AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ganesh chaturthi 2022: જો આપને છે આર્થિક પ્રગતિની કામના તો અચૂક કરો શ્રીગણેશનો આ સરળ ઉપાય !

શ્રીગણેશ (Shree Ganesh) સૌની કામનાઓને પૂર્ણ કરનારા દેવ છે. આ ગણેશોત્સવ દરમિયાન કરેલો એક સરળ ઉપાય તમારી આર્થિક પ્રગતિ કરાવી શકે છે તો ગજાનને લગાવેલો એક વિશેષ ભોગ કરાવી શકે તમારા સંતાનોના વિવાહ.

Ganesh chaturthi 2022: જો આપને છે આર્થિક પ્રગતિની કામના તો અચૂક કરો શ્રીગણેશનો આ સરળ ઉપાય !
Ganesha
TV9 Bhakti
| Edited By: | Updated on: Sep 02, 2022 | 6:10 AM
Share

ગણેશજી (shree Ganesh) એટલે તો વિઘ્નોને હરનારા અને સુખ તથા સમૃદ્ધિને અર્પનારા દેવ છે. સૌના વિઘ્નોને દૂર કરનારા ગણેશજીને ભજવાનો સૌથી ઉત્તમ સમય એટલે ગણેશોત્સવ (Ganeshotsav). પાવનકારી ગણેશોત્સવ ચાલી રહ્યો છે. લોકો અલગ અલગ ગણપતિ મંદિરોમાં જઈ ગજાનનની આરાધના કરી રહ્યા છે સાથે લોકો ઘરે અને અલગ અલગ ગણેશ પંડાલોમાં (Ganesh Pandal) પણ પ્રભુના સુંદર સ્વરૂપોનું સ્થાપન કરી શ્રીગણેશને ભજી રહ્યા છે.

કહે છે કે જે વ્યક્તિ ગણેશોત્સવ દરમિયાન આસ્થા સાથે સિદ્ધિ વિનાયકને ભજે છે તેમની દરેક મનોકામનાને મંગલમૂર્તિ પૂર્ણ કરે છે. ત્યારે આજે અમે આપને કેટલાક એવા ઉપાયોની કરીશું વાત કે જેનો પ્રયોગ કરવાથી આપની પરેશાનીઓ પણ દૂર થશે અને સાથે જ આપની કામનાઓની પણ પૂર્તિ કરશે શ્રીગણેશ.

સમસ્યાઓ દૂર કરશે સિદ્ધિ વિનાયક

ગણેશોત્સવ દરમિયાન શક્ય હોય તો દરેક દિવસ ગજાનનના દર્શને જવું. અને ગણેશજીના મંદિરમાં જઈ તમારી દરેક મનશા અને સમસ્યા બાપ્પાને કહી દેવી. એટલું જ નહીં, શક્ય હોય તો હાથીને લીલો ઘાસચારો નીરવો જોઈએ. આવું કરવાથી વ્યક્તિની દરેક સમસ્યાને દૂર કરે છે સિદ્ધિ વિનાયક.

વિવાહ આડેના વિઘ્નો દૂર કરશે વિઘ્નહર્તા

જો આપની દીકરીના વિવાહ આડે આવે છે વિઘ્નો તો અચૂક કરો વિઘ્નહર્તાનો આ ઉપાય. ગણેશોત્સવ દરમિયાન આપ કોઈ એક દિવસ શક્ય હોત તો ઉત્સવ દરમિયાન આવતા મંગળવારે આપ ગણેશજીને માલપુઆનો ભોગ અર્પણ કરો. આ દિવસે વ્રત પણ આપ રાખી શકો છો. કહેવાય છે કે આસ્થા સાથે શ્રીજીને માલપુઆનો ભોગ લગાવવો અને આસ્થા સાથએ લંબોદરને પ્રાર્થના કરવી. ગજાનન વિવાહ આડે આવતા વિઘ્નોને દૂર કરતાં હોવાની માન્યતા છે.જો આપના દિકરાના લગ્નમાં અવરોધો આવી રહ્યા હોય તો આપ ભગવાન ગણેશને પીળા રંગની મિઠાઇનો ભોગ અર્પણ કરો.

આર્થિક સમસ્યાઓ દૂર કરશે શ્રીગણેશ

જો વ્યક્તિના જીવનમાં છે આર્થિક પરેશાની, તો અચૂક કરો આ ઉપાય. કહેવાય છે કે ગણેશજીને સિંદૂર પ્રિય છે. ગણેશોત્સવ દરમિયાન તો ખાસ ગણેશજીને સિંદૂરનું તિલક લગાવવું જોઈએ. કહેવાય છે આ સરળ ઉપાયથી આર્થિક ક્ષેત્રે અવરોધ પેદા કરનારી દરેક સમસ્યામાંથી મુક્તિ મળે છે. અને ઘરમાં રિદ્ધિ – સિદ્ધિ બરકરાર રહે છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Follow Us
વડોદરામાં 3 મહિલા કોથળામાં ભરીને ગલુડીયા ચોરી ગઈ ! વીડિયો વાયરલ
વડોદરામાં 3 મહિલા કોથળામાં ભરીને ગલુડીયા ચોરી ગઈ ! વીડિયો વાયરલ
ભાવનગર કોંગ્રેસ પ્રમુખને હાઈકોર્ટની રાહત: ધરપકડ મામલે મોટો આદેશ
ભાવનગર કોંગ્રેસ પ્રમુખને હાઈકોર્ટની રાહત: ધરપકડ મામલે મોટો આદેશ
જૂનાગઢમાં ચૂંટણી પૂર્વે મતદારોનો મિજાજ: કાલસારીના રહીશોએ શું કહ્યું?
જૂનાગઢમાં ચૂંટણી પૂર્વે મતદારોનો મિજાજ: કાલસારીના રહીશોએ શું કહ્યું?
અમદાવાદમાં કોંગ્રેસનો ડમી EVM સાથે પ્રચાર: મતદારોને અપાઈ ટ્રેનિંગ
અમદાવાદમાં કોંગ્રેસનો ડમી EVM સાથે પ્રચાર: મતદારોને અપાઈ ટ્રેનિંગ
આણંદના સાંસદ મિતેશ પટેલના ગ્રાન્ટના નિવેદન અંગેનો વિવાદ વકર્યો
આણંદના સાંસદ મિતેશ પટેલના ગ્રાન્ટના નિવેદન અંગેનો વિવાદ વકર્યો
વિરોધનું આયોજન પહેલેથી જ કરાયું હતું : બોઘાવાલા
વિરોધનું આયોજન પહેલેથી જ કરાયું હતું : બોઘાવાલા
BJP ના કાર્યકર્તાઓ મહિલાઓ સાથે ગેરવતર્ન, જુઓ વીડિયો
BJP ના કાર્યકર્તાઓ મહિલાઓ સાથે ગેરવતર્ન, જુઓ વીડિયો
અજય તિવારીનો ફોન પણ બંધ કરી સંપર્ક વિહોણા થયો : સૂત્રો
અજય તિવારીનો ફોન પણ બંધ કરી સંપર્ક વિહોણા થયો : સૂત્રો
બહાર નીકળતા પહેલા સાવધાન! ગાભા કાઢી નાખે તેવી ગરમી પડશે!
બહાર નીકળતા પહેલા સાવધાન! ગાભા કાઢી નાખે તેવી ગરમી પડશે!
નાણાકીય સ્થિતિ મજબૂત થશે, સામાજિક પ્રવૃત્તિ ખુશી અપાવશે
નાણાકીય સ્થિતિ મજબૂત થશે, સામાજિક પ્રવૃત્તિ ખુશી અપાવશે
g clip-path="url(#clip0_868_265)">