કઈ રાશિ માટે સોનું પહેરવું યોગ્ય નથી ? તેને પહેરવાથી થઈ શકે છે નુકસાન !
ભારતમાં મોટાભાગના લોકો સોનું ખરીદવા અને પહેરવા માંગે છે. કઈ રાશિ માટે સોનું અશુભ છે, તેનું કારણ શું છે? તમારી રાશિ પ્રમાણે જાણો કે તમારે સોનું પહેરવું જોઈએ કે નહીં.

Gold: સોનું એક કિંમતી ધાતુ છે, દરેકને સોનું ખરીદવું અને પહેરવું ગમે છે. પરંતુ સોનું પહેરવું દરેક માટે શુભ નથી હોતું. સોનું એક એવી ધાતુ છે જેનો સંબંધ સૂર્ય સાથે માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, ઘણી રાશિઓ એવી છે જેના માટે સોનું પહેરવું શુભ માનવામાં આવતું નથી. ચાલો જાણીએ કે કઈ રાશિઓએ સોનું પહેરવાનું ટાળવું જોઈએ.

તુલા રાશિના લોકોએ સોનું પહેરવાનું ટાળવું જોઈએ. શુક્ર તુલા રાશિનો સ્વામી છે, અને સોનું સૂર્ય ગ્રહ સાથે સંબંધિત છે. શુક્ર અને સૂર્ય એકબીજાના દુશ્મન માનવામાં આવે છે. તેથી જ આ રાશિના લોકોએ સોનું ન પહેરવું જોઈએ. તુલા રાશિના લોકો સોનાને બદલે ચાંદીના ઘરેણાં પહેરી શકે છે.

વૃશ્ચિક રાશિના લોકોએ પણ સોનું ન પહેરવું જોઈએ. વૃશ્ચિક રાશિ મંગળની રાશિ છે. જો આ રાશિના લોકો સોનું પહેરે છે, તો તેઓ ક્રોધનો ભોગ બની શકે છે. સોનાને બદલે ચાંદી કે તાંબુ પહેરવાનો પ્રયાસ કરો.

મકર રાશિના લોકોએ સૂર્યનું પ્રતીક સોનું ન પહેરવું જોઈએ. મકર રાશિના સ્વામી શનિદેવ છે, સૂર્ય અને શનિનો પિતા-પુત્રનો સંબંધ છે. શનિ અને સૂર્ય વચ્ચે શત્રુ ભાવના છે. મકર રાશિના લોકોએ સોનાને બદલે ચાંદી કે કાળો દોરો પહેરવો જોઈએ, તે સોના કરતાં વધુ ફાયદાકારક હોઈ શકે છે.

કુંભ રાશિના લોકોએ પણ સોનું ન પહેરવું જોઈએ. કુંભ રાશી પણ શનિની રાશિ છે. આ રાશિના લોકો સોનું પહેરવાથી વિપરીત અસર મેળવી શકે છે. સોનું પહેરવાથી કુંભ રાશિના લોકોમાં ગુસ્સો વધુ થઈ શકે છે અને સંબંધોમાં કડવાશ અને અંતર આવી શકે છે. કુંભ રાશિના લોકો ચાંદી અને કાળો દોરો પણ પહેરી શકે છે.

નોંધ: અહીં જણાવામાં આવેલ ધાર્મિક બાબત ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો
ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, આથી તેનો ભાવ શું ચાલી રહ્યો છે તેની જાણકારી મેળવવા અહીં ક્લિક કરો
