અમદાવાદમાં વધુ એક રેલવે સ્ટેશનો પુનઃવિકાસ, જુઓ તસવીર કેવું દેખાશે નવું સાબરમતી રેલવે સ્ટેશન

અમદાવાદના સાબરમતી ખાતે નવા રેલવે સ્ટેશનનો વિકાસ થઈ રહ્યો છે. હાલમાં, સાબરમતી રેલ્વે સ્ટેશન SBI પાસે 33 હોલ્ટિંગ ટ્રેનો અને 7 ઓપરેશનલ પ્લેટફોર્મ છે જ્યારે, SBT અંતર્ગત 11 હોલ્ટિંગ ટ્રેન અને 3 ઓપરેશનલ પ્લેટફોર્મ તૈયર થશે.

અમદાવાદમાં વધુ એક રેલવે સ્ટેશનો પુનઃવિકાસ, જુઓ તસવીર કેવું દેખાશે નવું સાબરમતી રેલવે સ્ટેશન
Follow Us:
| Updated on: Mar 10, 2024 | 6:07 PM

અમદાવાદના સાબરમતી સ્ટેશન પર ચાલી રહેલા પુનઃવિકાસ કાર્યની પ્રગતિ વિશે માહિતી ડેપ્યુટી ચીફ પ્રોજેક્ટ મેનેજર, અનંત કુમાર દ્વારા માહિતી આપવામાં આવી. આ દરમિયાન પ્રેઝન્ટેશન દ્વારા તેમજ સ્ટેશન પર સ્થાપિત મોડલ દ્વારા પુનઃનિર્માણ પછી સ્ટેશન કેવું હશે તે વિશે માહિતી આપવામાં આવી હતી. મહત્વનું છે કે આ સ્ટેશનને લગતા કેટલાક મુદ્દાઓ છે તેના પર નજર કરવામાં આવે તો..

⦁ ભારતીય રેલવેઝ ઓથોરીટીએ એન્જિનિયરીંગ, પ્રોક્યોરમેન્ટ અને કન્સ્ટ્રક્શન (EPC) ઢબ મારફતે પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનમાં સાબરમતી, અમદાવાદ ખાતેના રેલવે સ્ટેશનના પુનઃવિકાસની પરિયોજનાનો અમલ કરવાનો નિર્ણય કર્યો છે. સાબરમતી સ્ટેશનને બે સ્ટેશન તરીકે બનાવવામાં આવ્યું છે, SBI અને SBT એક જ રેલવે યાર્ડની બે બાજુઓ પર આવેલા છે. SBT વિરમગામ અને ભાવનગરથી અમદાવાદ તરફ જ્યારે SBI દિલ્હીથી અમદાવાદ અને આગળ મુંબઈ સુધીના ટ્રાફિકનું સંચાલન કરે છે.

⦁ સાબરમતી રેલવે સ્ટેશનનું મુખ્ય અપગ્રેડેશન સ્ટેશન કોમ્પલેક્ષ વિસ્તારને અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધાઓ સાથે  યાત્રીઓને એકિકૃત અનુભવ પ્રદાન કરાવવાનું છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
આજનું રાશિફળ તારીખ 26-04-2024

⦁ હાલમાં, સાબરમતી રેલ્વે સ્ટેશન SBI પાસે 33 હોલ્ટિંગ ટ્રેનો અને 7 ઓપરેશનલ પ્લેટફોર્મ છે જ્યારે, SBT પાસે 11 હોલ્ટિંગ ટ્રેન અને 3 ઓપરેશનલ પ્લેટફોર્મ છે અને દિવસના પીક અવર્સ દરમિયાન SBI અને SBT બંનેમાં સંયુક્તપણે યાત્રીઓનો પ્રવાહ 2309 છે.

⦁ વર્ષ 2058 માટે સ્ટેશન ડિઝાઇન, SBI B : 34,228, SBI T : 15,357 યાત્રીઓ

⦁ સૂચિત વિસ્તાર SBI બાજુ 19582 sqm અને SBT બાજુ 3753 sqm

⦁ 53 નંગ ક્વાર્ટરના આવાસ એકમોને 3998 ચો.મી.ના વિસ્તાર ધરાવતા આવાસીય વિસ્તારમાં સ્થળાંતર કરવાનું પણ આયોજન છે.

⦁ SBI સ્ટેશન પર 20 મીટર ઊંચી છત છે જેનો ADI FOB થી દિલ્હી તરફના FOB સુધી સ્ટેશનને આવરી લેતો વિસ્તાર 29802 ચો.મી. છે.

⦁ NHSRCL દ્વારા SBI ના ભાવિ પ્લેટફોર્મ 9 અને SBT ના પ્લેટફોર્મ 3 વચ્ચે મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલવેના સ્ટેશનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

⦁ ઉપરાંતમાં, તેના ઉત્તમ સ્થાન અને મુખ્ય વિસ્તારો સાથે સારી કનેક્ટિવિટીને કારણે મોટી સંખ્યામાં રેલવે મુસાફરોને સમાવી શકતું હોવાથી તેને એક કાર્યાત્મક રેલ્વે સ્ટેશન વિકસાવવાનું છે.

⦁ SBI બાજુ 6 VIP, 23 કાર, 46 ટુ-વ્હીલર, SBT બાજુ 4 VIP, 4 કાર, 14 ટુ-વ્હીલર જેવા વિવિધ કેટેગરીના વાહનો માટે સમર્પિત પાર્કિંગ લોટ અને રાહદારીઓની સુવ્યવસ્થિત અવરજવર માટે વિશિષ્ટ લેન.

⦁ તમામ પ્લેટફોર્મ પર 28 એસ્કેલેટર્સ, 28 લિફ્ટ્સ, 26 સીડીઓ, 2 સ્કાયવૉક્સ, 4 FOBs મારફતે ઝંઝટ-મુક્ત પ્રવેશ, યાત્રીઓ, VIP અને મહિલાઓ માટે 2 વિશાળ કોન્કોર્સ, પ્રતિક્ષાગૃહ.

⦁ ગ્રાઉન્ડ ફ્લોર અને કોન્કોર્સ લેવલ્સ પર કોમર્સિયલ એરીયા માટે જોગવાઈઓ.

⦁ તેને રેલવેઝ, સિટી મેટ્રો નેટવર્ક, હાઈ સ્પીડ રેલવે નેટવર્ક, સિટી BRT બસ નેટવર્ક અને સિટી બસ સેવાઓ જેવી પરિવહનની વર્તમાનની અને ભવિષ્યની ઢબ સાથે સાંકળવાના લક્ષ્ય સહિત મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ કેન્દ્ર તરીકે પણ વિકસાવવામાં આવી રહ્યું છે.

⦁ મલ્ટિ મોડલ ટ્રાન્સપોર્ટ કેન્દ્ર તરીકે સ્ટેશન કોમ્પ્લેક્સના વિકાસને કારણે ત્યાં મુસાફરોનો વધુ પ્રવાહ રહેશે જેના પરિણામે સ્ટેશન સમગ્ર વિસ્તારના વિકાસ માટે ઉત્પ્રેરક બનશે.

⦁ માસ્ટર પ્લાનિંગમાં સ્ટેશન સાઈટમાં જમીનના કેટલાક હિસ્સા ચિહ્નિત કરવામાં આવ્યા છે જેનો ઉપયોગ વ્યાપારી વિકાસ માટે કરવામાં આવશે. જમીનના આ હિસ્સા માત્ર રેલ્વે માટે મૂલ્ય નિર્માણ જ નહીં કરે પરંતુ ખાનગી વિકાસકર્તાઓને વ્યવસાય અને શોપિંગ કેન્દ્રો વિકસાવવામાં પણ મદદરૂપ થશે.

⦁ સૂચિત ડિઝાઇન અને માસ્ટર પ્લાનનો ઉદ્દેશ્ય શહેરની લાક્ષણિકતા તેમજ ઐતિહાસિક વારસા અને મહત્વને જાળવવાનો છે. ઐતિહાસિક રીતે, સાબરમતી મહાત્મા ગાંધી અને તેમના આશ્રમ સાથે જોડાયેલું છે. સ્ટેશનની ડિઝાઇનમાં મહાત્મા ગાંધીની છબી અને તેમની સાથે સંકળાયેલ વસ્તુઓ (જેમ કે ચરખા અને ખાદીના કપડા) નો ઉપયોગ તેમના જીવન અને ઉચ્ચ સિદ્ધાંતો હાંસલ કરવા માટેના તેમના સંઘર્ષની પ્રતિકાત્મક સ્મૃતિ તરીકે કરવામાં આવ્યો છે.

Latest News Updates

ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી
ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
g clip-path="url(#clip0_868_265)">