AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કૃષિ-પશુપાલન-મત્સ્યોદ્યોગના સેકટર્સમાં લોન-ધિરાણ-સહાયનો વ્યાપક લાભ પહોચાડવાની વ્યવસ્થા ગોઠવવા બેન્કોને મુખ્યમંત્રીની તાકીદ

મુખ્યમંત્રીએ કહ્યું કે, શૂન્ય ટકા વ્યાજે લોન અને કિસાન ક્રેડિટ કાર્ડનો લાભ પશુપાલન, મત્સ્યોદ્યોગ ક્ષેત્રમાં આપવાના જે પ્રાવધાન આ વર્ષે બજેટમાં કરવામાં આવ્યા છે તેમાં લક્ષ્યાંક સિદ્ધ કરવા બેંકોએ પોતાનું ફ્રેમવર્ક વિકસાવવું પડશે.

કૃષિ-પશુપાલન-મત્સ્યોદ્યોગના સેકટર્સમાં લોન-ધિરાણ-સહાયનો વ્યાપક લાભ પહોચાડવાની વ્યવસ્થા ગોઠવવા બેન્કોને મુખ્યમંત્રીની તાકીદ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (File photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 22, 2022 | 2:44 PM
Share

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel) એ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, કૃષિ (Agriculture) ક્ષેત્ર આપણા માટે પ્રાયોરિટી હતું, છે અને રહેવાનું છે. આ હેતુસર કૃષિ, પશુપાલન, મત્સ્યોદ્યોગ જેવા સેક્ટર્સમાં રાજ્ય સરકાર (State Government) એ બજેટમાં લોન-ધિરાણ માટેની જે જોગવાઇઓ કરી છે તેનો વ્યાપક લાભ લાભાર્થીઓને મળે તેવી સક્રિયતા સાથે બેન્કીંગ સેક્ટર (banking sector) એ ઇનીશ્યેટીવ્ઝ લેવા જરૂરી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, શૂન્ય ટકા વ્યાજે લોન અને કિસાન ક્રેડિટ કાર્ડનો લાભ પશુપાલન, મત્સ્યોદ્યોગ ક્ષેત્રમાં આપવાના જે પ્રાવધાન આ વર્ષે બજેટમાં કરવામાં આવ્યા છે તેમાં લક્ષ્યાંક સિદ્ધ કરવા બેંકોએ પોતાનું ફ્રેમવર્ક વિકસાવવું પડશે. મુખ્યમંત્રી ગાંધીનગર (Gandhinagar) માં ૧૭રમી સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીની બેઠકના અધ્યક્ષસ્થાનેથી સંબોધન કરી રહ્યા હતા.

ભૂપેન્દ્ર પટેલે પ્રથમવાર આ એસ.એલ.બી.સી.ની બેઠકમાં પ્રેરણાદાયી સંબોધન કરતાં નાનામાં નાના માનવી, છેવાડાના અંતરિયાળ ગ્રામીણ નાગરિકને પણ ઘર આંગણે બેન્કીંગ સેવાઓ મળે તે માટે બેન્કીંગ સેવાઓના ડિઝીટલાઇઝેશન માટે અનુરોધ કર્યો હતો.

તેમણે ઉમેર્યુ કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ સ્ટ્રીટ વેન્ડર્સ માટે શરૂ કરેલી પી.એમ સ્વનિધિ યોજના, સ્વામિત્વ યોજના સહિત નબળા વર્ગોના કલ્યાણ માટેની યોજનાઓ અંતર્ગત લોન-ધિરાણ સહાય આપવામાં બેન્કર્સ જરૂરી કાર્યવાહિ સત્વરે હાથ ધરે. ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇએ દેશને હરેક ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાની જે નેમ રાખી છે તે બેન્કીંગ સેક્ટર અને રાજ્ય સરકાર બેયની સક્રિય સહભાગીતાથી ‘આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત’ દ્વારા સાકાર થશે.

નાણામંત્રી શ્રી કનુભાઇ દેસાઇએ જણાવ્યું કે, રાજ્ય સરકારનો અભિગમ પ્રો-પૂઅર રહ્યો છે, ત્યારે નાના માનવી, જરૂરતમંદ લાભાર્થીને બેંકમાંથી લોન-ધિરાણ આપવામાં બેંકોએ પણ પોઝિટીવ એપ્રોચ અપનાવવો પડે. તેમણે કહ્યું કે, આવા નાના માનવીઓની લોન અરજીઓ ક્ષુલ્લક કારણોસર પેન્ડીંગ રાખવા કે રદ કરી દેવાને બદલે બેન્કર્સ એમને યોગ્ય માર્ગદર્શન, મદદ આપી, સરળતાએ લોન ધિરાણ મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવે તે જરૂરી છે.

મુખ્ય સચિવ પંકજકુમારે બેન્કર્સને મિશન મોડમાં કાર્યરત થવાનું આહવાન કર્યુ હતું. તેમણે ઉમેર્યુ કે, આ એસ.એલ.બી.સી.ની ૧૭રમી બેઠક છે એટલે કે પાછલા ૪ર-૪૩ વર્ષથી આવી બેઠક મળે છે. હવે આપણે બીબાઢાળ કાર્યપદ્ધતિથી બહાર આવી નવતર એપ્રોચ અને અભિગમથી વિચારવાની જરૂર છે. પંકજકુમારે આ અંગે વધુમાં જણાવ્યું કે, મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે ગરીબલક્ષી, કિસાનલક્ષી, ગ્રામીણ વિકાસ, નલ સે જલ, સ્વામિત્વ સહિત બધી જ યોજનાઓમાં સેચ્યુરેશન એપ્રોચ સાથે કાર્યપદ્ધતિનું વલણ અપનાવવા સ્પષ્ટ દિશા નિર્દેશો આપેલા છે.

રાજ્ય સરકારના બધા જ વિભાગો આ માટે સતત કાર્યશીલ છે, ત્યારે બેંકોએ પણ પ્રો-એક્ટીવ એપ્રોચ અને પોતાની પાસેના બધા જ ડેટા બેઇઝના આધારે દરેક યોજનાઓનું એનાલીસીસ કરીને લક્ષ્યાંક સિદ્ધિ હાંસલ કરવી આવશ્યક છે.

આ પણ વાંચોઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 24 માર્ચે આવશે ગુજરાત, દ્વારકા અને જામનગરમાં વિવિધ કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત

આ પણ વાંચોઃ Gandhinagar: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ 26 માર્ચે આવશે ગુજરાત, કલોલમાં વિવિધ વિકાસકાર્યોનું કરશે ખાતમુહૂર્ત

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">