ટીમ ઈન્ડિયા સામે પથ્થરમારો, ફાઈનલમાં હાર બાદ બાંગ્લાદેશમાં હંગામો, પરિણામ બદલવું પડ્યું

કોઈ ટૂર્નામેન્ટની ફાઈનલમાં આવું દ્રશ્ય જોવા મળશે એવી કોઈને અપેક્ષા નહોતી. ભારત સામે ફાઇનલ મેચમાં હાર બાદ બાંગ્લાદેશના સમર્થકોએ મેદાન પર જ પથ્થરમારો શરૂ કરી દીધો અને હંગામો એટલો વધી ગયો કે મેચનું પરિણામ બદલવું પડ્યું અને બંને ટીમને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવ્યું હતું.

ટીમ ઈન્ડિયા સામે પથ્થરમારો, ફાઈનલમાં હાર બાદ બાંગ્લાદેશમાં હંગામો, પરિણામ બદલવું પડ્યું
SAFF U19 Womens Championship
Follow Us:
| Updated on: Feb 09, 2024 | 2:32 PM

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી SAFF અન્ડર-19 મહિલા ફૂટબોલમાં મોટો હોબાળો થયો છે. સ્થિતિ એવી હતી કે શરૂઆતમાં ભારતીય ટીમને વિજેતા જાહેર કરવામાં આવી હતી, પરંતુ બાદમાં બંને ટીમોને સંયુક્ત વિજેતા જાહેર કરવી પડી હતી. ઢાકામાં આયોજિત આ મેચમાં બાંગ્લાદેશના સમર્થકોએ રેફરીના નિર્ણય વિરુદ્ધ પથ્થરો અને બોટલો મેદાનમાં ફેંકવાનું શરૂ કરી દીધું હતું, જેના કારણે સ્થિતિ નિયંત્રણની બહાર થઈ ગઈ હતી.

ભારતને વિજેતા જાહેર કરાતા વિવાદ

વાસ્તવમાં ઢાકામાં રમાઈ રહેલી ભારત અને બાંગ્લાદેશની અન્ડર-19 મહિલા ટીમ વચ્ચે ફૂટબોલની ફાઈનલ 11-11થી ટાઈ થઈ હતી. મેચ બાદ રેફરીએ નિર્ણય લીધો કે મેચનું પરિણામ સિક્કો ઉછાળીને નક્કી કરવામાં આવશે. જ્યારે આવું થયું ત્યારે ટીમ ઈન્ડિયાએ ચેમ્પિયનશિપ જીતી લીધી, પરંતુ ચાહકોને તે પસંદ ન આવ્યું.

માત્ર Reliance જ નહીં, મુકેશ અંબાણીની દીકરી ઈશા આ 7 કંપનીઓની પણ છે માલિક
આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો

રેફરીએ બાંગ્લાદેશની પેનલ્ટીની માંગ નકારી

બાંગ્લાદેશની ટીમ પેનલ્ટી લંબાવવાની માંગ કરી રહી હતી, પરંતુ રેફરીએ તેમ ન કર્યું. જેના કારણે ચાહકો બેકાબૂ બની ગયા હતા અને મેદાન પર પથ્થરો અને બોટલો ફેંકવા લાગ્યા હતા અને હોબાળો મચી ગયો હતો. આ હંગામા વચ્ચે ભારતીય ટીમ પોતાની જીતનો જશ્ન મનાવી રહી હતી, તેઓ જીતી તો ગયા પરંતુ મેદાન છોડી શક્યા ન હતા.

સમર્થકોએ મેદાનમાં હંગામો મચાવ્યો

લાંબા વિવાદ બાદ ફેડરેશને પોતાનો નિર્ણય બદલવો પડ્યો અને અંતે ભારત અને બાંગ્લાદેશ બંનેને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવ્યા. જ્યારે ભારતીય ટીમ મેદાન છોડવાનો પ્રયાસ કરી રહી હતી, ત્યારે બાંગ્લાદેશની ટીમ મેદાન પર જ રહી હતી અને નિર્ણયનો વિરોધ કરી રહી હતી, જેના કારણે સમર્થકો પણ મેદાનમાં તેમની સાથે રહ્યા હતા અને હંગામો મચાવતા હતા. આશ્ચર્યજનક વાત એ છે કે ભારત અને બાંગ્લાદેશને સંયુક્ત રીતે વિજેતા જાહેર કરવામાં આવે તો પણ ચેમ્પિયન્સ ટ્રોફી ભારતને જ આપવામાં આવશે.

આ પણ વાંચો: Prithvi Show Century: લોકો ઉડાવી રહ્યા હતા મજાક, સદી ફટકારી અપાયો જોરદાર જવાબ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

મોડાસા નજીકથી 256 કિલો પોષડોડાનો જથ્થો ઝડપાયો, કારમાં કરાતી હતી હેરફેર
મોડાસા નજીકથી 256 કિલો પોષડોડાનો જથ્થો ઝડપાયો, કારમાં કરાતી હતી હેરફેર
તાપી જિલ્લાની નદીઓમાં જળસ્તરમાં વધારો
તાપી જિલ્લાની નદીઓમાં જળસ્તરમાં વધારો
મુક્તેશ્વર, સીપુ, દાંતીવાડા ડેમમાં ચોમાસામાં પાણીની આવક નહીં થતા ચિંતા
મુક્તેશ્વર, સીપુ, દાંતીવાડા ડેમમાં ચોમાસામાં પાણીની આવક નહીં થતા ચિંતા
અંબાજીમાં ગબ્બર રોપ-વે સેવા મંગળવારથી 4 દિવસ માટે બંધ રહેશે, જુઓ
અંબાજીમાં ગબ્બર રોપ-વે સેવા મંગળવારથી 4 દિવસ માટે બંધ રહેશે, જુઓ
વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં સતત ઘટાડો, લોકોએ લીધી રાહતનો શ્વાસ
વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં સતત ઘટાડો, લોકોએ લીધી રાહતનો શ્વાસ
ખંભાળિયામાં ભારે વરસાદ સહાયની માગ,ખેડૂતોએ કલેક્ટરને આપ્યું આવેદન પત્ર
ખંભાળિયામાં ભારે વરસાદ સહાયની માગ,ખેડૂતોએ કલેક્ટરને આપ્યું આવેદન પત્ર
પૂર્ણા નદી ભયજનક સપાટી ઓળંગતા પૂરની ગંભીર સ્થિતિ
પૂર્ણા નદી ભયજનક સપાટી ઓળંગતા પૂરની ગંભીર સ્થિતિ
મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી
મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી
પૂરની સ્થિતિ અંગે "આપ"ના ધારાસભ્ય ચૈતર વસાવાએ શાસકો પર તાક્યું નિશાન
પૂરની સ્થિતિ અંગે
સુરતમાં પૂરના પાણી ઓસર્યા પછી ગંદકી અને રોગચાળાનો ભય
સુરતમાં પૂરના પાણી ઓસર્યા પછી ગંદકી અને રોગચાળાનો ભય
g clip-path="url(#clip0_868_265)">