Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahisagar Video : સગીરા પર દુષ્કર્મ કેસ મામલે જિલ્લા કોંગ્રેસ સમિતિએ કલેકટરને આપ્યું આવેદનપત્ર

Mahisagar Video : સગીરા પર દુષ્કર્મ કેસ મામલે જિલ્લા કોંગ્રેસ સમિતિએ કલેકટરને આપ્યું આવેદનપત્ર

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 19, 2023 | 6:03 PM

પીડિતાને લુણાવાડા હોસ્પિટલમાંથી ગોધરા રિફર કરાઈ હતી. જે બાદ ફરી સગીરાને સારવાર માટે લુણાવાડા કોટેડ હોસ્પિટલમાં ખસેડાઈ છે. સારવાર આપનાર ડૉક્ટર આરોપી આચાર્ય રાજેશ પટેલના સંબંધી હોવાથી રજા આપ્યાનો આક્ષેપ કરાયો છે. જેને લઈને ડૉકટર અને હોસ્પિટલ સ્ટાફ બદલવા પરિવારજનો માગ કરી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા પીડિતાને ન્યાય અપાવા કલેક્ટરને રજૂઆત કરાઈ છે.

Mahisagar : મહીસાગરમાં સગીરા સાથે દુષ્કર્મ કેસ અંગે જિલ્લા કોંગ્રેસ સમિતિએ કલેક્ટરને રજૂઆત કરી છે. લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણની આગેવાનીમાં પરિવારજનોએ કલેકટરને આવેદનપત્ર આપ્યું છે. જેમાં સારવાર કરવાની જગ્યાએ સગીરાને ખોટી રીતે રજા આપવા બાબતે ડૉક્ટરની બદલીની માગ કરી છે. આરોપીને કડક સજા થાય તે બાબતે આવેદનપત્ર આપી રજૂઆત કરી છે.

આ પણ વાંચો Mahisagar Video : આચાર્યએ પૂર્વ વિદ્યાર્થીની પર દુષ્કર્મ ગુજાર્યાનો કેસ, પીડિતાને સારવાર માટે વલખાં

ઉલ્લેખનીય છે કે, સગીરાને લુણાવાડા હોસ્પિટલમાંથી ગોધરા રિફર કરાઈ હતી. જે બાદ ફરી સગીરાને સારવાર માટે લુણાવાડા કોટેડ હોસ્પિટલમાં ખસેડાઈ છે. સારવાર આપનાર ડૉક્ટર આરોપી આચાર્ય રાજેશ પટેલના સંબંધી હોવાથી રજા આપ્યાનો આક્ષેપ કરાયો છે. જેને લઈને ડૉકટર અને હોસ્પિટલ સ્ટાફ બદલવા પરિવારજનો માગ કરી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા પીડિતાને ન્યાય અપાવા કલેક્ટરને રજૂઆત કરાઈ છે.

મહિસાગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">