Ahmedabad: ગૃહિણીઓ માટે આંચકા રુપ સમાચાર, હજુ આટલો સમય શાકભાજીનો વધુ ભાવ ખર્ચવા તૈયાર રહેવુ પડશે!

|

Jul 07, 2023 | 8:43 PM

Ahmedabad Vegetables Price: એક મહિના લગી અમદાવાદ વાસીઓને મોંઘા શાકભાજી ખાવા માટે તૈયારીઓ રાખવી પડશે. બિપરજોય વાવાઝોડાના સમયથી જ સતત શાકભાજીના ભાવમાં વધારો થયો છે.

Ahmedabad: ગૃહિણીઓ માટે આંચકા રુપ સમાચાર, હજુ આટલો સમય શાકભાજીનો વધુ ભાવ ખર્ચવા તૈયાર રહેવુ પડશે!
know wholesale and retail vegetable prices

Follow us on

ચોમાસાની શરુઆત થતા જ શાકભાજીના વધતા ભાવો ગૃહિણીઓને પરેશાન કરી દેતા હોય છે. અમદાવાદવાસીઓ પણ વધતા ભાવોથી પરેશાન બન્યા છે. મોંઘવારીમા એક તરફ વધારો થઈ રહ્યો છે, ત્યાં જ શાકભાજીના ભાવો વધી રહ્યા છે. જેને લઈ ગૃહિણીઓ પરેશાન બની છે. તો વળી હજુ પણ એક મહિના લગી અમદાવાદ વાસીઓને મોંઘા શાકભાજી ખાવા માટે તૈયારીઓ રાખવી પડશે. તમને આ વાત સાંભળીને આંચકો જરુર લાગશે, પરંતુ આગામી એક મહિના કરતા વધારે સમય સુધી મોંઘાદાટ શાકભાજી ખરીદવા પડશે.

ખાવાની વાત આવતો સુરત બાદ અમદાવાદીઓનો નંબર આવતો હોવાનુ માનવામાં આવે છે. અમદાવાદીઓ ચટાકેદાર વાનગીઓ આરોગવાના શોખીન હોય છે. તેઓની થાળીમાં જુદા જુદા શાક જરુર જોવા મળતા હોય છે.પરંતુ આ થાળી હવે દિવસે દિવસે મોંઘી થઈ રહી છે. તો વળી હાલમાં છેલ્લા કેટલાક દિવસોથી ટામેટાએ પરેશાન કરતા ગુજરાતીઓની પ્રિય દાળ અને સલાડ પણ મોંઘા થયા છે. તો આદુ અને કોથમીર પણ મોંઘા બન્યા છે.

બિપરજોય બાદ વધ્યા ભાવ

જૂન મહિનામાં બિપરજોય વાવાઝોડાના સમયથી જ સતત શાકભાજીના ભાવમાં વધારો થયો છે. જોકે ત્યારબાદ સતત શાકભાજીના ભાવમાં વરસાદને લઈ વધારો થયો છે. કેટલાક શાકભાજીના ભાવ તો પ્રતિ કિલોએ 100 રુપિયાના આંકને વટાવી ગયા છે. હાલમાં ચોમાસાની સિઝન જામી છે અને રાજ્યમા અને જે વિસ્તારોમાંથી શાકભાજી આયાત થતી હોય છે. એ વિસ્તારમાં વરસાદી વાતાવરણને લઈ શાકભાજીના ભાવમાં વધારો થઈ રહ્યો છે. જે હજુ પણ ઓછો થવાની કોઈ શક્યતા નજીકના સમયમાં જોવાતી નથી.

મુંબઈ પહોંચતા જ રોહિતે હાર્દિક પંડ્યાને આપી વર્લ્ડ કપની ટ્રોફી
કોલેસ્ટ્રોલ લેવલ પર આવી નવી ગાઈડલાઈન્સ, જાણો હવે કેવું હોવું જોઈએ cholesterol લેવલ
PM મોદી બૂમરાહના દીકરા સાથે રમતા જોવા મળ્યા, ટીમ ઈન્ડિયાએ આપી ખાસ ભેટ
ડ્રાઇવિંગ કરતી વખતે તમારી સાથે રાખો આ ખાસ ડોક્યુમેન્ટ
અનંત-રાધિકાના લગ્નમાં પરફોર્મ કરશે જસ્ટીન બીબર, 7 વર્ષ બાદ ભારત આવ્યો-Video
Knowledge : કેટલા સમય પછી ચેક કરવું જોઈએ વજન? જાણો તેની સાથે જોડાયેલી વાતો

હોલસેલ અને રિટેઇલ ભાવમાં વધારો

અમદાવાદના હોલસેલ બજારમાં 10 થી 15 ટકા જેટલો ભાવ વધારો નોંધાયો હતો. જ્યારે રિટેઇલ બજારમાં 20 થી 25 ટકા જેટલો ભાવ વધારો નોંધાયો હતો. જેમાં વાવાઝોડાની શાકભાજી પર અસર થતા હોલસેલમાં 15 ટકા જેટલા ભાવ વધ્યા, જ્યારે રિટેલમાં 20 થી 25 ટકા જેટલો ભાવ વધારો નોંધાયો હતો. જે બાદ ચોમાસુ શરૂ થયું ત્યારે પણ ભાવ વધતા જ જોવા મળ્યા.

શાકભાજીના ભાવ પર નજર

  • મરચાંઃ જયપુર થી આવે છે. જેનો હોલસેલ ભાવ 50 રુ અને રિટેઇલ ભાવ 70 રુ પ્રતિકિલો
  • શિમલા મિર્ચઃ નાશિક થી મોટેભાગે આવે છે. જેનો હોલસેલ ભાવ 80 રુ અને રિટેઇલ ભાવ 100 રુ પ્રતિકિલો
  • આદુઃ બેંગ્લોર થી આવે છે. જેનો હોલસેલ ભાવ 160 રુ અને રિટેઇલ ભાવ 200 રુ પ્રતિકિલો
  • ફુદીનોઃ ઉદયપુર અને રાજકોટ થી આવે છે. જેનો હોલસેલ ભાવ 30 રુ અને રિટેઇલ ભાવ 40 રુ પ્રતિકિલો
  • ફુલાવરઃ નાશિક અને પ્રાંતિજ વિસ્તારમાંથી આવે છે. જેનો હોલસેલ ભાવ 30 રુ અને રિટેઇલ ભાવ 60 રુ પ્રતિકિલો
  • કોબીજઃ નાશિક, પ્રાંતિજ અને માણસાથી આવે છે.જેનો હોલસેલ ભાવ 20 રુ અને રિટેઇલ ભાવ 40 રુ પ્રતિકિલો
  • ગાજરઃ નાશિક અને સ્થાનિક બજારમાંથી આવે છે. જેનો હોલસેલ ભાવ 25 રુ અને રિટેઇલ ભાવ 40 રુ પ્રતિકિલો
  • વટાણાઃ શિમલાથી આવે છે. જેનો હોલસેલ ભાવ 120 રુ અને રિટેઇલ ભાવ 150 રુ પ્રતિકિલો
  • સરગવોઃ મુંબઈ અને આસપાસના વિસ્તારથી આવતો હોય છે. જેનો હોલસેલ ભાવ 60 રુ અને રિટેઇલ ભાવ 80 રુ પ્રતિકિલો
  • ગવારઃ મુંબઈ અને સ્થાનિક ગુજરાતના ખેડૂતો દ્વારા આવતો હોય છે. જેનો હોલસેલ ભાવ 80 રુ અને રિટેઇલ ભાવ 100 રુ પ્રતિકિલો
  • કારેલાઃ નાશિકથી આવે છે. જેનો હોલસેલ ભાવ 60 રુ અને રિટેઇલ ભાવ 80 રુ પ્રતિકિલો
  • તુવેરઃ સ્થાનિક અને નાશિકથી આવે છે. જેનો હોલસેલ ભાવ 120 રુ અને રિટેઇલ ભાવ 140 રુ પ્રતિકિલો
  • કોથમીરઃ સ્થાનિક, રાજસ્થાન અને નાસિક થી આવે છે. જેનો હોલસેલ ભાવ 100 રુ અને રિટેઇલ ભાવ 120 રુ પ્રતિકિલો
  • ભીંડાઃ સ્થાનિક અને બેલગાંવથી આવતા હોય છે. જેનો હોલસેલ ભાવ 50 રુ અને રિટેઇલ ભાવ 80 રુ પ્રતિકિલો
  • ટીંડોળાઃ બેલગાંવ અને સ્થાનિક બજારથી આવતા હોય છે. જેનો હોલસેલ ભાવ 60 રુ અને રિટેઇલ ભાવ 80 રુ પ્રતિકિલો

ડુંગળી-બટાકાના ભાવ પણ વધ્યા

શાકભાજી સાથે હાલમાં બટાકા અને ડુંગળી માં પણ 5 થી 10 રૂપિયા ભાવ વધારો નોંધાયો છે. અને તેમાં પણ હવે જ્યારે શ્રાવણ મહિનો નજીક આવી રહ્યો છે. આ દરમિયાન બટાકા, સુરણ અને રતાળુ નો ઉપયોગ વધતો હોય છે. જેના ભાવ વધવાની શકયતા વેપારીએ વ્યક્ત કરી છે. બટાકા ડીસા આવે છે તો, સુરણ શામળાજી તરફથી આવે છે. બટાકા અને ડુંગળી હાલ 30 થી 40 ના કિલો વેચાઈ રહ્યા છે. સુરણ 80 થી 100 ભાવ મળી રહ્યા છે. હજુ શ્રાવણ મહિનામાં આ ભાવ વધશે.

આ પણ વાંચોઃ  Ahmedabad Airport: અમદાવાદ એરપોર્ટ વિમાન લેન્ડીંગ કરવા માટે મહત્વનુ, 150 થી વધારે પ્રકારના પ્લેન ભરી ચૂક્યા છે ઉંચી ઉડાન

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 5:40 pm, Fri, 7 July 23

Next Article