Medicinal Plant Farming: આ ઔષધીય પાકોની હંમેશા માગ રહે છે, સરકાર પણ ખેડૂતોને કરી રહી છે પ્રોત્સાહિત

ખેડૂતોની આવક બમણી કરવા માટે પ્રયત્નશીલ સરકાર ઔષધીય છોડની ખેતીને પણ પ્રોત્સાહન આપી રહી છે. આ માટે સરકારની તમામ યોજનાઓ ચાલી રહી છે અને ખેડૂતોને સબસીડી પણ આપવામાં આવી રહી છે.

Medicinal Plant Farming: આ ઔષધીય પાકોની હંમેશા માગ રહે છે, સરકાર પણ ખેડૂતોને કરી રહી છે પ્રોત્સાહિત
Farmer - File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 25, 2021 | 12:06 PM

આજના સમયમાં ખેડૂતો પરંપરાગત પાકોમાંથી રોકડિયા પાક તરફ વળી રહ્યા છે. ઔષધીય છોડ (Medicinal plants)ની ખેતી ખેડૂતો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ રહી છે. દવાઓ બનાવવાથી લઈને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત લોકો સુધી તેનો મોટા પાયે ઉપયોગ થઈ રહ્યો છે. જેમાં માગ પ્રમાણે ઉત્પાદનના અભાવે ખેડૂતો (Farmers) સારી કમાણી કરી રહ્યા છે અને કંપનીઓ ખેડૂતો સાથે કરાર કરીને ઔષધીય છોડની ખેતી(Medicinal Plant Farming)કરાવી રહ્યા છે.

ખેડૂતોની આવક બમણી કરવા માટે પ્રયત્નશીલ સરકાર ઔષધીય છોડની ખેતીને પણ પ્રોત્સાહન આપી રહી છે. આ માટે સરકારની તમામ યોજનાઓ ચાલી રહી છે અને ખેડૂતોને સબસીડી પણ આપવામાં આવી રહી છે. જેમાં ગુજરાતમાં થતા ઔષધીય પાકોમાં પામરોઝા, મેન્થા/ફુદીનો, લેમન ગ્રાસ, સિટ્રોનેલા, તુલસી (ત્રણ જાત રામ / શ્યામ / મીઠી), પચોલી, વેટીવેર ખસ વગેરે ઔષધીય અને સુગંધિત પાકોની ખેતી થાય છે.

અન્ય ઔષધીયમાં શતાવરી-નેપાલી, ચંદ્રસુર (અસાળિયો), સર્પગંધા, ગરમર/કોલીયસ ફોર્સખોલી, કોચા, સ્ટીવીયા, અશ્ચગંધા, એલોવેરા/ કુંવારપાઠું વગેરે પાકોની ઓષધીય ખેતી થાય છે. તેમજ બાયો ડિઝલ જેટ્રોફા-રતનજ્યોતનું પણ વાવેતર થાય છે.

અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો

ઔષધીય પાકો ઘણા પ્રકારે છે ઉપયોગી

ઉપરોક્ત ઔષધીયો તેમજ સુંગધિત પાકોનો મેડીકલ સિવાય અન્ય ઘણી વસ્તુઓમાં કાચા માલ તરીકે ઉપયોગ થાય છે. જેમ કે, સુંગધિત પાકોના તેલનો ઉપયોગ અત્તર-પરફ્યુમ, અગરબત્તી, દવા, કોસ્મેટિક, ઠંડા પીણા, ખાદ્ય પદાર્થો, બેકરી, ડીટર્જન્ટ સાબુ વગેરે. ઔષધીના મૂળિયાં, પાન અને બીજ પણ ખુબ ઉપયોગી છે જેથી આ પાકની ખુબ વધારે માગ છે.

ઔષધીય પાકોની માગ અને ફાયદા

એક ખેડૂત અનુસાર ગુજરાતમાં ઔષધીય અને સુંગધિત પાકોની ખેતીનું ભવિષ્ય ખુબ જ ઉજ્જવળ છે. જંગલો કપાઈ જતાં હવે ઔષધીય પાકની માગ ખુબ વધી છે એટલા માટે સરકાર પણ ઔષધીય પાકની ખેતી માટે ખેડૂતોને પ્રોત્સાહન આપી રહી છે અને ઘણી યોજનાઓ દ્વારા ખેડૂતોને સબસીડી પણ આપી રહી છે.

ખેડૂત અનુસાર ઔષધીય પાકોનો મુખ્ય ફાયદો એ છે કે તે કિલોના ભાવે વેચાય છે તેમજ જંતુનાશક દવાની નહિવત જરૂરીયાત રહે છે. જો બજાર ભાવની વાત કરવામાં આવે તો પામરોઝા તેલનો ભાવ અંદાજીત 1500 રૂપિયા પ્રતિ કિ.ગ્રા. છે. તેવી જ રીતે મેન્થા-ફુદીના તેલનો ભાવ અંદાજીત 800 રૂપિયાથી વધુ પ્રતિ કિ.ગ્રા છે.

લેમનગ્રાસ તેલના 800 રૂપિયા પ્રતિ કિ.ગ્રા છે તથા સિટ્રોનેલા તેલનો ભાવ અંદાજીત 1 હજાર રૂપિયા પ્રતિ કિ.ગ્રા છે. જો અશ્વગંધાની વાત કરીએ તો સુકામુળનો પાંચ મહિનાના પાકના અંદાજીત ભાવ 1255 પ્રતિ કિ.ગ્રા ભાવ મળે છે. સર્પગંધાના 14 મહિનાના પાકના સુકા મૂળનો અંદાજીત ભાવ 400 પ્રતિ કિ.ગ્રા મળે છે. આ પ્રકારે આ ઔષધીયોની માગ અને ભાવ રહે છે.

આ પણ વાંચો: Success Story: બિજમાતા તરીકે ઓળખાતા રાહીબાઈને કૃષિ ક્ષેત્રમાં મળી ચૂક્યો છે પદ્મશ્રી, લોકો માટે પ્રેરણાસ્ત્રોત છે રાહીબાઈ

આ પણ વાંચો: હવે મેદાની વિસ્તારમાં પણ થઈ શકશે સફરજનની ખેતી, સફરજનની આ જાતને વિકસિત કરનાર ખેડૂતની છે રસપ્રદ કહાની

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">