AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ખેડૂતોને સબસિડી આપવા માટે સરકાર 15,000 કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચ કરશે, જાણો શું છે સંપૂર્ણ યોજના

ચાલુ નાણાકીય વર્ષ માટે, ખાતર મંત્રાલયે આયાતી ખાતરો પર સબસિડી આપવા માટે 20 હજાર કરોડ રૂપિયા ફાળવ્યા હતા, જે સમાપ્ત થયા છે. તેથી, બીજી પૂરક ગ્રાન્ટ દ્વારા હવે રૂ. 15,000 કરોડની વધારાની સબસિડીનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

ખેડૂતોને સબસિડી આપવા માટે સરકાર 15,000 કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચ કરશે, જાણો શું છે સંપૂર્ણ યોજના
Farmers will get loans of 23,500 crore ( Impact Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 24, 2021 | 3:37 PM
Share

ખેડૂતોના ખર્ચમાં ઘટાડો કરવા અને આવક (Farmers Income) વધારવા માટે સરકાર પોતાની ક્ષમતા મુજબના તમામ પ્રયાસો કરી રહી છે. સમાચાર આવી રહ્યા છે કે કેન્દ્ર સરકાર ખેડૂતોને રાહત આપવા માટે 15,000 કરોડ રૂપિયા ખર્ચ કરી શકે છે. સમાચાર અનુસાર, ભારત સરકાર આયાતી યુરિયા પર સબસિડી (Fertilizer Subsidy) વધારી શકે છે. આ માટે 15,000 કરોડ રૂપિયાની વધારાની ફાળવણીનો પ્રસ્તાવ તૈયાર કરવામાં આવ્યો છે, જે આવતા મહિને એટલે કે જાન્યુઆરી 2022માં નાણાં મંત્રાલયને મોકલવામાં આવશે.

ખાતરના વૈશ્વિક ભાવમાં વધારાને ધ્યાનમાં રાખીને પ્રસ્તાવ તૈયાર કરવામાં આવ્યો ખાતરની વૈશ્વિક કિંમતોમાં ભારે વધારાને (Fertilizer Rate) ધ્યાનમાં રાખીને, ખાતર મંત્રાલયે ખાતર પર આપવામાં આવતી સબસિડીની રકમ વધારવાનો પ્રસ્તાવ તૈયાર કર્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આંતરરાષ્ટ્રીય બજારોમાં યુરિયાની વર્તમાન કિંમતોને ધ્યાનમાં રાખીને, ખાતર મંત્રાલય દ્વારા સબસિડી આપવા માટે જે રકમ નક્કી કરવામાં આવી છે, હવે તેનાથી ઘણી વધુ રકમની જરૂર છે.

સબસિડી માટે અગાઉ ફાળવવામાં આવેલા 20 હજાર કરોડ પૂરા થયા આ સમગ્ર ઘટનાને ધ્યાનમાં રાખીને, ખાતર મંત્રાલયે આયાતી ખાતરો પર સબસિડી આપવા માટે વધારાના 15 હજાર કરોડ રૂપિયા ખર્ચવાનો પ્રસ્તાવ તૈયાર કર્યો છે, જેનો ઉપયોગ ચાલુ નાણાકીય વર્ષના અંત સુધી કરવામાં આવશે. અહેવાલ મુજબ, ચાલુ નાણાકીય વર્ષ માટે, ખાતર મંત્રાલયે આયાતી ખાતરો પર સબસિડી આપવા માટે 20 હજાર કરોડ રૂપિયા ફાળવ્યા હતા, જે સમાપ્ત થયા છે. તેથી, બીજી પૂરક ગ્રાન્ટ દ્વારા હવે રૂ. 15,000 કરોડની વધારાની સબસિડીનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

ખાતરની અછતથી ખેડૂતો પરેશાન આપને જણાવી દઈએ કે દેશભરના ખેડૂતો આ દિવસોમાં ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. પહેલા કમોસમી વરસાદે ખેતરોમાં તૈયાર કરેલા પાકને બરબાદ કરી નાખ્યો હતો. ખેડૂતો હવામાનના પાયમાલમાંથી બહાર નીકળી શક્યા ન હતા કે ખાતરની અછતથી ખેડૂતોની મુશ્કેલીઓમાં અનેક ગણો વધારો થયો છે.

ખાતરની અછતને કારણે ખાતરનું કાળાબજાર આડેધડ શરૂ થયું. પરિણામે ખેડૂતોને ખાતર ખરીદવા માટે નિયત કિંમત કરતાં વધુ રકમ ચૂકવવી પડી હતી. જો કે, સરકારોએ ખાતરની અછત અને કાળાબજાર સામે કડક પગલાં લીધાં અને દોષિતો સામે કડક પગલાં પણ લેવાયાં છે.

આ પણ વાંચો : એક મહિનામાં ટામેટાના ભાવમાં 25 ટકા સુધીનો ઘટાડો નોંધાયો, છૂટક બજારમાં ટામેટા 58 રૂપિયા પ્રતિ કિલો સસ્તા થયા

આ પણ વાંચો : Gram farming : ચણાની ખેતી કરતા ખેડૂતો આ ટિપ્સ અપનાવશે તો વધશે ઉત્પાદન તો કમાણી પણ થશે અઢળક

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">