AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot: ધોરાજીમાં સિંચાઈ વિભાગની બેદરકારી સામે આવી, કેનાલની સફાઇ વિના પાણી છોડાતા ખેડૂતોની મુશ્કેલી વધી

રાજકોટ જિલ્લામા શિયાળુ પાકના પિયત માટે ધોરાજીની ભાદર બે માંથી કેનાલ મારફત પાણી છોડવામાં આવ્યું છે. જેમાં સિંચાઈ વિભાગના અધિકારીઓની બેદરકારીને કારણે કેનાલની સફાઈ કર્યા વગર જ પાણી છોડી દેવામાં આવ્યું છે.જેના કારણે અનેક ખેડૂતોને સિંચાઈના પાણીથી વંચિત રહેવું પડશે

Rajkot: ધોરાજીમાં સિંચાઈ વિભાગની બેદરકારી સામે આવી, કેનાલની સફાઇ વિના પાણી છોડાતા ખેડૂતોની મુશ્કેલી વધી
બનાસકાંઠામાં કેનાલમાં ગાબડું
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 09, 2022 | 5:22 PM
Share

રાજકોટ જિલ્લામા શિયાળુ પાકના પિયત માટે ધોરાજીની ભાદર બે માંથી કેનાલ મારફત પાણી છોડવામાં આવ્યું છે. જેમાં સિંચાઈ વિભાગના અધિકારીઓની બેદરકારીને કારણે કેનાલની સફાઈ કર્યા વગર જ પાણી છોડી દેવામાં આવ્યું છે.કેનાલની સફાઈ કર્યા વિના પાણી છોડવામાં આવતાં માઈનોર કેનાલ અને છેવાડાના વિસ્તાર સુધી પાણી નહીં પહોંચે.જેના કારણે અનેક ખેડૂતોને સિંચાઈના પાણીથી વંચિત રહેવું પડશે.રવિ પાકના પિયત માટે થઈ અને દર વર્ષે સિંચાઈ વિભાગ દ્વારા કેનાલ મારફત સિંચાઈનું પાણી છોડવામાં આવે છે પાણી છોડતા પહેલા કેનાલની સફાઈ કરવી એટલી જરૂરી હોય છે કારણ કે ચોમાસા દરમિયાન કેનાલમાં ઘાસ અને વેલ સહિત ના નાના નાના અનેક પ્રકાર ના બિન જરૂરી છોડવાઓ ઉગી નીકળતા હોઈ છે નિયમ અનુસાર કેનાલ માં પાણી છોડતા પહેલા કેનાલ ની સફાઈ કરવી ખુબજ જરૂરી હોઈ છે જો કેનાલને સફાઈ કરવામાં ન આવે તો માઇનોર કેનાલમાં પાણી પહોંચે નહીં અને ખાસ કરીને કેનાલના છેવાડાના વિસ્તાર સુધી પણ પાણી પહોંચે નહીં એવા અનેક પ્રશ્નો ઊભા થતા હોય છે વાત છે.

રાજકોટ જિલ્લાના ધોરાજીના ભાદર બે માંથી સિંચાઇ માટે કેનાલ મારફત પાણી તો છોડવામાં આવેલ છે પરંતુ કેનાલની સફાઈ જાણે કાગળ ઉપર થયું અને કેનાલ સફાઈના કામની અંદરમાં લાખો રૂપિયાનો ભષ્ટાચાર થયો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે કેનાલની અંદરમાં પુષ્કળ પ્રમાણમાં જારી જખડાઓને વૃક્ષોના પાંદડાઓ અને લીલું ઘાસ ઉગી નીકળેલું છે કેનાલની સફાઈ થઈ નથી જેને કારણે ખેડૂતોએ સિંચાઈના પાણીથી વંચિત રહેવું પડે એવી સ્થિતિનું નિર્માણ થયું છે ખેડૂત આગેવાનો આક્ષેપ છે કે લાખો રૂપિયા નો ખર્ચ કેનાલ સફાઈમાં કરવામાં આવ્યો તો પણ આવી સ્થિતિ કેમ ખેડૂત આગેવાને ગાંધીનગર સચિવાલય ખાતે ઉચ્ચ અધિકારીને પત્ર પઠવી અને કેનાલની સફાઈ બાબતે થયેલ ભસ્તાચાર ની તપાસ હાથ ધરવા માંગ કરી છે

ધોરાજી ના ભાદર 2 કમાન્ડના વિસ્તારના ખેડૂતોનું કેવું છે કે ધોરાજી સિંચાઈ વિભાગ દ્વારા કે લાલ સાફ કર્યા વગર કેનાલમાં સિંચાઈ માટેનું પાણી છોડવામાં આવ્યું છે કેનાલમાં પૂરતી સફાઈ ન થઈ હોવાના કારણે કેનાલમાં રહેલો તમામ કચરો ખેડૂતોના ખેતરમાં પહોંચે છે અને ઘઉં ધાણા જીરુ સહિતના અનેક પાકોને નુકસાન થાય તેવી ભીતિ છે.

ભાદર 2 સિંચાઇ વિભાગ ના અધિકારીઓનું કહેવું છે કે સરકારી મશનારી દ્વારા ભાદર 2 ની કેનાલ સફાઈ કરવામાં આવી છે તો સવાલ એ થાય છે કે લાખો રૂપિયા ના ખર્ચે સરકારી સાધનો દ્વારા સફાઈ કરવામાં આવી તો કેનાલ ની હાલત આવી બદતર કેમ અધિકારીઓ પણ એમની નિષ્ક્રિયતા છુપાવવા નો પ્રયાસ કરી રહ્યા હોઈ એવું લાગી રહ્યું છે.

(With Input, Hussain Qureshi, Dhoraji, Rajkot)

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
g clip-path="url(#clip0_868_265)">