07 ફેબ્રુઆરીના મહત્વના સમાચાર : અમદાવાદના મેમ્કોમાં દેરાણી જેઠાણી વચ્ચે ચાલતા મિલકતના ઝઘડામાં થયો પથ્થરમારો
Gujarat Live Updates આજ 07 ફેબ્રુઆરીના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

LIVE NEWS & UPDATES
-
ટ્રેડ ડીલ પૂર્ણ થવા પર પીએમ મોદીએ ટ્વીટ કરી કહ્યું, વિકસિત ભારત તરફ એક ડગલું
પીએમ મોદીએ ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સને વેપાર કરાર પર અભિનંદન આપ્યા છે. સોશિયલ મીડિયા એક્સ ( ટ્વીટર) પર વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ એક વચગાળાના વેપાર કરાર માટે એક માળખા પર કરાર પર પહોંચ્યા છે. હું રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો અમારા બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવા માટે તેમની વ્યક્તિગત પ્રતિબદ્ધતા બદલ આભાર માનું છું.
Great news for India and USA!
We have agreed on a framework for an Interim Trade Agreement between our two great nations. I thank President Trump for his personal commitment to robust ties between our countries.
This framework reflects the growing depth, trust and dynamism of… https://t.co/zs1ZLzamhd
— Narendra Modi (@narendramodi) February 7, 2026
-
SIR બાદ મહેસાણામાં મતદારોની સંખ્યા ઘટી, 1 લાખ 94 હજાર મતદારોના નામ રદ કરાયા
મહેસાણા જિલ્લામાં મતદારોની સંખ્યામાં જંગી ઘટાડો નોંધાયો છે. મતદાર યાદી સુધારણા દરમિયાન 23,341 વાંધા અરજીઓ આવી હતી. નામ કમી કરવા માટે કુલ 23,341 અરજીઓનો ખડકલો થયો છે. SIRની કામગીરીમાં 1,94,105 મતદારોના નામ રદ થયા છે. સ્થળાંતર અને મૃત્યુ સહિતના કારણોસર મતદારો ઘટ્યા હોવાનું તંત્ર દાવો કરી રહ્યું છે. અગાઉ 17.91 લાખ મતદારો હતા, હવે 15.97 લાખ મતદારો રહેવા પામ્યા છે.
-
-
સુરતના માંગરોળના નરોલી નજીક એક્સપ્રેસ હાઈવે પર કારમાં લાગી આગ, એકનો મૃતદેહ મળ્યો
એક્સપ્રેસ હાઇવે પર કારમાં આગની ઘટના બની છે. માંગરોળના નરોલી નજીક કારમાં આગ લાગી હતી. કારમાં આગ લાગતા કાર ભડકે બળી ગઈ હતી. કાર નજીકથી એક મૃતદેહ મળી આવ્યો છે. મૃતદેહ કોનો છે એ પોલીસ તપાસ કરી રહી છે. કાર વલસાડ પાસિંગની હોવાનું સામે આવ્યું છે. પોલીસ તેમજ 108 ઘટના સ્થળે પહોચીને તપાસ હાથ ધરી છે. પોલીસે અકસ્માત ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
-
અમદાવાદના મેમ્કોમાં દેરાણી જેઠાણી વચ્ચે ચાલતા મિલકતના ઝઘડામાં થયો પથ્થરમારો
અમદાવાદના મેમ્કો વિસ્તારમાં પારિવારિક ઝઘડામાં પથ્થરમારાની ઘટના બની છે. દેરાણી જેઠાણી વચ્ચે ચાલી રહેલા મિલકતના ઝઘડામાં થયો પથ્થરમારો. પથ્થર મારામાં બે વ્યક્તિ ઇજાગ્રસ્ત થઈ છે. કૃષ્ણનગર પોલીસે મામલો થાળે પાડ્યો હતો. ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. સમગ્ર બનાવને લઈ કૃષ્ણનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
-
સુરતમાં મોડીફાઈડ વ્હાઈટ લાઈટ વાળા વાહનો સામે ઝુંબેશ
સુરતમાં વાહનોમાં મોડીફાઈડ વ્હાઈટ લાઈટ વાળા વાહનો સામે ઝુંબેશ ટ્રાફિક પોલીસ અને RTO દ્વારા સંયુક્ત કાર્યવાહી કરવામાં આવી છે. આંખોને આંજી નાખતી વાહનોની વ્હાઈટ લાઇટ સામે કાર્યવાહી. સુરતના વાય જંક્શન ખાતે સ્પેશિયલ ડ્રાઇવ યોજવામાં આવી હતી. મોડીફાઇડ લાઇટવાળા વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે. રૂપિયા 1 હજારથી લઈ 6 હજાર સુધીનો દંડ કરાયો છે. અનેક વાહન ચાલકો RTO અને ટ્રાફિક પોલીસના સાણસામાં સપડાયા હતા. દંડ નહીં ભરે તો છ મહિના કેદ સુધીની જોગવાઈ.
-
આજે 07 ફેબ્રુઆરીને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - Feb 07,2026 7:18 AM