તમે તમારા IRCTC એકાઉન્ટથી સગા-સંબંધીની ટિકિટ કરો છો બુક, તો જેલ થશે ? IRCTC એ સાચું કારણ જણાવ્યું

IRCTC ticket booking : ઓનલાઈન ટિકિટ બુકિંગ સિસ્ટમની સરળતાને કારણે લોકો તેમના પોતાના IRCTC આઈડીનો ઉપયોગ કરીને પોતાના માટે તેમજ તેમના મિત્રો અને સંબંધીઓ માટે ટિકિટ બુક કરાવે છે. પરંતુ જો તમે તમારા ખાતામાંથી કોઈ બીજાની ટિકિટ બુક કરાવો છો તો શું તમે જેલમાં જઈ શકો છો? જો તમારા મનમાં પણ આવો જ પ્રશ્ન છે તો ચાલો જાણીએ IRCTC આ અંગે શું કહે છે...

તમે તમારા IRCTC એકાઉન્ટથી સગા-સંબંધીની ટિકિટ કરો છો બુક, તો જેલ થશે ? IRCTC એ સાચું કારણ જણાવ્યું
IRCTC account
Follow Us:
| Updated on: Jun 26, 2024 | 12:17 PM

ભારતીય રેલવે દ્વારા દરરોજ લાખો લોકો મુસાફરી કરે છે. જેમાંથી મોટાભાગના લોકો સ્ટેશન પરથી ઓનલાઈન ટિકિટ બુક કરાવવાને બદલે IRCTC વેબસાઈટ, મોબાઈલ એપ અથવા થર્ડ પાર્ટી સાઈટ પરથી ટિકિટ બુક કરવાનું પસંદ કરે છે.

લોકો તેમના પોતાના IRCTC ID નો ઉપયોગ કરીને તેમના મિત્રો અને સંબંધીઓ માટે ટિકિટ બુક કરાવે છે. પરંતુ જો તમે તમારા ખાતામાંથી કોઈ બીજાની ટિકિટ બુક કરાવો છો તો શું તમે જેલમાં જઈ શકો છો? જો તમારા મનમાં પણ આ જ પ્રશ્ન છે, તો ચાલો જાણીએ IRCTC આ અંગે શું કહે છે.

સર્વ પિતૃ અમાસ પર કરો આ ઉપાયો,પિતૃઓ આપશે આશીર્વાદ!
15 દિવસ સતત ખાલી પેટ જીરાનું પાણી પીવાથી જાણો શું થાય છે?
દવાઓ કરતાં પણ વધુ અસરકારક છે આ 4 છોડ ! અનેક રોગોનો રામબાણ ઈલાજ
શું દારૂ પીધા પછી ઘી ખાવાથી નશો નથી ચડતો ?
Black Pepper : માત્ર 1 કાળા મરી ખાવાથી સ્વાસ્થ્ય પર થાય છે આ અસર
એકાદશીનું વ્રત કેમ કરવું જોઈએ, ઇન્દ્રેશજી મહારાજે જણાવ્યું કારણ

શું છે મામલો?

તાજેતરમાં એવી અફવા હતી કે જો તમે તમારા IRCTC એકાઉન્ટમાંથી અન્ય લોકો માટે ટિકિટ બુક કરાવો છો, તો તમને જેલની સજા થઈ શકે છે. હવે ઓનલાઈન રેલ ટિકિટ બુકિંગ પ્લેટફોર્મ IRCTCએ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા સમાચારને પાયાવિહોણા અને ભ્રામક ગણાવ્યા છે જેમાં કહેવામાં આવ્યું છે કે અલગ-અલગ અટકના કારણે ઈ-ટિકિટ બુક કરવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. IRCTCએ આવા ખોટા સમાચાર ફેલાવવાથી બચવાની સલાહ આપી છે. તેના સ્પષ્ટીકરણમાં, IRCTCએ કહ્યું, તેની સાઇટ પર ટિકિટ બુકિંગ રેલવે બોર્ડની માર્ગદર્શિકા અનુસાર કરવામાં આવે છે.

IRCTCએ સ્પષ્ટતા આપી

આવી પોસ્ટ્સ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે જો કોઈની અટક અલગ છે, તો તે IRCTC વેબસાઇટ પર અલગ અટક ધરાવતા વ્યક્તિ માટે તેના ટિકિટ બુકિંગ એકાઉન્ટમાંથી ટિકિટ બુક કરી શકશે નહીં અથવા એપ્લિકેશન અને અન્ય અટક સાથે ટિકિટ બુક કરાવવા પર પણ સજા થઈ શકે છે. આ સમાચાર વાયરલ થયા પછી IRCTCએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કર્યું.

(Credit Source : @IRCTCofficial)

શું અન્ય લોકો માટે ટિકિટ બુક કરી શકો છો?

IRCTCએ તેની પોસ્ટમાં જણાવ્યું છે કે, કોઈપણ વ્યક્તિ તેના યુઝર આઈડીથી તેના મિત્રો, પરિવારના સભ્યો અને સંબંધીઓ માટે ટિકિટ બુક કરાવી શકે છે. દર મહિને યૂઝર 12 ટિકિટ બુક કરી શકે છે. જો યુઝર તેની ઓળખ આધાર દ્વારા વેરિફાઈડ સાબિત કરે છે, તો તે દર મહિને 24 ટિકિટ બુક કરી શકશે. માત્ર IRCTC જ નહીં, ભારતીય રેલવેના પ્રવક્તાએ પણ ટ્વિટર પર પોતાની પોસ્ટમાં આ સમાચારને ભ્રામક ગણાવ્યા છે.

(Credit Source : @SpokespersonIR)

આ કામ અંગે કાર્યવાહી કરવામાં આવશે

IRCTCએ કહ્યું કે પર્સનલ યુઝર આઈડી દ્વારા બુક કરવામાં આવેલી ટિકિટને કોમર્શિયલ રીતે વેચી શકાતી નથી અને આમ કરવું ગુનો છે. જો આમ કરતા જોવા મળે તો રેલવે એક્ટ, 1989ની કલમ 143 હેઠળ કડક કાર્યવાહીની જોગવાઈ છે.

Accident: દ્વારકાના બરડીયા નજીક ભયંકર અકસ્માત, 7 લોકોના મોત, 14 ઘાયલ
Accident: દ્વારકાના બરડીયા નજીક ભયંકર અકસ્માત, 7 લોકોના મોત, 14 ઘાયલ
સુરત જિલ્લામાં કોઝવે ઓવરટોપીંગના કારણે 7 રસ્તાઓ થયા ઠપ્પ
સુરત જિલ્લામાં કોઝવે ઓવરટોપીંગના કારણે 7 રસ્તાઓ થયા ઠપ્પ
સોમનાથ મંદિર પાછળની સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા
સોમનાથ મંદિર પાછળની સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા
ગાંધીનગરના પીપળજમાં મોડી રાત્રે દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ
ગાંધીનગરના પીપળજમાં મોડી રાત્રે દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ
નવરાત્રિમા મોડી રાત સુધી ગરબા રમી શકશે ખેલૈયા, ગુજરાત સરકારની જાહેરાત
નવરાત્રિમા મોડી રાત સુધી ગરબા રમી શકશે ખેલૈયા, ગુજરાત સરકારની જાહેરાત
નકલી અધિકારીઓ બાદ ગોંડલ સ્ટેટના નકલી રાજા ફરતા હોવાનો દાવો
નકલી અધિકારીઓ બાદ ગોંડલ સ્ટેટના નકલી રાજા ફરતા હોવાનો દાવો
Rajkot : ફુલઝર નદી બે કાંઠે વહેતી થતા રૌદ્ર રૂપ જોવા મળ્યું
Rajkot : ફુલઝર નદી બે કાંઠે વહેતી થતા રૌદ્ર રૂપ જોવા મળ્યું
સુરતમાં પ્રિનવરાત્રીમાં આ ખાસ થીમ સાથે ઘુમ્યા ગરબે
સુરતમાં પ્રિનવરાત્રીમાં આ ખાસ થીમ સાથે ઘુમ્યા ગરબે
ઉપરવાસમાં ભારે વરસાદથી નર્મદા ડેમની સપાટી 138.44 મીટરે પહોંચી
ઉપરવાસમાં ભારે વરસાદથી નર્મદા ડેમની સપાટી 138.44 મીટરે પહોંચી
ખંભાળિયા પંથકમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો, રસ્તા પર ફરી વળ્યા પાણી
ખંભાળિયા પંથકમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો, રસ્તા પર ફરી વળ્યા પાણી
g clip-path="url(#clip0_868_265)">