AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

છોટા ઉદેપુર : બોડેલીમાં હિરણ નદી પર આડ ડેમ અને કેનાલો સુકીભઠ્ઠ બનતા ખેડૂતો મુશ્કેલીમાં, સિંચાઈ માટે નથી મળતુ પાણી

Chhota udepur: બોડેલીમાં જળસ્તર નીચા જતા સિંચાઈની સમસ્યા સર્જાઈ છે. રિપેરિંગના કામકાજ માટે કેનાલમાં પાણી બંધ કરી દેવાતા સંખેડાના 18 ગામોને પાણી મળતુ નથી જેના કારણે ખેડૂતોને સિંચાઈ માટે પાણી નથી મળી રહ્યુ.

છોટા ઉદેપુર : બોડેલીમાં હિરણ નદી પર આડ ડેમ અને કેનાલો સુકીભઠ્ઠ બનતા ખેડૂતો મુશ્કેલીમાં, સિંચાઈ માટે નથી મળતુ પાણી
સિંચાઈનું પાણી ન મળતુ ખેડૂતો પરેશાન
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 07, 2023 | 11:33 PM
Share

છોટા ઉદેપુરના બોડેલીમાં ચોમાસા બાદ રેડ ઝોન વિસ્તારમાં જળસ્તર નીચા જતા સિંચાઈની મોટી સમસ્યા સર્જાઈ છે. હિરણ નદી પર આડ ડેમ અને બનાવેલી કેનાલ સુકી ભઠ્ઠ બનતા ખેડૂતોને ફરીવાર રોવાનો વારો આવ્યો છે. 23 ડિસેમ્બરથી રિપેરિંગના કામકાજ માટે કેનાલમાં પાણી બંધ કરી દેવાતા સંખેડાના 18 ગામડાઓને પાણી મળતુ જ નથી. કેનાલમાં ઠેર-ઠેર ભંગાણ અને સાફસફાઈ ન થતા ખેડૂતોને રવિ સિઝન સમયે  પાણી મળતુ નથી. ડેમ અને કેનાલની સાફ સફાઈ માટે ખેડૂતોએ રજૂઆતો કરી છે છતા કોઈ પગલા લેવાતા નથી. સિંચાઈનું પાણી પણ ન મળતા ખેડૂતોનો પાક સુકાઈ જવાના આરે છે. કેનાલમાં જલ્દી પાણી છોડવામાં આવે તેવી ખેડૂતોએ તંત્રને માગ કરી હતી.

બોડેલી તાલુકાના કાશીપૂરા, રાજ વાસણા, સાલાપુરા, જેવા અનેક ગામો આવેલા છે કે જેને રેડઝોન વિસ્તાર કહેવા માં આવે છે. ચોમાસા બાદ આ વિસ્તાર માં પાણી પાતાળ માં ઉતરી જતા હોય છે. મોટે ભાગે આ વિસ્તાર પથરાળ વિસ્તાર છે. જેને લઇ સિંચાઇ અને પીવાના પાણીની સમસ્યા કાયમી છે. જે તે સમયની સરકારે 1954ના સમયે પાણીની સમસ્યાનો અંત આવે તે હેતુથી આ વિસ્તારમાંથી પસાર થતી હેરણ નદી ઉપર આડ ડેમ બનાવવાનું નક્કી કર્યું. 192 મીટરની લંબાઈ અને 3.96 મીટર તળિયાથી ઊંચાઈવાળો આડબંધ બનાવવામાં આવ્યો. અને ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચે તે માટે કેનાલો પાથરી દેવામાં આવી હતી. પરંતુ ગત ચોમાસાના સમયે જે ભારે વરસાદ થયો તેને લઈ કેનાલોમાં પણ ઠેર ઠેર ભંગાણ સર્જાયું હોય સિંચાઇના પાણી માટે ખેડૂતોને વલખા મારવાનો વારો આવ્યો છે.

સિંચાઇના પાણી વગર ખેડૂતોનો ઊભો મોલ સુકાઈ રહ્યો છે. એક તરફ ડેમના પાણી તળિયે જઈ રહ્યા છે તો બીજી તરફ કેનાલોમાં પાણી નથી. સરકારની સિંચાઇની યોજના હોવા છતાં આજે પણ ખેડૂતોને વલખા મારવાનો વારો આવ્યો છે.

ડેમ તૈયાર થતા કેનાલો દ્વારા બોડેલી તાલુકા ના 10 ગામો અને સંખેડા તાલુકા ના 15 ગામો ને જેતે સમયે સિંચાઇનો લાભ મળતો થયો હતો હિરણની મુખ્ય કેનાલ અને બ્રાન્ચ કેનાલો સહિત લગભગ 60 કિમી જેટલી લંબાઈમાં પાથરવામાં આવી જેને લઈ ખરીફ અને રવી સિઝનમાં ખેડૂતોને પાણી મળતું થયું .જોકે સમય જતા ડેમમાં પાણી ન ભરાવા ની જગ્યા એ હવે કાંપ અને માટી જ જોવા મળે છે. ડેમ હવે છીછરો બની ગયો છે. ચોમાસુ પૂરું થતા પાણી પાતાળમાં જવા લાગે છે. પાણીની સમસ્યા જે વર્ષો પહેલા હતી તેવી સ્થિતિ આજે ફરી ઊભી થઈ છે. ડેમમાં એટલું પાણી નથી કે કેનાલોમાં જઈ શકે.

ઈનપુટ ક્રેડિટ- મકબૂલ મન્સૂરી-છોટાઉદેપુર

અમદાવાદમાં ધુળેટીની ઉજવણી માતમમાં ફેરવાઇ
અમદાવાદમાં ધુળેટીની ઉજવણી માતમમાં ફેરવાઇ
ઈઝરાયેલ-અમેરિકાને કલ્પના બહારનું નુકસાન પહોંચાડતુ ઈરાન ! 10 મોટી ઘટના
ઈઝરાયેલ-અમેરિકાને કલ્પના બહારનું નુકસાન પહોંચાડતુ ઈરાન ! 10 મોટી ઘટના
ઈક્વિટી અને કોમોડિટીની જુગલબંધી, TV9 પર પોર્ટફોલિયો મજબૂત કરતી ચર્ચા
ઈક્વિટી અને કોમોડિટીની જુગલબંધી, TV9 પર પોર્ટફોલિયો મજબૂત કરતી ચર્ચા
જામા મસ્જિદમાં પૂજાનો વીડિયો થયો વાયરલ
જામા મસ્જિદમાં પૂજાનો વીડિયો થયો વાયરલ
TV9નાં મંચ પર સુધાંશુ ત્રિવેદી સાથે સનાતન સંવાદ
TV9નાં મંચ પર સુધાંશુ ત્રિવેદી સાથે સનાતન સંવાદ
ફ્લાઇટ કેન્સલ… દિલ ધડકન તેજ! અને પછી આવી રાહતની સવાર
ફ્લાઇટ કેન્સલ… દિલ ધડકન તેજ! અને પછી આવી રાહતની સવાર
અજાણ્યા સ્ત્રોતથી પૈસા મળી શકે છે, નાના બાળકો તમને વ્યસ્ત રાખશે
અજાણ્યા સ્ત્રોતથી પૈસા મળી શકે છે, નાના બાળકો તમને વ્યસ્ત રાખશે
"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
g clip-path="url(#clip0_868_265)">