AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Natural Farming: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેડૂતોને આપશે પ્રાકૃતિક ખેતીનો મંત્ર, જાણો તેના વિશે

આણંદમાં યોજાનાર કાર્યક્રમમાં કુદરતી ખેતીની શક્તિ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. લોકોને જણાવવામાં આવશે કે કેવી રીતે ખેતીની આ પદ્ધતિ દેશના કૃષિ ક્ષેત્રમાં ક્રાંતિ લાવી શકે છે.

Natural Farming: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેડૂતોને આપશે પ્રાકૃતિક ખેતીનો મંત્ર, જાણો તેના વિશે
Natural Farming (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 14, 2021 | 7:38 AM
Share

રાસાયણિક ખાતરોના આડેધડ ઉપયોગ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)એ ઘણી વખત ચિંતા વ્યક્ત કરી છે. તેઓ ખેડૂતોને સજીવ અને કુદરતી ખેતી (Natural Farming) તરફ વળવા અપીલ કરી રહ્યા છે. ફરી એકવાર તેઓ ઓર્ગેનિક અને કુદરતી ખેતી પર ભાર આપી રહ્યા છે. આ 16 ડિસેમ્બરના રોજ, તેઓ ગુજરાતના આણંદમાં કુદરતી ખેતી પરના રાષ્ટ્રીય કોન્ક્લેવને સંબોધિત કરશે. અહીં ખતરનાક રસાયણોથી મુક્ત ખેતીના ભાવિ માટેનો રોડમેપ નક્કી કરવાનો પ્રયાસ કરવામાં આવશે.

રાસાયણિક મુક્ત (Chemical Free) ખેતી માટે વડાપ્રધાન મોદીની લાંબા સમયથી ચાલી આવતી અપીલનું ફળ મળવા લાગ્યું છે. હાલમાં દેશમાં 44 લાખથી વધુ ખેડૂતો ઓર્ગેનિક ખેતી સાથે જોડાયા છે, જ્યારે 2003-04માં ભારતમાં માત્ર 76 હજાર હેક્ટરમાં આવી ખેતી થતી હતી. બીજી તરફ, કુદરતી ખેતી હેઠળ અત્યાર સુધીમાં 4.09 લાખ હેક્ટર વિસ્તાર આવરી લેવામાં આવ્યો છે.

આચાર્ય દેવવ્રત રસ ધરાવે છે

આ કાર્યક્રમમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત (Governor of Gujarat Acharya Devvrat) ખૂબ જ ઉત્સાહથી પોતાની ભૂમિકા નિભાવી રહ્યા છે. જેમનું હરિયાણાના કુરુક્ષેત્રમાં ગુરુકુળ છે, જ્યાં લગભગ 200 એકર જમીનમાં પ્રાકૃતિક ખેતી કરવામાં આવે છે. આચાર્યએ એકવાર કહ્યું હતું કે ઝીરો બજેટ એટલે કે કુદરતી ખેતી એ એવી ખેતી પદ્ધતિ છે જે જમીનની ફળદ્રુપતા વધારે છે. તે સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે. કુદરતી ખેતીમાં પાણીનો વપરાશ પણ ઓછો થાય છે.

પાંચ હજારથી વધુ ખેડૂતો ઉપસ્થિત રહેશે

આણંદમાં યોજાનાર કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતીની શક્તિ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. લોકોને જણાવવામાં આવશે કે કેવી રીતે ખેતીની આ પદ્ધતિ દેશના કૃષિ ક્ષેત્રમાં ક્રાંતિ લાવી શકે છે. આ કાર્યક્રમમાં પાંચ હજારથી વધુ ખેડૂતો ઉપસ્થિત રહેશે. ઇન્ડિયન એગ્રીકલ્ચરલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની 85 સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ અને 600 કૃષિ વિજ્ઞાન કેન્દ્રો (KVK) આ ઇવેન્ટમાં ભાગ લઈ રહ્યાં છે.

આ પ્રસંગે ગુજરાતમાં કુદરતી ખેતીની પહેલ પર એક શોર્ટ ફિલ્મ બતાવવામાં આવશે. આપને જણાવી દઈએ કે કુદરતી ખેતીનો ખ્યાલ મહારાષ્ટ્રના રહેવાસી સુભાષ પાલેકર દ્વારા આપવામાં આવ્યો છે.

કૃષિ ઈનપુટ્સ પર નિર્ભરતા ઘટાડવાનો પ્રયાસ

કેન્દ્રીય કૃષિ મંત્રાલયના અધિકારીઓનું કહેવું છે કે અમારી ઉભરતી સમસ્યાઓના ઉકેલની શોધમાં ખેડૂતોએ પણ યોગદાન આપ્યું છે અને નવી વ્યૂહરચના બનાવી છે. આવી વ્યૂહરચનાઓ વચ્ચે કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. જેથી કરીને ખેડૂતોની કૃષિ ઈનપુટ્સ પરની નિર્ભરતા ઘટાડી શકાય.

કુદરતી ખેતી દ્વારા જમીનની તંદુરસ્તી જળવાઈ રહે છે. આ માટે દેશી ગાયનું છાણ અને ગૌમૂત્ર ઇનપુટ છે. જેમાંથી બીજામૃત, જીવામૃત અને ઘનજીવામૃત જેવા કૃષિ ઈનપુટ્સ તૈયાર કરવામાં આવે છે.

અહીં સૌથી વધુ કુદરતી ખેતી કરવામાં આવે છે

કૃષિ મંત્રાલયના અધિકારીઓનું કહેવું છે કે આંધ્રપ્રદેશમાં સૌથી વધુ કુદરતી ખેતી થઈ રહી છે. જ્યાં એક લાખ હેક્ટરથી વધુ વિસ્તાર તેના દાયરામાં આવ્યો છે. અહીં લગભગ સાડા પાંચ લાખ ખેડૂતો આવી ખેતી કરી રહ્યા છે. એ જ રીતે મધ્ય પ્રદેશમાં 99000 હેક્ટર, છત્તીસગઢમાં 85000 હેક્ટર, કેરળમાં 84000 હેક્ટરમાં કુદરતી ખેતી કરવામાં આવી રહી છે. બીજી તરફ હિમાચલ પ્રદેશ, ઝારખંડ, ઓડિશા, મધ્ય પ્રદેશ અને તમિલનાડુ વગેરેમાં તેના પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો: Viral Video: ફુટબોલ રમતા હરણનો વીડિયો થયો વાયરલ, જુઓ કેવી રીતે ગોલ કરી મનાવી જીતની ખુશી !

આ પણ વાંચો: Viral Video: દુલ્હા-દુલ્હન ઝુલાથી સ્ટેજ પર ગ્રાન્ડ એન્ટ્રી કરવા માગતા હતા પણ થયું કંઈક અલગ જ ! જૂઓ વીડિયો

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">