અંબાણીની કંગાળ કંપનીના રોકાણકારોની પરસેવાની કમાણી ડૂબશે કે પરત મળશે? ડીલિસ્ટિંગની તૈયારીઓ ચાલી રહી છે
દેશના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના ભાઈ અનિલ અંબાણીની ભારે દેવામાં ડૂબેલી કંપની રિલાયન્સ કેપિટલ હવે શેરબજારમાંથી ગાયબ થઈ જશે. ગંભીર નાણાકીય સંકટમાં ફસાયેલી અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કેપિટલને હવે ભારતીય સ્ટોક એક્સચેન્જોમાંથી ડીલિસ્ટ કરવામાં આવશે.
![અંબાણીની કંગાળ કંપનીના રોકાણકારોની પરસેવાની કમાણી ડૂબશે કે પરત મળશે? ડીલિસ્ટિંગની તૈયારીઓ ચાલી રહી છે](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/02/reliance-capital-1.jpg?w=1280)
દેશના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના ભાઈ અનિલ અંબાણીની ભારે દેવામાં ડૂબેલી કંપની રિલાયન્સ કેપિટલ હવે શેરબજારમાંથી ગાયબ થઈ જશે. ગંભીર નાણાકીય સંકટમાં ફસાયેલી અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કેપિટલને હવે ભારતીય સ્ટોક એક્સચેન્જોમાંથી ડીલિસ્ટ કરવામાં આવશે. કંપનીએ આજે એક એક્સચેન્જ ફાઇલિંગમાં આ માહિતી આપી છે.
NCLTએ RCLની કમાન હિન્દુજા ગ્રૂપને સોંપી
નેશનલ કંપની લો ટ્રિબ્યુનલએ હિન્દુજા ગ્રુપને રિલાયન્સ કેપિટલ ખરીદવાની મંજૂરી આપી છે. રિલાયન્સ કેપિટલના શેરમાં ટ્રેડિંગ 26 ફેબ્રુઆરી 2024 એટલે કે આ સોમવારથી બંધ છે. એક્સચેન્જ ફાઈલિંગમાં રિલાયન્સ કેપિટલએ જાહેરાત કરી હતી કે તે કંપનીના હાલના ઈક્વિટી શેરને મંજૂર રિઝોલ્યુશન પ્લાન હેઠળ એક્સચેન્જોમાંથી ડિલિસ્ટ કરવાનું વિચારી રહી છે કારણ કે મંજૂર રિઝોલ્યુશન પ્લાન હાલના ઈક્વિટી શેરને ડિલિસ્ટ કરવાનું વિચારે છે.
જાણો રોકાણકારોના પૈસાનું શું થશે?
- NCLTના આદેશ અને SEBI ના ડિલિસ્ટિંગ ઑફ ઇક્વિટી શેર્સ રેગ્યુલેશન્સ 2021 મુજબ રિલાયન્સ કેપિટલના ઇક્વિટી શેરને સ્ટોક એક્સચેન્જોમાંથી ડિલિસ્ટ કરવામાં આવશે.
- RCLના ઇક્વિટી શેરધારકો માટે લિક્વિડેશન મૂલ્ય શૂન્ય પર નિશ્ચિત કરવામાં આવ્યું છે. આનો અર્થ એ છે કે તેમને કોઈ ચુકવણી અથવા ઓફર પ્રાપ્ત થશે નહીં.
- NCLT મંજૂરીના આદેશ મુજબ RCLની સમગ્ર વર્તમાન શેર મૂડી રદ કરવામાં આવશે અને વળતર વિના ફડચામાં જશે.
- IIHL અને અમલીકરણ યુનિટ તેના નોમિનીઓ સાથે રિલાયન્સ કેપિટલ લિમિટેડના એકમાત્ર શેરધારકો બનશે.
- ભારતીય સ્ટોક એક્સચેન્જ સેબી ડિલિસ્ટિંગ ઓફ ઇક્વિટી શેર્સ રેગ્યુલેશન્સ અનુસાર અને NCLTના મંજૂર રિઝોલ્યુશન પ્લાન અને સંબંધિત નિયમોના પાલનમાં ડિલિસ્ટિંગ પ્રક્રિયા શરૂ કરશે.
ઇન્ડસઇન્ડ ઇન્ટરનેશનલ હોલ્ડિંગ્સ લિમિટેડ રિલાયન્સ કેપિટલના નવા માલિક બનશે
ઇન્સોલ્વન્સી રિઝોલ્યુશન પ્રક્રિયા હેઠળ NCLTએ હિંદુજા ગ્રૂપની કંપની ઇન્ડસઇન્ડ ઇન્ટરનેશનલ હોલ્ડિંગ્સ લિમિટેડને રિલાયન્સ કેપિટલ ખરીદવા માટે લીલી ઝંડી આપી હતી. ઇન્ડસઇન્ડ ઇન્ટરનેશનલ હોલ્ડિંગ્સે રિલાયન્સ કેપિટલ માટે રૂ. 9650 કરોડનો રિઝોલ્યુશન પ્લાન રજૂ કર્યો હતો.
ધીરુભાઈ અંબાણીએ 37 વર્ષ પહેલા આ કંપનીની સ્થાપના કરી હતી
રિલાયન્સ ગ્રુપના સ્થાપક ધીરુભાઈ અંબાણીએ આ કંપનીની સ્થાપના 37 વર્ષ પહેલા 5 માર્ચ 1986ના રોજ કરી હતી. રિલાયન્સ કેપિટલ લિમિટેડને 1986માં અમદાવાદ, ગુજરાતમાં રિલાયન્સ કેપિટલ એન્ડ ફાઇનાન્સ ટ્રસ્ટ લિમિટેડ તરીકે સામેલ કરવામાં આવ્યું હતું. તેનું નામ રિલાયન્સ કેપિટલ 5 જાન્યુઆરી 1995ના રોજ અમલમાં આવ્યું.
રિલાયન્સ ગ્રુપના પ્રમોટર અનિલ અંબાણી રિલાયન્સ કેપિટલના ચીફ છે. 29 નવેમ્બર, 2021 ના રોજ, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ ચુકવણી ડિફોલ્ટ અને ગંભીર વહીવટી સમસ્યાઓને ધ્યાનમાં રાખીને રિલાયન્સ કેપિટલના બોર્ડને વિસર્જન કર્યું હતું.