AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પહલગામ હુમલામાં પતિ- પુત્રને ગુમાવનાર કાજલબેને ઓપરેશન સિંદૂર માટે સેનાનો માન્યો આભાર, કહ્યુ પાકિસ્તાનનું નામોનિશાન મિટાવી દો

પહલગામ હુમલામાં પતિ અને પુત્રને ગુમાવનાર ભાવનગરના કાજલબેન એ ઍરસેનાના ઓપરેશન સિંદૂર વિશે તેમની પ્રતિક્રિયા આપી છે. કાજલબેને જણાવ્યુ કે સેનાની આ કાર્યવાહીથી તેમને ઘણી શાંતિ મળી છે. વધુમાં તેમણે ઉમેર્યુ કે હું મોદી સાહેબને પ્રાર્થના કરુ છુ કે તેઓ પાકિસ્તાનનું નામોનિશાન મિટાવી દે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 07, 2025 | 4:27 PM
Share

પહલગામમાં આતંકી હુમલામાં પતિ યતીશ પરમાર અને પુત્ર સ્મિત ને ગુમાવનારા ભાવનગરના કાજલબેન પરમારે બુધવારે ભારતીય સશસ્ત્ર દળો દ્વારા ચલાવવામાં આવેલા ‘ઓપરેશન સિંદૂર’ની પ્રશંસા કરી એને સરકાર સમક્ષ પાકિસ્તાનનું નામોનિશાન મિટાવી દેવાની માગ કરી.

ભારતીય વાયુસેનાએ બુધવારે વહેલી સવારે પાકિસ્તાન અને પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરમાં 9 આતંકી ઠેકાણાઓ પર મિસાઈલ હુમલા કર્યા, જેમા જૈશ-એ મોહમ્મદના ગઢ બહાવલપુર અને લશ્કર -એ – તૈયબાના અડ્ડા મુરીદકે સામેલ છે. પહલગામ હુમલામાં પોતાના સ્વજનોને ગુમાવનારા હતભાગી પરિવારોને આજે શાંતિ મળી છે.

“પાકિસ્તાનનો સંપૂર્ણપણે સફાયો થાય તેવી પીએમ મોદીને પ્રાર્થના”

પહલગામ આતંકી હુમલામાં તેના પતિ યતીશ પરમાર અને પુત્ર સ્મિતને ગુમાવનારા ભાવનગરના કાજલબેને સેનાના ઓપરેશન સિંદૂરની ભારોભાર પ્રશંસા કરી અને સરકાર સમક્ષ ત્યાં સુધી કાર્યવાહી શરૂ રાખવાની માગ કરી જ્યા સુધી પાકિસ્તાનનું નામોનિશાન ન મટી જાય.

ભાવનગરમાં tv9 સમક્ષ વાત કરતા કાજલબેન પરમારે જણાવ્યુ કે પાકિસ્તાન પર કરવામામ આવેલા હુમલાથી મને ઘણી શાંતિ થઈ છે. હું સેનાને સલામ કરુ છુ અને હ્રદયના ઉંડાણથી આભાર માનુ છુ. હું પીએમ મોદીનો પણ ખૂબ આભાર વ્યક્ત કરુ છુ અને ઈશ્વર સમક્ષ પ્રાર્થના કરુ છુ ભારતને હંમેશા નરેન્દ્ર મોદી જેવા ખરા દેશભક્ત વડાપ્રધાન મળે. હજુ મારી પીએમ મોદી સમક્ષ પ્રાર્થના છે કે આવા અનેક હુમલાઓ કરી પાકિસ્તાનનું નામોનિશાન મિટાવી દે. આ તરફ પોતાના ભાઈ અને પિતાને ગુમાવનારા કાજલબેનના પુત્રએ પણ કહ્યુ કે તેઓ ઈચ્છે છે આતંકવાદનો અને પાકિસ્તાનનો સંપૂર્ણપણે સફાયો થાય.

Input Credit- Ajit Gadhvi- Bhavnagar

દેશ અને દુનિયાના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">