેશ મેવાણી આકરા પાણીએ, કહ્યું ‘ભાજપ મારી બદલે આસામની સમસ્યાઓ પર ધ્યાન આપે’

ગુજરાતના (Gujarat) ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ કહ્યું, 'આ શરમજનક બાબત છે કે એક મહિલા પોલીસ અધિકારીનો ઉપયોગ કરીને તેને સામે રાખવામાં આવી અને બીજી વખત મારી વિરુદ્ધ FIR નોંધવામાં આવી.'

જામીન મળ્યા બાદ જીગ્નેશ મેવાણી આકરા પાણીએ, કહ્યું 'ભાજપ મારી બદલે આસામની સમસ્યાઓ પર ધ્યાન આપે'
Jignesh Mevani (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: May 01, 2022 | 7:26 AM
Share

ગુજરાતના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી (Jignesh Mevani) આસામની કોર્ટ દ્વારા જામીન આપ્યાના એક દિવસ બાદ રાજ્યની સત્તારૂઢ ભાજપ  (BJP) સરકાર પર નિશાન સાધ્યું છે. આસામ સરકાર (Assam Government) પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે અન્ય રાજ્યોના ધારાસભ્યોની ખોટા આરોપમાં ધરપકડ કરવાને બદલે તમારે પૂર્વોત્તર રાજ્યની સમસ્યાઓ પર ધ્યાન આપવું જોઈએ. તમને જણાવી દઈએ કે આસામ પોલીસ દ્વારા 19 એપ્રિલના રોજ વડગામના અપક્ષ ધારાસભ્ય મેવાણીની ગુજરાતના પાલનપુરથી ધરપકડ કરવામાં આવી હતી, ત્યારબાદ તેમને આસામ લાવવામાં આવ્યા હતા. આસામ પોલીસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) વિરુદ્ધ કથિત ટ્વીટને લઈને મેવાણી વિરુદ્ધ આ કાર્યવાહી કરી હતી.

ભાજપે આ મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર

જોકે આ કેસમાં તેને 25 એપ્રિલે જામીન મળી ગયા હતા. પરંતુ તે જ દિવસે, મેવાણીની ફરી એક મહિલા પોલીસ અધિકારી પર હુમલો કરવા બદલ બારપેટા જિલ્લા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. જો કે આ કેસમાં મેવાણીને શુક્રવારે જામીન મળી જતા રાહત મળી છે. મેવાણીએ શનિવારે કહ્યું હતુ કે , ‘ગુજરાત અથવા અન્ય રાજ્યોના કોઈપણ ધારાસભ્યને નિશાન બનાવવાને બદલે, આસામ સરકારે પાવર કટ, બેરોજગારી ઘટાડવા, નાના-મધ્યમ ઉદ્યોગોને પુનર્જીવિત કરવા, ખેડૂતો અને મજૂરોની સ્થિતિ સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.’

મેવાણીએ PM મોદી પર આરોપ લગાવ્યા

તેમણે કહ્યું, ‘હું આશા રાખું છું કે ભવિષ્યમાં કોઈ ધારાસભ્ય અથવા સામાન્ય નાગરિકના બંધારણીય અધિકારોનું આ રીતે ઉલ્લંઘન નહીં થાય. હું આસામમાં ન્યાયતંત્ર અને રાજ્યના લોકો, મારા વકીલો, આસામ કોંગ્રેસ નેતૃત્વ અને મીડિયાનો તેમના સમર્થન માટે આભાર માનું છું.” ગુજરાત જતા પહેલા ગુવાહાટીમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા મેવાણીએ આરોપ લગાવ્યો કે તેમને વડાપ્રધાનની મુલાકાતમાં હાજર રહેવા માટે કહેવામાં આવ્યું હતું. વધુમાં તેણે જણાવ્યું કે,PMOની સૂચનાને પગલે આસામ સરકારે તેની ધરપકડ કરી હતી.

‘હું મારા સ્ટેન્ડથી એક ઈંચ પણ પાછળ નહીં હટું’

વધુમાં જિગ્નેશ મેવાણી કહ્યું, ‘આ મારી વિરુદ્ધ એક ષડયંત્ર હતું. મારા ટ્વીટનો અર્થ PM  મોદીને કોમી અથડામણ બાદ ગુજરાતમાં શાંતિ અને સૌહાર્દની અપીલ કરવાનો હતો. શરમજનક બાબત છે કે એક મહિલા પોલીસ અધિકારીનો ઉપયોગ કરીને સામે રાખવામાં આવી અને બીજી વખત મારી સામે FIR નોંધવામાં આવી. હું ભાજપ અને આસામ સરકારને કહેવા માંગુ છું કે મારા પર ગમે તેટલા કેસ દાખલ કરવામાં આવે, પરંતુ હું મારા સ્ટેન્ડથી એક ઈંચ પણ પાછળ નહીં હટું.

આ પણ વાંચો :  Ahmedabad : શહેરના પોશ વિસ્તારમાં યુવાનોને ડ્રગ્સમાં રવાડે ચઢાવવાના ષડયંત્રનો પર્દાફાશ, જાણો વિગતે

આ પણ વાંચો : Valsad : ઉમરગામ નજીક રેલવે ટ્રેકના પાટા પર પથ્થર મૂકી ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ, મોટી દુર્ઘટના ટળી 

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">