ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સને ઘરે પાછા જવા માટે અમેરિકા $1000 આપશે
આજે 05 મે 2025ને સોમવારના રોજ ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

આજે 05 મે 2025ને સોમવારના રોજ ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સને ઘરે પાછા જવા માટે અમેરિકા $1000 આપશે
યુએસ વહીવટીતંત્રે સોમવારે જાહેરાત કરી હતી કે તે દેશમાં ગેરકાયદેસર રીતે રહેતા ઈમિગ્રન્ટ્સને ઘરે પાછા ફરવા માટે $1,000 ચૂકવશે, જે તેના મોટા પાયે દેશનિકાલ પ્રયાસના ભાગ રૂપે છે. તે મુસાફરી ખર્ચને પણ આવરી લેશે, અને જે લોકો CBP હોમ એપ્લિકેશનનો ઉપયોગ કરીને ઘરે પાછા ફરવાની યોજના દર્શાવે છે તેમને ધરપકડ અને દેશનિકાલ માટે ‘પ્રાધાન્યક્ષમ’ ગણવામાં આવશે નહીં.
-
હૈદરાબાદને જીતવા 134 રનનો ટાર્ગેટ ટ્રિસ્ટન સ્ટબ્સ
દિલ્હી કેપિટલ્સે સનરાઈઝર્સ હૈદરાબાદને જીતવા 134 રનનો આપ્યો ટાર્ગેટ, અંતિમ બોલ પર ટ્રિસ્ટન સ્ટબ્સે જોરદાર બાઉન્ડ્રી ફટકારી
-
-
આશુતોષ શર્મા 41 રન બનાવી આઉટ
દિલ્હી કેપિટલ્સને સાતમો ઝટકો, આશુતોષ શર્મા 41 રન બનાવી થયો આઉટ
-
આશુતોષની આક્રમક બેટિંગ
આશુતોષ શર્માની ઝડપી બેટિંગ, દિલ્હી કેપિટલ્સનો સ્કોર 100 રનને પાર, આશુતોષ શર્માએ હર્ષલ પટેલને બે બોલમાં બે જોરદાર બાઉન્ડ્રી ફટકારી
-
દિલ્હીને છઠ્ઠો ઝટકો
દિલ્હી કેપિટલ્સને છઠ્ઠો ઝટકો, વિપ્રજ નિગમ 18 રન બનાવી થયો આઉટ, સ્ટબ્સ અને નિગમ વચ્ચે અણસમજના કારણે વિપ્રજ નિગમ થયો રનઆઉટ
-
-
દિલ્હીની અડધી ટીમ પોવેલિયન ભેગી
દિલ્હી કેપિટલ્સની અડધી ટીમ પોવેલિયન ભેગી, કેએલ રાહુલ 10 રન બનાવી થયો આઉટ, જયદેવ ઉનડકટે દિલ્હી કેપિટલ્સને આપ્યો પાંચમો ઝટકો, દિદલ્હીની હાલ ખૂબ જ ખરાબ, 7.1 ઓવરમાં જ પાંચ ટોપ ઓર્ડર બેટ્સમેન સસ્તામાં આઉટ
-
કેપ્ટન અક્ષર પટેલ સસ્તામાં આઉટ
દિલ્હી કેપિટલ્સને ચોથો ઝટકો, કેપ્ટન અક્ષર પટેલ માત્ર 6 રન બનાવી થયો આઉટ, હર્ષલ પટેલે અક્ષર પટેલને કર્યો આઉટ. પેટ કમિન્સે કર્યો કેચ. દિલ્હી કેપિટલ્સની આ સિઝનની સૌથી ખરાબ શરૂઆત
-
કમિન્સે મચાવ્યો કહેર
દિલ્હી કેપિટલ્સને ત્રીજો ઝટકો, અભિષેક પેરોલ માત્ર 8 રન બનાવી થયો આઉટ, કેપ્ટન પેટ કમિન્સે કહેર મચાવ્યો, ત્રણેય વિકેટ કમિન્સે જ લીધી. અને ત્રણેય વિકેટમાં બેટ્સમેન કેચ આઉટ થયા અને આ ત્રણેય કેચ ઇશાન કિશને જ લીધા.
-
દિલ્હી કેપિટલ્સને બીજો ઝટકો
દિલ્હી કેપિટલ્સને બીજો ઝટકો, ફાફ ડુ પ્લેસિસ માત્ર 3 રન બનાવી થયો આઉટ, કેપ્ટન પેટ કમિન્સે ફાફ ડુ પ્લેસિસની લીધી વિકેટ
-
પહેલા જ બોલ પર વિકેટ
સનરાઈઝર્સ હૈદરાબાદે પહેલા જ બોલ પર દિલ્હી કેપિટલ્સને અપાયો ઝટકો, કરૂણ નાયર 0 પર આઉટ, કેપ્ટન પેટ કમિન્સે મેચના પહેલા જ બોલ પર દિલ્હીના ઓપનર કરૂણ નાયરને ઈશાન કિશનના હાથે કેચઆઉટ કરવી દિદલ્હીને પહેલી સફળતા અપાવી હતી.
-
હૈદરાબાદે ટોસ જીત્યો
સનરાઈઝર્સ હૈદરાબાદે ટોસ જીત્યો, ટીમના કેપ્ટન પેટ કમિન્સે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો, દિલ્હી કેપિટલ્સ પહેલા બેટિંગ કરશે.
-
પુતિને પીએમ મોદી સાથે વાત કરી, કહ્યું- પહેલગામના ગુનેગારોને સજા મળવી જ જોઈએ, અમે તમારી સાથે
પહેલગામ આતંકવાદી હુમલા પછી, રશિયન રાષ્ટ્રપતિ પુતિને, આજે વડા પ્રધાન મોદી સાથે ફોન પર વાત કરી હતી અને આતંકી હુમલાની કડક નિંદા કરી. તેમણે આતંકવાદ સામેની લડાઈમાં ભારતને સંપૂર્ણ સમર્થન આપવાનું વચન આપ્યું. રશિયાનું સ્પષ્ટ સમર્થન પાકિસ્તાન માટે મોટો ફટકા સમાન છે. જોકે, વૈશ્વિક શક્તિઓ બંને દેશોને શાંતિ અને સંયમ જાળવવા વિનંતી કરી રહી છે.
-
રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગરમાં વરસ્યા કરા
ગુજરાતમાં હવામાનમાં થયેલા પલટાને કારણે અનેક વિસ્તારોમાં કરા વરસ્યા હતા. ખાસ કરીને સૌરાષ્ટ્રમા અનેક સ્થળોએ કમોસમી વરસાદ અને કરા વરસ્યા હતા. રાજકોટના વીંછીયામાં કરા પડ્યાના અહેવાલ છે. તો બોટાદના પાળિયાદ સહીતના વિસ્તારોમાં કરા વરસ્યા હતા. આ બાજુ સુરેન્દ્રનગરના ચોટીલામાં પણ કરા વરસ્યા હતા.
-
રાજકોટના વીંછીયામાં ભર ઉનાળે પડ્યા કરા
ભર ઉનાળે વીંછીયામાં કરા પડ્યા છે. ભારે પવન અને વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. વીંછીયા, થોરીયાળી, વાંગધ્રા, રૂપાવટી વિસ્તારમાં કરા પડ્યા છે. કરા પડતા જ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ઉનાળુ તલ, બાજરી, જુવાર જેવા પાકને નુકશાનની ભીતિ છે.
-
જસદણ APMCમાં, આગામી ત્રણ દિવસ જણસ નહીં લાવવા ખેડૂતોને તાકીદ
રાજકોટના જસદણ APMCમાં ત્રણ દિવસ જણસી લઈને ના આવવા ખેડૂતોને સૂચના આપવામાં આવી છે. કમોસમી વરસાદની આગાહીને ધ્યાને લઈને જસદણ APMC ત્રણ દિવસ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. હવામાન વિભાગે, ભારે પવન સાથે કમોસમી માવઠાની કરેલી આગાહીને ધ્યાને લઈને APMC એ નિર્ણય કર્યો છે. ખેડૂતોને તા, 6 થી 8 મે દરમિયાન માલ ના લાવવા તાકીદ કરવામાં આવી છે. APMC માં ત્રણ દિવસ સુધી એક પણ ખેત પેદાશ ઉતારવા દેવામાં આવશે નહીં.
-
અમિત ખૂંટ આત્મહત્યા કેસઃ બે યુવતી સહિત અનિરુદ્ધ અને રાજદિપ જાડેજા સામે નોંધાઈ પોલિસ ફરિયાદ
રીબડાના અમિત ખૂંટની આત્મહત્યાને લઈને ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. અનિરુદ્ઘસિંહ જાડેજા, રાજદિપસિંહ જાડેેજા અને બે યુવતીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. BNS ની કલમ 108, 61(2), 54 મુજબ ફરિયાદ નોંધાઈ છે. અનિરુદ્ઘસિંહ જાડેજાએ બે યુવતીઓ સાથે મળીને હનિટ્રેપમાં ફસાવીને બદનામ કરવાનું કાવત્રુ રચ્યું હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. બળાત્કારનો ખોટો કેસ કરીને આત્મહત્યા માટે મજબૂર કર્યાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે.
-
રાજકોટના ચકચારી અમિત ખુંટ આત્મહત્યા કેસઃ સ્યુસાઈડ નોટ મળી આવી, અનિરુદ્ધ જાડેજાએ હની ટ્રેપ કરાવ્યાનો ઉલ્લેખ
રાજકોટ અમિત ખુંટ આત્મહત્યા કેસમાં સૌથી મોટો ધડાકો થવા પામ્યો છે. અમિતે આત્મહત્યા કરતા પૂર્વે લખેલી ચાર પાનાની સુસાઇટનોટ માત્ર ટીવીનાઇન પાસે ઉપલબ્ધ છે. આત્મ હત્યા કરનાર અમિત ખુંટે લખલી ચિઠ્ઠી સામે આવી છે. અમિત ચાર પાના ભરીને લખી છે ચિઠ્ઠી. ચાર છોકરીઓએ મળીને અમિતને હનીટ્રેપમાં ફસાવ્યો હતો. અનિરુધ્ધ જાડેજાેએ આ હની ટ્રેપનું કામ કરાવ્યા હોવાનો નોટમાં ઉલ્લેખ કર્યો છે. મારા મોત માટે અનિરુધ્ધ જાડેજા જવાબદાર તેવુ અમિત ખુંટે સ્યુસાઈડ નોટમાં લખેલ છે. મને મોત માટે મજબુર કરવામાં આવ્યો છે. રિધ્ધી પટેલ, પુજા રાજગોર નામની યુવતીના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ યુવતીઓનું મોટુ ગ્રુપ છે તેમ અમિતે તેની સ્યુસાઈડ નોટમાં લખ્યું હોવાનું સામે આવ્યું છે.
-
આગામી પાંચ દિવસ રાજ્યમાં કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદની આગાહી
આગામી પાંચ દિવસ રાજ્યમાં કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદની આગાહી છે. ભારે પવન અને ગાજવીજ સાથે કરા પડવાની પણ આગાહી છે. આજે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠામાં વરસાદની આગાહી છે. તો અરવલ્લી, મહીસાગર,પંચમહાલ, દાહોદમાં પણ વરસાદની આગાહી છે. મોરબી, અને રાજકોટમાં પણ કરા પડવાની શક્યતા છે.
-
રાજકોટ: મૃતક અમિત ખૂંટ પાસેથી સુસાઈડ નોટ મળી આવી
રાજકોટના રીબડા ગામમાં યુવક અમિત ખૂંટે આત્મહત્યા કરતા ચકચાર મચી છે. યુવકનું મૃતદેહ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે. ઘટનાસ્થળેથી સુસાઈડ નોટ મળી આવી છે, જેમાં ચાર વ્યક્તિઓના નામ ઉલ્લેખિત છે. આ મામલે પાટીદાર આગેવાન ગોવિંદ સગપરીયાએ ભાજપના નેતા અનિરુદ્ધસિંહ જાડેજા સામે ગંભીર આક્ષેપ કર્યા છે. મૃતક અમિત, ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના ટેકેદાર તરીકે કાર્યરત રહ્યો હતો. ઘટનાને પગલે જયરાજસિંહ જાડેજાએ મૃતકના પરિવારજનોને સાંત્વના પાઠવી છે.
-
અમદાવાદ: મકરબા રોડ પર ખાડામાં રિક્ષાચાલક ખાબક્યો
અમદાવાદ: રિક્ષાચાલક તંત્રની બેદરકારીનો ભોગ બન્યો છે. મકરબા રોડ પર ખાડામાં રિક્ષાચાલક ખાબક્યો છે. અડધી રિક્ષા ખાડામાં ઘૂસી ગઈ હતી. અકસ્માતમાં રિક્ષાચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. રિક્ષામાં મહિલા અને એક બાળક પણ સવાર હતા. મનપાએ બેરિકેટ લગાવીને રોડ બંધ કર્યો.
-
ભરૂચઃ વાલિયાના વટારીયા ગામ નજીક તેલ ભરેલું ટેન્કર પલટ્યું
ભરૂચઃ વાલિયાના વટારીયા ગામ નજીક તેલ ભરેલું ટેન્કર પલટી ગયુ છે. ખાદ્યતેલ ભરેલા ટેન્કરે પલ્ટી ખાતા તેલ ભરવા દોડાદોડી થઇ. સ્થાનિકોએ તેલ ભરવા માટે પડાપડી કરી. વાસણ અને બેરલમાં તેલ ભરી જતા લોકો દેખાયા.
-
અમદાવાદ શહેરનું સામાન્ય પ્રવાહનું 89.21 ટકા પરિણામ
અમદાવાદ શહેરનું સામાન્ય પ્રવાહનું 89.21 ટકા પરિણામ આવ્યુ છે. અમદાવાદ ગ્રામ્યનું સામાન્ય પ્રવાહનું 90.95 ટકા પરિણામ, અમદાવાદ શહેરનું વિજ્ઞાન પ્રવાહનું 81.95 ટકા પરિણામ, અમદાવાદ ગ્રામ્યનું વિજ્ઞાન પ્રવાહનું 86.31 ટકા પરિણામ, વિજ્ઞાન પ્રવાહમાં જિલ્લામાં કુલ 67 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ, સામાન્ય પ્રવાહમાં અમદાવાદ ગ્રામ્યમાં કુલ 281 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મળ્યો, સામાન્ય પ્રવાહમાં અમદાવાદ શહેરમાં કુલ 452 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ છે.
-
ધો-12 વિજ્ઞાન પ્રવાહમાં રાજકોટ જિલ્લાનું પરિણામ 92.59 ટકા
ધો-12 વિજ્ઞાન પ્રવાહમાં રાજકોટ જિલ્લાનું પરિણામ 92.59 ટકા જાહેર થયુ છે. વિજ્ઞાન પ્રવાહમાં રાજકોટ જિલ્લામાં 86 વિદ્યાર્થીને A1 ગ્રેડ મળ્યો છે. રાજકોટમાં ધો-12 સામાન્ય પ્રવાહનું પરિણામ 93.66 ટકા છે. સામાન્ય પ્રવાહમાં રાજકોટ જિલ્લામાં 841 વિદ્યાર્થીને A1 ગ્રેડ છે.
-
વિદ્યાર્થિનીઓનું શાનદાર પરિણામ
સામાન્ય પ્રવાહમાં વિદ્યાર્થિનીઓએ 95.23% પરિણામ આપ્યું છે, જયારે વિદ્યાર્થીઓનું પરિણામ 90.78% રહ્યું છે. આ રીતે વિદ્યાર્થિનીઓએ વિદ્યાર્થીઓ કરતાં 4.45% વધુ પર્ફોર્મન્સ આપીને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે તેઓ હવે દરેક મંચ પર સમાન કે વધુ સફળતા હાંસલ કરી રહી છે.
-
સામાન્ય પ્રવાહમાં બનાસકાંઠા જિલ્લો સૌથી વધુ 97.20% સાથે પ્રથમ સ્થાને
ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામમાં બનાસકાંઠા જિલ્લોએ સૌથી વધુ 97.20% સાથે પ્રથમ સ્થાન મેળવ્યું, જ્યારે દાહોદ અને વડોદરા જિલ્લાઓમાં સૌથી ઓછું 87.77% પરિણામ નોંધાયું. સ્પ્રેડ, વાગંધરા, ચંદ્રલા, છાલા, લીંબોદ્રા અને મીઠાપુર કેન્દ્રોએ 100% પરિણામ સાથે શ્રેષ્ઠતા દર્શાવી, જ્યારે ખાવડા કેન્દ્રમાં માત્ર 52.56% પરિણામ આવ્યું.
-
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું ગોંડલ કેન્દ્રમાં સૌથી વધુ 96.60% પરિણામ
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામ અનુસાર ગોંડલ કેન્દ્રમાં સૌથી વધુ 96.60% પરિણામ નોંધાયું છે, જ્યારે દાહોદ કેન્દ્રમાં સૌથી ઓછું 54.48% પરિણામ રહ્યું. જિલ્લાવાર વાત કરીએ તો મોરબી જિલ્લામાં સૌથી વધુ 92.91% અને દાહોદ જિલ્લામાં સૌથી ઓછું 59.15% પરિણામ નોંધાયું.
-
ધોરણ 12 સાયન્સમાં 83.51 ટકા પરિણામ
ધોરણ 12ના પરિણામમાં આ વર્ષે નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. વિજ્ઞાન પ્રવાહમાં 83.51 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે, જે ગયા વર્ષની તુલનાએ 1.0 ટકા વધુ છે. સામાન્ય પ્રવાહમાં 93.07 ટકા પરિણામ નોંધાયું છે, જેમાં પણ ગયા વર્ષની તુલનામાં 1.14 ટકાનો વધારો થયો છે.
-
જમ્મુ કાશ્મીરઃ પૂંછમાંથી પાંચ IED જપ્ત
જમ્મુ કાશ્મીરઃ પૂંછમાંથી પાંચ IED જપ્ત કરવામાં આવ્યા છે. સુરનકોટ સેક્ટરમાંથી આતંકીઓના છુપાવાના સ્થળેથી IED મળી આવ્યુ છે. વાયરલેસ સેટ અને કપડાં પણ મળી આવ્યાં છે. સુરક્ષા દળોના સર્ચ અભિયાન દરમ્યાન આતંકીઓના પુરાવા મળ્યાં છે.
-
સુરેન્દ્રનગર: પાકિસ્તાની સીમા હૈદર પર હુમલો કરનાર યુવકનાં ઘરે તપાસ
સુરેન્દ્રનગર: પાકિસ્તાની સીમા હૈદર પર હુમલો કરનાર યુવકનાં ઘરે તપાસ કરવામાં આવી રહી છે. યુવકે નોઇડામાં સીમાં હૈદરનાં ઘરે જઇ હુમલો કર્યો હતો. હુમલાખોર યુવક તેજસ જાનીની માનસિક સ્થિતિ અસ્થિર હોવાનું સામે આવ્યું છે. પોલીસ તપાસમાં યુવકનાં ઘરે તાળા લટકતા જોવા મળ્યા. યુવક માતા-પિતાનાં મૃત્યુ બાદ એકલવાયું જીવન જીવતો હતો. હુમલા બાદ નોઇડા પોલીસે યુવક તેજસ જાનીની અટકાયત કરી હતી.
-
સુરત: બોર્ડની પરીક્ષાના પરિણામ પહેલા પોલીસે જાહેર કર્યો હેલ્પલાઈન નંબર
સુરત: બોર્ડની પરીક્ષાના પરિણામ પહેલા પોલીસે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો. પરીક્ષામાં નિષ્ફળતા અથવા ઓછા માર્કસ આવે તો નિરાશ ન થવા પોલીસે અપીલ કરી છે. હેલ્પલાઈન નંબર દ્વારા પોલીસનો સંપર્ક કરવાની પણ સૂચના આપવામાં આવી છે. પરીક્ષાના પરિણામથી હતાશ ન થવાની અપીલ કરાઈ છે. મિત્ર કે કોઈપણ વ્યક્તિ નિરાશ હોય તો તાત્કાલિક સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે.
-
આ વર્ષે ધોરણ 12ના સામાન્ય પ્રવાહમાં 4.23 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી
આ વર્ષે ધોરણ 12ના સામાન્ય પ્રવાહમાં 4.23 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જ્યારે 12 સાયન્સમાં એક લાખ અગિયાર હજારથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જણાવી દઈએ કે, GUJCET 2025નું પરિણામ પણ ધોરણ 12ના પરિણામ સાથે જાહેર કરવામાં આવશે.
-
સવારે 10.30 કલાકે gseb.org પર જોઈ શકાશે પરિણામ
ધોરણ 12 સાથે ગુજકેટનું પરિણામ પણ થશે જાહેર. સવારે 10.30 કલાકે gseb.org પર જોઈ શકાશે પરિણામ.
-
સુરતના પીપોદરા વિસ્તારમાંમાં વધુ એક આગ
સુરતના પીપોદરા વિસ્તારમાંમાં વધુ એક આગ લાગી છે. ભંગાળના ગોડાઉનમાં મોડી રાતે ભીષણ આગ લાગી છે. આગના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આગમાં ગોડાઉન બળીને ખાખ થયુ છે.
-
રાજ્યના ખેડૂતો માટે અંબાલાલ પટેલની ચિંતાજનક આગાહી
રાજ્યના ખેડૂતો માટે અંબાલાલ પટેલે ચિંતાજનક આગાહી કરી છે. કેરી પકવતા ખેડૂતો માટે પણ અંબાલાલ પટેલે ચેતવણી આપી છે. રાજ્યમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી છે. કચ્છ, ઉત્તર ગુજરાત, સોરાષ્ટ્રના ભાગોમાં માવઠાની શક્યતા છે. કમોસમી વરસાદ સાથે કરા પડવાની શક્યતા છે. 8 મેના રોજ રાજ્યમાં અતિભારે વરસાદ પડવાની આગાહી છે. કમોસમી વરસાદથી કેરી પકવતા ખેડૂતને મોટું નુકસાન થવાની શક્યતા છે.
-
GSEB ધોરણ 12નું પરિણામ જાહેર થશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 12 વિજ્ઞાન તથા સામાન્ય પ્રવાહ (Science & General Stream)નું પરિણામ 05 મે 2025ના રોજ એટલે કે આવતીકાલે સવારે 10:30 વાગ્યે જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ બોર્ડની અધિકૃત વેબસાઇટ www.gseb.org પર પોતાનો બેઠક નંબર દાખલ કરીને જોઈ શકે છે.
Published On - May 05,2025 7:25 AM





