28 મેના મોટા સમાચાર : ઝુંડાલમાં બાબા બાગેશ્વરના દરબારને નડ્યુ વરસાદનું વિઘ્ન, તોફાની પવનમાં દરબારનો મંડપ તૂટ્યો, કરા પડતા ભાવિકો આમ તેમ દોડ્યા

TV9 Gujarati
| Edited By: | Updated on: May 28, 2023 | 11:55 PM

Gujarat News Live: આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

28 મેના મોટા સમાચાર : ઝુંડાલમાં બાબા બાગેશ્વરના દરબારને નડ્યુ વરસાદનું વિઘ્ન, તોફાની પવનમાં દરબારનો મંડપ તૂટ્યો, કરા પડતા ભાવિકો આમ તેમ દોડ્યા

આજે 28 મેને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. સાથે જ આજે નવા સંસદ ભવનનું ઉદ્દઘાટન પણ થશે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 28 May 2023 10:25 PM (IST)

    Ahmedabad: ઝુંડાલમાં બાબા બાગેશ્વરના દરબારને નડ્યુ વરસાદનું વિઘ્ન, તોફાની પવનમાં દરબારનો મંડપ તૂટ્યો, કરા પડતા ભાવિકો આમ તેમ દોડ્યા

    અમદાવાદ સહિત આસપાસના પંથકમાં આવેલા ધોધમાર વરસાદને કારણે બાબા બાગેશ્વરના દરબારને પણ વરસાદનું વિઘ્ન નડ્યુ. ગાંધીનગરમાં ઝુંડાલ સ્થિત આજે બાબાના દિવ્ય દરબારનું આયોજન હતુ. જો કે સાંજના સમયે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. ભારે પવનને કારણે બાબાના દરબારનો મંડપ તૂટી પડ્યો હતો. કરા સાથે ધોધમાર વરસાદ વરસતા ભાવિકો ખુરશીનો સહારો લેતા જોવા મળ્યા હતા. ટપોટપ કરા પડતા ભાવિકો ખુરશી માથા પર લઈ આમતેમ દોડતા દૃશ્યમાન થયા હતા.

  • 28 May 2023 09:53 PM (IST)

    Vande Bharat Express: આસામને મળશે દેશની સૌથી ઝડપી વંદે ભારત એક્સપ્રેસ, પીએમ મોદી બતાવશે લીલી ઝંડી

    Tripura: આસામના લોકોને આવતીકાલે એટલે કે 29 મે, 2023ના રોજ મોટી ભેટ મળવા જઈ રહી છે. મળતી માહિતી મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે આસામની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવશે. આ સાથે વડાપ્રધાન મોદી રાજ્યને નવા ઈલેક્ટ્રીફાઈડ વિભાગો પણ સમર્પિત કરશે. પીએમ મોદી બપોરે 12 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આસામની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપશે.

  • 28 May 2023 09:17 PM (IST)

    Surat: ભારત રક્ષા મંચના અભ્યાસ વર્ગમાં કાજલ હિન્દુસ્તાનીનું નિવેદન, બાગેશ્વર ધામનું કર્યુ સમર્થન

    સુરતમાં ભારત રક્ષા મંચના અભ્યાસ વર્ગમાં કાજલ હિન્દુસ્તાની બાબા બાગેશ્વરના સમર્થનમાં ખુલીને આવ્યા. તેમણે કહ્યું બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી હિન્દુ રાષ્ટ્ર માટે કાર્ય કરી રહ્યાં છે. તો લવ જેહાદ અને ધર્માંતરણ સહિતના મુદ્દે હિન્દુઓને એકસંપ થવા હાકલ કરી હતી. કાજલ હિંદુસ્તાનીએ કહ્યું કે મારી પાછળ અસુરી શક્તિઓ પડી હોવાથી મારે પણ બાલાજીના આશીર્વાદની જરૂર છે.

    સનાતનનો વિરોધ કરનારા પર પ્રહાર કરતા કાજલ હિંદુસ્તાનીએ કહ્યું કે મારી પાછળ પણ કેટલાક અસુરો પડ્યા છે. જેથી મારે પણ બાલાજીના આશીર્વાદની જરૂર છે. બાબા બાગેશ્વરના કાર્યક્ર્મમાં કાજલ હિંદુસ્તાની હજાર રહશે તેવું પણ જણાવતા સાથે સનાતન ધર્મને આગળ વધારવાની વાત કરી હતી. ભારત રક્ષા મંચના અભ્યાસ વર્ગદરમાયન આ નિવેદન સામે આવ્યું છે. બાબાના આશીર્વાદ લેવા કાર્યક્ર્મમાં કાજલ હિંદુસ્તાની પહોંચશે.

  • 28 May 2023 08:57 PM (IST)

    Ahmedabad: વરસાદ પડતા વિવિધ સ્થળે ઝાડ પડવાના કોલ નોંધાયા

    શહેરમાં સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યા બાદ ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો હતો અને વરસાદ પડતા વિવિધ સ્થળે ઝાડ પડવાના કોલ નોંધાયા છે. ફાયર બ્રિગેડના કંટ્રોલરૂમમાં આ કોલ નોંધાયા છે. રાયખડ સહિત 5 સ્થળો પર ઝાડ પડવાના કોલ નોંધાયા છે. જ્યારે આશ્રમ રોડ પર બાટા શોરૂમ પાસે એક બિલ્ડિંગમાં લિફ્ટ બંધ થતા કેટલાક લોકો ફસાયા હતા, જેને ફાયર બ્રિગેડે રેસ્ક્યુ કર્યું છે.

  • 28 May 2023 08:10 PM (IST)

    અમદાવાદના મીઠાખળી અંડરપાસમાં પાણી ભરાતા વાહનચાલકો માટે કરાયો બંધ, વાસણા બેરેજના 2 દરવાજા 2 ફૂટ ખોલાયા

    Ahmedabad: અમદાવાદમાં વરસાદને પગલે કોર્પોરેશન દ્વારા કામગીરી કરવામાં આવી છે. મીઠાખળી અંડરપાસમાં પાણી ભરાતા વાહનચાલકો માટે બંધ કરવામાં આવ્યો છે. વધુ વાંચો

  • 28 May 2023 07:33 PM (IST)

    Gujarat News Live : અમદાવાદ શહેરમાં વરસાદ સાથે વરસ્યા કરા, મહેસાણા, પાટણ, બોટાદ, ભાવનગર, મહિસાગર જિલ્લાના અનેક વિસ્તારમાં પડ્યો વરસાદ

    ગુજરાતમાં આજે સાંજે એકાએક વાતાવરણ પલટાવા સાથે અનેક જિલ્લામાં વરસાદ વરસ્યો હતો. અમદાવાદ શહેરમાં ગાજવીજ સાથે પડેલા વરસાદની સાથે કરા વરસ્યા હતા. તો મહેસાણા, પાટણ, બોટાદ, ભાવનગર, મહિસાગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આજે સાંજે વરસાદ વરસ્યો હતો.

  • 28 May 2023 07:30 PM (IST)

    Gujarat News Live : અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં ભરાયા વરસાદી પાણી

    હવામાન વિભાગની આગાહી મુજબ, આજે રવિવારે સાંજે રાજ્યના કેટલાક જિલ્લામાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો. અમદાવાદ શહેરમાં મોડી સાંજે, ગાજવીજ સાથે કરા વરસ્યા હતા. અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં પડેલા વરસાદથી વરસાદી પાણી ભરાયા હતા. વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ચોમાસા પૂર્વે પડેલા વરસાદને કારણે મહાનગરપાલિકાના તંત્રની ચોમાસાને લઈને કરાયેલ તૈયારીઓને લઈને સવાલો ઊભા થયા છે.

  • 28 May 2023 06:37 PM (IST)

    Gujarat News Live : મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ થવા પર કેન્દ્રીય મંત્રી દરેક રાજ્યોમાં યોજશે પ્રેસ કોન્ફરન્સ

    મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ થવા પર આવતીકાલ 29 મેના રોજ કેન્દ્રીય મંત્રીઓ દેશભરના તમામ રાજ્યોની રાજધાનીઓમાં એક સાથે પ્રેસ કોન્ફરન્સ કરશે. ભાજપના મુખ્યમંત્રીઓ સાથે કેન્દ્રીય મંત્રી મોદી સરકારની 9 વર્ષની તમામ ઉપલબ્ધિઓ પર આધારિત પ્રેઝન્ટેશન આપશે. જ્યાં ભાજપની સરકાર નથી ત્યાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ કેન્દ્ર સરકારના મંત્રીઓ સાથે પ્રેસને સંબોધશે.

  • 28 May 2023 06:26 PM (IST)

    Gujarat News Live : અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસ્યો વરસાદ

    અમદાવાદમાં સાંજે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. શહેરમાં ગાજવીજ થવા સાથે કેટલાક વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગે, આજે અને આવતીકાલ સોમવારે વરસાદ વરસવાની આગાહી કરી છે.

    અમદાવાદમાં વાતાવરણમાં પલટો અને વરસેલા વરસાદ અંગેના વધુ સમાચાર માટે અહીં ક્લિક કરો

  • 28 May 2023 05:14 PM (IST)

    Gujarat News Live : બોટાદ જિલ્લાના બરવાળા પંથકમાં કમોસમી વરસાદ

    બોટાદ જિલ્લાના બરવાળા પંથકમાં આજે સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો. બરવાળા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. બરવાળા તાલુકાના કુંડળ, બેલા, ટીંબલા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો. ભારે પવન ફુંકાવા સાથે વરસાદ વરસ્યો છે.

  • 28 May 2023 05:08 PM (IST)

    Gujarat News Live : ધંધા રોજગાર મેળવી આર્થિક સધ્ધર ના થાવ ત્યાં સુધી ઘરે પારણું ન બાંધવાની MLA ગેનીબેન ઠાકોર સલાહ

    ડીસામાં ઠાકોર સમાજના સમુહ લગ્નમાં ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનું વધુ એક નિવેદન સામે આવ્યું છે. ગેનીબેન ઠાકોરે સમાજના લોકોને સલાહ આપતા કહ્યું છે કે, જયાં સુધી ધંધા રોજગાર મેળવી આર્થિક સધ્ધર ન થાય ત્યાં સુધી ઘરે પારણું ન બાંધો. સમાજને વ્યસન મુક્ત, કુરિવાજો મુક્ત બનાવી શિક્ષણ વધારવાની અપીલ કરી હતી. ડીસામાં સાતમા સમૂહલગ્નમાં 45 નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડયા હતા.

  • 28 May 2023 04:32 PM (IST)

    Gujarat News Live : પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફ પર લંડનમાં થયો હુમલો

    પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ ઉપર લંડનમાં હુમલો થયો છે. આ હુમલામાં તેની કારને નુકસાન થયું છે. જો કે નવાઝ શરીફનો આબાદ બચાવ છે. કહેવામાં આવી રહ્યું છે કે, પીટીઆઈના સમર્થકોએ નવાઝ શરીફ પર હુમલો કર્યો છે.

  • 28 May 2023 04:30 PM (IST)

    Gujarat News Live : ગુજરાતમાં ગરમીથી મળશે આંશિક રાહત, સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી

    વેસ્ટર્ન ડિસટર્બન્સના કારણે ગુજરાતમાં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે 28 અને આવતીકાલ 29 મે એ રાજ્યમાં વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે. પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની આગાહી છે. તો આણંદ, ભરૂચ, અમરેલી, રાજકોટ, ભાવનગરમાં પણ વરસાદ પડવાની આગાહી કરાઈ છે. અમદાવાદ અને ગાંધીનગરમાં બે દિવસ વાદળછાયું વાતાવરણ રહી શકે છે. ગુજરાતમાં વાતાવરણમાં આવનારા સંભવિત પલટાને લઈને, આગામી 2 દિવસ માછીમારોને દરિયો ના ખેડવા સલાહ આપવામાં આવી છે. રાજ્યના કેટલાક વિસ્તારમાં ભારે પવન ફુંકાવાની પણ સંભાવના વ્યક્ત કરાઈ છે.

  • 28 May 2023 02:30 PM (IST)

    Gujarat News Live : જમ્મુ-કાશ્મીર અને પાકિસ્તાનમાં ભૂકંપના અનુભવાયા આંચકા

    ભારતના જમ્મુ-કાશ્મીર સહીત ઉતર ભારતના કેટલાક રાજ્ય તેમજ પાકિસ્તાન, ચીન, અફઘાનિસ્તાન સહિત 8 દેશોમાં એક સાથે ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ ભૂકંપ સવારે 11.20 વાગ્યે આવ્યો હતો. જમ્મુ-કાશ્મીર ઉપરાંત પંજાબ અને હરિયાણામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે.

  • 28 May 2023 02:12 PM (IST)

    Gujarat News Live : મા અંબાના ચરણોમાં શીશ ઝૂકાવતા બાબા બાગેશ્વર

    ગુજરાતની મુલાકાતે આવેલા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી, આજે અંબાજી મંદિર પહોંચ્યા છે. અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા, બાબા બાગેશ્વરનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અંબાજી મંદિર હવન શાળાના પંડિતો દ્વારા તેમનું ખેસ પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું. અંબાજી મંદિર ટ્રસ્ટનાં અધિકારીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતું. તેમણે બપોરના રાજભોગ આરતીના દર્શન કર્યાં અને વિશેષ પુજા કરાવવામાં આવી હતી તેમજ કપૂર આરતી કરવામાં આવી હતી.

    આ સમાચાર વધુ જાણા અહીં ક્લિક કરો.

  • 28 May 2023 02:09 PM (IST)

    Gujarat News Live : કુમાર કાનાણીએ CM ને લખ્યો પત્ર, કહ્યુ ભેળસેળીયા તત્વો વિરૂદ્ધ કડક કાર્યવાહી માટે કાયદાને વધુ મજબૂત કરો

    ભાજપના ધારાસભ્ય અને પૂર્વ પ્રધાન કુમાર કાનાણીએ, ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને ભેળસેળીયા તત્વો વિરૂદ્ધ કડક કાર્યવાહી માટે કાયદાને વધુ મજબૂત કરવાની માગ કરી છે. ધારાસભ્યનો દાવો છે કે હાલનો કાયદો નબળો છે. જેના કારણે ભેળસેળીયા તત્વોને મોકળુ મેદાન મળી રહ્યું છે. મહત્વપૂર્ણ છે કે પનીર, આઇસક્રિમ,આઈસ ગોળાનો રંગ અને પીઝાના નમૂનાનો રિપોર્ટ ફેઇલ થયો હતો.

    આ સમાચાર વધુ વિગતે જાણવા અહીં ક્લિક કરો.

  • 28 May 2023 01:35 PM (IST)

    New Parliament Building Opening LIVE : અસંખ્ય આકાંક્ષાઓ પૂર્ણ કરવા માટેનો અમૃતકાળ- પીએમ મોદી

    પીએમ મોદીએ કહ્યું કે ગુલામી પછી, આપણા ભારતે ઘણું બધું ગુમાવીને તેની નવી સફર શરૂ કરી. એ સફર અનેક ચડાવ-ઉતારમાંથી પસાર થઈ, અનેક પડકારોને પાર કરીને આઝાદીના સુવર્ણ યુગમાં પ્રવેશી. આઝાદીનો આ અમર સમય વારસાને સાચવીને વિકાસના નવા આયામો સર્જવાનો અમર સમય છે. આઝાદીનો આ અમૃતકાળ દેશને નવી દિશા આપવાનો અમૃતકાળ છે.

  • 28 May 2023 01:32 PM (IST)

    New Parliament Building Opening LIVE : ભારત આગળ વધે છે, ત્યારે વિશ્વ આગળ વધે છે - પીએમ મોદી

    પહેલીવાર નવી સંસદને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે જ્યારે ભારત આગળ વધે છે ત્યારે દુનિયા આગળ વધે છે. આ નવી ઇમારત આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓના સપનાને સાકાર કરવાનું માધ્યમ બનશે. આ નવી ઇમારત આત્મનિર્ભર ભારતના સૂર્યોદયની સાક્ષી બનશે. આ નવી ઇમારત વિકસિત ભારતના સંકલ્પોની પરિપૂર્ણતા જોશે.

  • 28 May 2023 01:26 PM (IST)

    New Parliament Building Opening LIVE : નેશન ફ્રસ્ટની ભાવનાથી આગળ વધવુ પડશે

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, નવા સંસદ ભવન ખાતે સંબોધન કરતા કહ્યું કે, ભારતની જવાબદારી બહુ મોટી છે. સફળતાની પહેલી શરત સફળ થવાનો વિશ્વાસ છે. નેશન ફ્રસ્ટની ભાવનાથી આગળ વધવુ પડશે

  • 28 May 2023 01:24 PM (IST)

    New Parliament Building Opening LIVE : આગામી 25 વર્ષમાં ભારતને વિકસીત રાષ્ટ્ર બનાવવું છે

    25 વર્ષ બાદ આઝાદીના 100 વર્ષ પૂરા થશે. આ 25 વર્ષમાં ભારતને વિકસીત રાષ્ટ્ર બનાવવું છે. લક્ષ્ય મોટુ છે. કઠીન પણ છે. પણ દરેક દેશવાસીઓએ નવો સંકલ્પ કરવાનો છે.

  • 28 May 2023 01:21 PM (IST)

    New Parliament Building Opening LIVE : દેશનો વિકાસ દેશના લોકોનો વિકાસ

    વડાપ્રધાને સંબોધનમાં વધુ જણાવ્યું કે,  30 હજાર નવા પંચાયત ભવન બન્યા છે. પંચાયતથી સંસદ સુધી અમારી નિષ્ઠા એક છે. દેશનો વિકાસ, દેશના લોકોનો વિકાસ રહ્યો છે. 15 ઓગસ્ટે મે લાલકિલ્લા પરથી કહ્યું હતુ. આ સમય છે સાચો સમય છે. દરેક દેશમાં એક એવો સમય આવે છે કે નવી ચેતના પ્રગટે છે.

  • 28 May 2023 01:19 PM (IST)

    New Parliament Building Opening LIVE : નવ વર્ષ નવ નિર્માણના રહ્યા છે, નવ કલ્યાણના રહ્યાં છે.

    નવી સંસદ બનાવનાર શ્રમિકોના યોગદાનને ડિજિટલ લાયબ્રેરીમાં સમાવેશ કરાયો છે. કોઈ નિષ્ણાંત પાછલા નવ વર્ષની સમિક્ષા કરે તો નવ વર્ષ નવ નિર્માણના રહ્યા છે, નવ કલ્યાણના રહ્યાં છે. 11 કરોડ શૌચાલય બન્યા છે તેનુ મને ગર્વ છે. મહિલાઓનુ માથુ ગર્વિન્ત કર્યું છે. 4 લાખ કિલોમીટર રસ્તા બનાવ્યા છે.

  • 28 May 2023 01:17 PM (IST)

    New Parliament Building Opening LIVE : સમયની પણ માંગ હતી કે નવી સંસદની જરૂર રહેશે

    દેશમાં વર્ષોથી નવી સંસદની જરૂર હોવાની વાત થતી આવી હતી. આવનારા વર્ષોમાં સંસદસભ્યોની સંખ્યા વધશે. આથી સમયની પણ માંગ હતી કે નવી સંસદની જરૂર રહેશે. આ સંસદ આધુનિક સુવિધાયુક્ત છે. આ નવા સંસદમાં સૂર્યપ્રકાશ સીધો આવી રહ્યો છે.

  • 28 May 2023 01:15 PM (IST)

    New Parliament Building Opening LIVE : નવી સંસદ દરેક ભારતીયના ગર્વની વાત છે

    વડાપ્રધાન મોદીએ સંબોધન કરતા કહ્યું કે, સંસદની નવી ઈમારત આપણા પ્રયાસનું જીવંત ઉદાહરણ બન્યુ છે. નવી સંસદ દરેક ભારતીયના ગર્વની વાત છે. લોકસભાનો આંતરીક ભાગ મોર આધારિત છે. રાજ્યસભાનો આંતરીક ભાગ કમળ આધારિત છે. સંસદનું પ્રાગણમાં વડ પણ છે.

  • 28 May 2023 01:14 PM (IST)

    New Parliament Building Opening LIVE : દુનિયાના સૌથી સમૃદ્ધ અને વૈભવશાળી રાષ્ટ્રોમાં ભારતની ગણના થાય છે

    ભારતના ભવિષ્યને ઉજ્જવળ બનાવનાર કાર્યસ્થળને પણ નવુ અને આધુનિક હોવુ જોઈએ. દુનિયાના સૌથી સમૃદ્ધ અને વૈભવશાળી રાષ્ટ્રોમાં ભારતની ગણના થાય છે. મંદિર, વાસ્તુ વગેરે દેશની વિશેષજ્ઞા છે. સેંકડો વર્ષની ગુલામીએ આપણું ગૌરવ છીનવી લીધુ હતુ. ભારત આજે ગુલામીની વિચારણસરણીને પાછળ છોડી રહ્યું છે.

  • 28 May 2023 01:09 PM (IST)

    New Parliament Building Opening LIVE : આપણું બંધારણ જ અમારો સંકલ્પ છે

    આપણું બંધારણ જ અમારો સંકલ્પ છે, આ સંસદ દેશનુ પ્રતિનિધિત્વ કરે છે. જે રોકાઈ જાય છે તેનુ ભાગ્ય પણ રોકાઈ જાય છે. જે ચાલતો જાય છે તેનુ ભાગ્ય પણ ચાલતુ રહે છે. ગુલામી બાદ બહુ બઘુ ગુમાવીને આપણે યાત્રા શરુ કરી હતી. અનેક ઉતાર ચડાવ બાદ, કસોટી બાદ આઝાદીના અમૃતકાળમાં પ્રવેશ્યા છીએ.

  • 28 May 2023 01:04 PM (IST)

    New Parliament Building Opening LIVE : નવું સંસદ ભવન બાંધકામને નીતિ સાથે જોડવાની ચાવી છે - પીએમ મોદી

    સંસદ ભવન 140 કરોડ લોકોના સપનાનું પ્રતિબિંબ છે. તે નીતિને બાંધકામ સાથે જોડે છે. સંકલ્પને સિદ્ધિ સાથે જોડવાની આ કડી છે. અમૃતકલ ખાતે લોકોને નવી સંસદની ભેટ.

  • 28 May 2023 01:01 PM (IST)

    દેશની વિકાસયાત્રામાં કેટલીક ક્ષણો અમર બની જાય છે - PM મોદી

    દેશની વિકાસયાત્રામાં કેટલીક ક્ષણો અમર બની જાય છે - PM મોદી

  • 28 May 2023 12:56 PM (IST)

    દેશ એક ઐતિહાસિક ક્ષણનો સાક્ષી છે- લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા

    કાર્યક્રમને સંબોધતા લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું કે દેશ એક ઐતિહાસિક ક્ષણનો સાક્ષી છે. નવું સંસદ ભવન અઢી વર્ષથી પણ ઓછા સમયમાં પૂર્ણ થયું હતું.

  • 28 May 2023 12:50 PM (IST)

    નવું સંસદ ગૃહ લોકશાહીનું પારણું - નવી સંસદમાં ડેપ્યુટી સ્પીકર

    નવી સંસદમાં ડેપ્યુટી સ્પીકરે કહ્યું કે નવું સંસદ ભવન લોકશાહીનું પારણું છે. આ ભવ્ય ઈમારત નવો ઈતિહાસ લખશે. તે ગુલામીની માનસિકતામાંથી મુક્તિનું પ્રતીક છે.

  • 28 May 2023 12:34 PM (IST)

    સંસદ ભવનના ઉદ્ઘાટનને રાજ્યાભિષેક તરીકે ગણી રહ્યા છે: રાહુલ ગાંધી

    કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન પર ટ્વિટ કર્યું છે. મોદી સરકાર પર નિશાન સાધતા તેમણે કહ્યું છે કે સંસદ જનતાનો અવાજ છે. વડાપ્રધાન સંસદ ભવનનાં ઉદ્ઘાટનને રાજ્યાભિષેક તરીકે ગણી રહ્યાં છે.

  • 28 May 2023 12:24 PM (IST)

    આ અમારા માટે ગર્વની ક્ષણ છે: ડેપ્યુટી સ્પીકર હરિવંશ નારાયણ

    નવા સંસદભવનના ઉદ્ઘાટન સમારોહનો બીજો તબક્કો ડેપ્યુટી સ્પીકર હરિવંશ નારાયણના સંબોધન સાથે શરૂ થયો. તેમણે કહ્યું કે નવી સંસદ ભવન વાસ્તુકલાનું અદ્ભુત ઉદાહરણ છે. આ અમારા માટે ગર્વની ક્ષણ છે.

  • 28 May 2023 12:22 PM (IST)

    નવા સંસદ ભવન પહોંચ્યા પીએમ મોદી, ઉદ્ઘાટન સમારોહનો બીજો તબક્કો શરૂ

    નવા સંસદભવનના ઉદ્ઘાટન સમારોહનો બીજો તબક્કો પણ શરૂ થઈ ગયો છે. પીએમ મોદી નવા સંસદ ભવન પહોંચ્યા છે.

  • 28 May 2023 12:21 PM (IST)

    New Parliament Building Opening LIVE: તાળીઓના ગડગડાટ સાથે પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવ્યું, હરિવંશ નારાયણે કહ્યું- ગર્વની ક્ષણ

    તાળીઓના ગડગડાટ સાથે પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. હરિવંશ નારાયણે કહ્યું કે ગર્વની ક્ષણ છે.

  • 28 May 2023 12:02 PM (IST)

  • 28 May 2023 11:38 AM (IST)

    RJD ને મળશે જડબાતોડ જવાબ, કોંગ્રેસ સેંગોલ વિશે ખોટું બોલી રહી છે- પ્રહલાદ જોશી

    કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે દેશમાં જે કંઈ પણ સારું થાય છે તે કોંગ્રેસ પચાવી શકી નથી. તેઓ સેંગોલ વિશે ખોટું બોલી રહ્યા છે. સંસદ લોકશાહીનું મંદિર છે, જે રીતે આરજેડી નવી સંસદ માટે અપશબ્દોનો ઉપયોગ કરી રહી છે, જનતા તેમને જડબાતોડ જવાબ આપશે.

  • 28 May 2023 11:07 AM (IST)

    નવી સંસદને શબપેટી તરીકે વર્ણવવું ખોટું છે - ઓવૈસી

    આરજેડીના ટ્વીટ બાદ AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીનું નિવેદન સામે આવ્યું છે. ઓવૈસીએ આરજેડીની ટીકા કરી છે અને કહ્યું છે કે તેનું કોઈ સ્ટેન્ડ નથી. નવી સંસદ ભવન બનાવવાની જરૂર હતી. સંસદ ભવનને શબપેટી તરીકે વર્ણવવું ખોટું છે. જો કે આ દરમિયાન તેમણે એમ પણ કહ્યું કે જો લોકસભા સ્પીકર તેનું ઉદ્ઘાટન કર્યું હોત તો સારું થાત.

  • 28 May 2023 10:32 AM (IST)

    સુશીલ મોદીએ આરજેડી સામે રાજદ્રોહનો કેસ ચલાવવાની માગ કરી

    આરજેડીના ટ્વીટ પર હંગામો થયો છે. સુશીલ મોદીએ તેના પર નિશાન સાધતા દેશદ્રોહનો કેસ ચલાવવાની માગ કરી છે. આરજેડીએ નવા સંસદ ભવન સાથેના શબપેટીની તસવીર શેર કરી છે.

  • 28 May 2023 09:34 AM (IST)

    CM યોગી આદિત્યનાથે કહ્યું કે ભારતીય લોકશાહીના ઈતિહાસમાં આ નવો સ્વર્ણિમ અધ્યાય

    ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે નવી સંસદમાં સ્થાપિત પવિત્ર 'સેંગોલ'ને ભારતના ન્યાય, સાર્વભૌમત્વ અને શક્તિના પ્રતીક તરીકે વર્ણવ્યું હતું. એક ટ્વિટમાં, તેમણે કહ્યું કે, PM મોદી દ્વારા આજે નવા સંસદ ભવનમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે પવિત્ર 'સેંગોલ'ની સ્થાપના એ ભારતના સાંસ્કૃતિક વારસા અને ઉત્તમ લોકતાંત્રિક મૂલ્યો પ્રત્યે તમામ દેશવાસીઓના આદર અને વિશ્વાસની એકીકૃત અભિવ્યક્તિ છે.

  • 28 May 2023 09:04 AM (IST)

    New Parliament Building Opening LIVE: નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટનમાં સમગ્ર મોદી કેબિનેટ સામેલ

    નવી સંસદ ભવનનાં ઉદ્ઘાટન સમારોહમાં સમગ્ર મોદી કેબિનેટ હાજર છે. આ સિવાય ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ તેમાં ભાગ લેવા પહોંચ્યા છે.

  • 28 May 2023 09:03 AM (IST)

    New Parliament Building Opening LIVE: નવી સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યા બાદ પ્રાર્થના સભાનું આયોજન

    નવી સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યા બાદ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તમામ ધર્મોના પાઠ કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી અને લોકસભા સ્પીકર ઓમ બિરલા સાથે ગૃહમંત્રી અમિત શાહ, જેપી નડ્ડા અને ઘણા દિગ્ગજ નેતાઓ હાજર છે.

  • 28 May 2023 08:38 AM (IST)

    New Parliament Building Opening LIVE: નવા સંસદભવનમાં સર્વધર્મ પાઠ ચાલુ છે

    નવી સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યા બાદ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તમામ ધર્મોના પાઠ કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી અને લોકસભા સ્પીકર ઓમ બિરલા સાથે ગૃહમંત્રી અમિત શાહ, જેપી નડ્ડા અને ઘણા દિગ્ગજ નેતાઓ હાજર છે.

  • 28 May 2023 08:04 AM (IST)

    New Parliament Building Opening LIVE: PM મોદીએ નવું સંસદ ભવન રાષ્ટ્રને સમર્પિત કર્યું

    PM મોદીએ નવું સંસદ ભવન રાષ્ટ્રને સમર્પિત કર્યું. મજૂરોનું પણ સન્માન કર્યું.

  • 28 May 2023 07:58 AM (IST)

    સ્પીકરની જમણી બાજુએ સેંગોલ સ્થાપિત કરવામાં આવ્યું

    પીએમ મોદીએ લોકસભામાં સ્પીકરની જમણી બાજુએ સ્થાપિત કરવામાં આવ્યું. આ દરમિયાન પીએમ મોદી સાથે લોકસભા સ્પીકર ઓમ બિરલા પણ હાજર હતા.

  • 28 May 2023 07:56 AM (IST)

  • 28 May 2023 07:55 AM (IST)

    New Parliament Building Opening LIVE: પીએમ મોદીએ લોકસભામાં સેંગોલની સ્થાપના કરી

    નવા સંસદ ભવનમાં પીએમ મોદીએ સેંગોલની સ્થાપના કરી.

  • 28 May 2023 07:34 AM (IST)

    New Parliament Building Opening LIVE: PM મોદી નવા સંસદ ભવન પહોંચ્યા, ટૂંક સમયમાં જ શરૂ થશે ઉદ્ઘાટન સમારોહ

    પીએમ મોદી નવા સંસદ ભવન પહોંચ્યા છે. હાલમાં તેઓ નવા સંસદ ભવનનાં પૂજા સ્થળ પર છે. ઉદ્ઘાટન સમારોહ ટૂંક સમયમાં શરૂ થશે. ઉદ્ઘાટન સમારોહની શરૂઆત પૂજા હવનથી થશે.

  • 28 May 2023 07:17 AM (IST)

    New Parliament Building Opening: પીએમ મોદી ટુંક સમયમાં નવા સંસદ ભવન પહોંચશે

    પીએમ નરેન્દ્ર મોદી થોડીવારમાં નવા સંસદ ભવન પહોંચવાના છે. આવી સ્થિતિમાં ઘણી જગ્યાએ સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. ઘણા રસ્તાઓ 3 વાગ્યા સુધી બંધ છે. 8 થી 10 હજાર સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.

  • 28 May 2023 07:16 AM (IST)

    New Parliament Building Opening: ગૃહમંત્રી અમિત શાહ અને જેપી નડ્ડા નવા સંસદ ભવન પહોંચ્યા

    નવા સંસદ ભવનના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપવા માટે નેતાઓ ધીમે ધીમે સંસદ ભવન પહોંચવા લાગ્યા છે. ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા પણ સંસદ ભવન પહોંચ્યા છે. પીએમ મોદી પણ થોડીવારમાં નવા સંસદ ભવન પહોંચશે. શેડ્યૂલ મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7.15 વાગ્યે પહોંચશે અને 7.30 વાગ્યાથી ગાંધી મૂર્તિ પાસે બનેલા પંડાલમાં વિધિવત પૂજા શરૂ થશે.

  • 28 May 2023 07:11 AM (IST)

    મહેમાનોનું આગમન સવારે 11.30 વાગ્યાથી શરૂ થશે

    • મહેમાનોનું આગમન સવારે 11.30 વાગ્યાથી શરૂ થશે.
    • 12.00 વાગ્યે વડાપ્રધાન મહાનુભાવો સાથે મંચ પર પહોંચશે.
    • બપોરે 12.07 કલાકે રાષ્ટ્રગીત વગાડવામાં આવશે.
    • ઉપરાષ્ટ્રપતિનું ભાષણ 12.10 વાગ્યે થશે.
    • રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો સંદેશ 12.33 વાગ્યે વાંચવામાં આવશે.
    • વિપક્ષના નેતા 12.38 વાગ્યે રાજ્યસભાને સંબોધિત કરશે.
    • 12.43 વાગ્યે સ્પીકર લોકોને સંબોધિત કરશે.
  • 28 May 2023 06:59 AM (IST)

    સવારે 9.30 સુધીના કાર્યક્રમનું સમય પત્રક

    વડાપ્રધાન મોદી સવારે 7.15 કલાકે વિજય ચોક પહોંચશે.

    ગાંધીજીની પ્રતિમા પાસે બનેલા પંડાલમાં સવારે 7.30 કલાકે પૂજા શરૂ થશે.

    સવારે 8.30 કલાકે પૂજા પૂર્ણ થશે.

    સવારે 8.30 વાગ્યા પછી વડાપ્રધાન અન્ય મહાનુભાવો સાથે ચેમ્બરની મુલાકાત લેશે.

    સવારે 9 થી 9.30 પ્રાર્થના સભા થશે

    સવારે 9.30 વાગ્યા પછી વડાપ્રધાન પ્રાર્થના સભા માટે રવાના થશે.

  • 28 May 2023 06:57 AM (IST)

    થોડીવારમાં હવન-પૂજા શરૂ થશે

    થોડીવારમાં હવન-પૂજા શરૂ થશે. સેંગોલની સ્થાપના વૈદિક પદ્ધતિથી કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 7.15 કલાકે વિજય ચોક પહોંચશે.

  • 28 May 2023 06:49 AM (IST)

    આજે દેશને મળશે નવું સંસદ ભવન, PM નરેન્દ્ર મોદી કરશે ઉદ્ઘાટન

    આજે દેશને નવું સંસદ ભવન મળશે. PM નરેન્દ્ર મોદી ઉદ્ઘાટન કરશે.

Published On - May 28,2023 6:46 AM

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">