AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GST Collection: ફેબ્રુઆરી 2022માં 1.33 લાખ કરોડ રૂપિયા કલેક્શન થયું, એક વર્ષમાં 18 ટકાનો ઉછાળો

ફેબ્રુઆરી 2022માં GST કલેક્શન રૂ. 1,33,026 કરોડ છે. CGST કલેક્શન રૂ. 24,435 કરોડ, SGST રૂ. 30,779 કરોડ, IGST રૂ. 67,471 કરોડ અને સેસ રૂ. 10,340 કરોડ થયું છે .

GST Collection: ફેબ્રુઆરી 2022માં 1.33 લાખ કરોડ રૂપિયા કલેક્શન થયું, એક વર્ષમાં 18 ટકાનો ઉછાળો
GST કલેક્શનમાં વધારો નોંધાયો
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 02, 2022 | 6:36 AM
Share

GST COLLECTION: ફેબ્રુઆરી 2022 માટે GST કલેક્શનના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. GST ની કુલ આવક ફેબ્રુઆરી 2022 માટે રૂપિયા 1,33,026 કરોડ એકત્ર થઇ છે . આ પાંચમી વખત છે જ્યારે GST કલેક્શન રૂ. 1.30 લાખ કરોડને વટાવી ગયું છે. ફેબ્રુઆરી 2022 માં ફેબ્રુઆરી 2021 ની સરખામણીમાં GST કલેક્શન 18 ટકા વધ્યું છે જ્યારે ફેબ્રુઆરી 2020 ની સરખામણીમાં કલેક્શનમાં 26 ટકાનો વધારો થયો છે.  GST કલેક્શન રૂ. 1.30 લાખ કરોડને વટાવી ગયું છે. પહેલીવાર GST સેસ કલેક્શન રૂ. 10,000 કરોડને પાર કરી ગયું છે. જે દર્શાવે છે કે ઓટોમોબાઈલ સેક્ટર જેવા સેક્ટરમાં રિકવરી પાછી આવી રહી છે.

ફેબ્રુઆરી 2022માં GST કલેક્શન રૂ. 1,33,026 કરોડ છે. CGST કલેક્શન રૂ. 24,435 કરોડ, SGST રૂ. 30,779 કરોડ, IGST રૂ. 67,471 કરોડ અને સેસ રૂ. 10,340 કરોડ થયું છે . ફેબ્રુઆરી મહિનામાં નિયમિત સેટલમેન્ટ બાદ કેન્દ્ર સરકારની આવક રૂ. 50,782 કરોડ થઈ છે જ્યારે રાજ્યોની કુલ આવક રૂ. 52,688 કરોડ રહી છે. ફેબ્રુઆરી 2022માં GST રેવન્યુ કલેક્શનમાં 18 ટકાનો વધારો થયો છે તે ફેબ્રુઆરી 2020ની સરખામણીમાં 26 ટકા વધ્યો છે. ફેબ્રુઆરી મહિનામાં આયાતમાંથી આવકમાં 38%નો વધારો થયો છે.

નાણા મંત્રાલયે ડેટા જાહેર કરતા કહ્યું છે કે ફેબ્રુઆરી મહિનો જાન્યુઆરી કરતા ઓછા દિવસનો છે કારણ કે તેના 28 દિવસ છે. ફેબ્રુઆરીમાં રાજ્યોએ કોરોના રોગચાળાના ઓમિક્રોન વેરિઅન્ટને કારણે આંશિક લોકડાઉન, રાત્રિ કર્ફ્યુ અને પ્રતિબંધની અસર દેખાઈ હતી . આ પાંચમી વખત છે જ્યારે GST કલેક્શન રૂ. 1.30 લાખ કરોડને વટાવી ગયું છે. પહેલીવાર GST સેસ કલેક્શન રૂ. 10,000 કરોડને પાર કરી ગયું છે. જે દર્શાવે છે કે ઓટોમોબાઈલ સેક્ટર જેવા સેક્ટરમાં રિકવરી પાછી આવી રહી છે.

1 એપ્રિલથી 20 કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતી કંપનીઓ માટે E-Invoice ફરજિયાત

20 કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતા વેપારીઓ માટે 1 એપ્રિલથી B2B વ્યવહારો માટે ઈલેક્ટ્રોનિક ઈન્વોઈસ (E-Invoice) જનરેટ કરવાનું ફરજીયાત બનાવાયું છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ્સે આ અંગે જાહેરાત કરી છે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) એક્ટ હેઠળ 500 કરોડ રૂપિયાથી વધુનું ટર્નઓવર ધરાવતી કંપનીઓ માટે 1 ઓક્ટોબર 2020 થી બિઝનેસ ટુ બિઝનેસ (B2B) વ્યવહારો માટે ઈ-ઈનવોઈસિંગ ફરજિયાત કરવામાં આવ્યું હતું. આ નિર્ણય બાદમાં 1 જાન્યુઆરી 2021 થી એ કંપનીઓ માટે પણ લાગુ કરવામાં આવ્યું હતું જેનું ટર્નઓવર 100 કરોડથી વધુ છે.

ગયા વર્ષે 1 એપ્રિલથી 50 કરોડ રૂપિયાથી વધુનું ટર્નઓવર ધરાવતી કંપનીઓ B 2 B ઇનવોઇસ જનરેટ કરી રહી હતી. હવે આ નિયમ વધારીને 20 કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતી કંપનીઓ માટે લાગુ કરવામાં આવી રહ્યો છે. આ સાથે 1 એપ્રિલ 2022 થી વધુ સપ્લાયરોએ ઈ-ઈનવોઈસ જનરેટ કરવાનું કહેવામાં આવ્યું છે. જો ઇનવોઇસ માન્ય ન હોય તો વ્યક્તિ યોગ્ય દંડ સિવાય તેના પર ઇનપુટ ટેક્સ ક્રેડિટ લઈ શકશે નહીં.

આ પણ વાંચો : જાન્યુઆરીમાં પી-નોટ્સ દ્વારા રોકાણમાં ઘટાડો, આગળ પણ રશિયા યુક્રેન સંકેટની જોવા મળશે અસર

આ પણ વાંચો : MONEY9: તમે સંતાનોને વારસામાં વિવાદ આપવા માગો છો કે શાંતિ? જો શાંતિ, તો જુઓ આ વીડિયો

અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">