GIR SOMNATH : 15 દિવસ પહેલા તળિયાઝાટક હિરણ-2 ડેમ છલોછલ ભરાયો, ડેમનો 1 દરવાજો ખોલાયો

જે હીરણડેમના થોડા દીવસ પહેલા તળીયા દેખાયા હતા, તે ગીરની જીવાદોરી સમા હીરણ ડેમ પર મેઘરાજા એ મહેર કરતા બે દિવસમા ગીર જંગલ મા મૂશળધાર વરસાદના કારણે ડેમ છલોછલ ભરાયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 15, 2021 | 6:54 PM

GIR SOMNATH :ગીર જંગલમાં પડેલા ભારે વરસાદને કારણે હિરણ-2 ડેમ પૂર્ણ સપાટીએ ભરાયો છે. ડેમની સલામતીને ધ્યાને લઈને ડેમનો 1 દરવાજો 1 ફૂટ ખોલવામાં આવ્યોજેથી ડેમના નિચાણવાળા ગામોને સાવચેત કરવામાં આવ્યાં છે. તાલાલા તાલુકાના ઉમરેઠી, માલજીંજવા અને વેરાવળ તાલુકાના 11 ગામો ભેરાળા, મંડોર, ઇશ્વરીયા, ઇન્દ્રોઇ, નાવદ્રા, સોનારીયા, સવની બાદલપરા, મીઠાપુર, કાજલી, પ્રભાસપાટણને સાવચેત કરવામા આવ્યા છે.

આ ઉપરાંત ગીરસોમનાથ ની જીવાદોરી સમો હીરણ ડેમ- 2 છલકાતાં ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે. તેમજ આસપાસના ખેડૂતોએ નવા નીરમા ચૂંદડી શ્રીફળ પધરાવી જય સોમનાથના નાદ સાથે નવા નીરનું પૂજન કર્યું હતું.જે હીરણડેમના થોડા દીવસ પહેલા તળીયા દેખાયા હતા, તે ગીરની જીવાદોરી સમા હીરણ ડેમ પર મેઘરાજા એ મહેર કરતા બે દિવસમા ગીર જંગલ મા મૂશળધાર વરસાદના કારણે ડેમ છલોછલ ભરાયો છે.ડેમ ની કૂલ સપાટી 444 ફૂટ છે.જેમા હાલ 443 ફૂટ પાણી ભરાયું છે.

રાજ્યમાં 13 અને 14 સપ્ટેમ્બરે વરસાદે સૌરાષ્ટ્રને અને ખાસ કરીને રાજકોટ, જુનાગઢ, જામનગર અને ગીરસોમનાથ જિલ્લામાં કહેર મચાવ્યો હતો. ગુજરાત માં સતત વરસી રહેલા વરસાદને કારણે નદીઓ અને ડેમોમાં પાણીની આવક વધી છે. તેવા સમયે ગીર સોમનાથનીસરસ્વતી નદી પર બે કાંઠે વહેતી થઈ છે. જો કે આ નદીના ધસમસતા પ્રવાહના જીવન જોખમે કેટલાક યુવાનો છલાંગ લગાવતા જોવા મળી રહ્યાં છે. જો કે નદીમાં પાણી આવતા લોકોમાં ઉત્સાહનો માહોલ છે. તેમજ આગામી દિવસોમાં હજુ પણ વધુ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

આ પણ વાંચો : BANASKANTHA : થરા નગરપાલિકાની ચૂંટણી પહેલા પૂર્વ પ્રમુખ સહીત કોંગ્રેસના 50 કાર્યકરો ભાજપમાં જોડાયા

Follow Us:
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">