સંજુ સેમસન ભલે ગમે તેટલા રન બનાવે, તેને T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયામાં સ્થાન નહીં મળે, આ છે કારણ

|

Apr 25, 2024 | 7:35 PM

T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની ટૂંક સમયમાં જાહેરાત થવા જઈ રહી છે અને તે પહેલા એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે સંજુ સેમસનની ટીમમાં પસંદગી મુશ્કેલ છે. સંજુ સેમસન ભલે ગમે તેટલા રન બનાવે તેને T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયામાં સ્થાન નહીં મળે. જેનું કારણ તેનું પ્રદર્શન નહીં પણ બીજું કઈંક છે. આ સિવાય હાર્દિક પંડ્યાનું ફોર્મ પસંદગી સમિતિ માટે ચિંતાનો વિષય છે.

સંજુ સેમસન ભલે ગમે તેટલા રન બનાવે, તેને T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયામાં સ્થાન નહીં મળે, આ છે કારણ
Sanju Samson

Follow us on

IPL 2024 વચ્ચેના બીજા મોટા સમાચારની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની પસંદગીના સમાચાર છે. T20 વર્લ્ડ કપ 2 જૂનથી શરૂ થશે અને આ મહિનાના અંત સુધીમાં ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ શકે છે. આ દરમિયાન એવા અહેવાલો આવ્યા છે કે T20 વર્લ્ડ કપ માટે સંજુ સેમસનની પસંદગી ઘણી મુશ્કેલ છે. તેની જગ્યાએ કેએલ રાહુલને તક મળી શકે છે.

બીજા વિકેટકીપર તરીકે રાહુલનું નામ આગળ

કેએલ રાહુલ બીજા વિકેટકીપરની રેસમાં આગળ છે. રસપ્રદ વાત એ છે કે વર્તમાન IPL 2024માં સંજુ સેમસનનું પ્રદર્શન કેએલ રાહુલ કરતા ઘણું સારું છે. આ ઉપરાંત તે પોતાની ટીમ રાજસ્થાનનું પણ શાનદાર રીતે નેતૃત્વ કરી રહ્યો છે. તેની ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. પરંતુ તેને તેની મહેનતનું કોઈ પરિણામ મળવાનું નથી કારણ કે T20 વર્લ્ડ કપમાં બીજા વિકેટકીપર તરીકે રાહુલનું નામ આગળ છે.

પંડ્યાનું ખરાબ ફોર્મ ટેન્શનનું કારણ

PTIના અહેવાલ મુજબ, ટીમ ઈન્ડિયાના પસંદગીકારો હાર્દિક પંડ્યાના ખરાબ ફોર્મને લઈને ખૂબ જ ચિંતિત છે. મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ કરી રહેલા પંડ્યાએ ન તો બેટથી રન બનાવ્યા ન તો બોલિંગમાં વિકેટ ઝડપી. પંડ્યાએ આ સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે 8 મેચમાં માત્ર 17 ઓવર ફેંકી છે અને તેનો ઈકોનોમી રેટ પણ પ્રતિ ઓવર 11 રનથી વધુ છે. અહેવાલો અનુસાર, પસંદગીકારો શિવમ દુબેના નામ પર વિચાર કરી રહ્યા છે. બોલર તરીકે તે પંડ્યાની નજીક ક્યાંય નથી પરંતુ તેનું બેટિંગ ફોર્મ એટલું શાનદાર છે કે તેની અવગણના કરવી મુશ્કેલ છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

પંતનું સ્થાન કન્ફર્મ

T20 વર્લ્ડ કપમાં રિષભ પંતનું સ્થાન નિશ્ચિત થઈ ગયું છે. આ ડાબોડી વિસ્ફોટક ખેલાડી વિકેટકીપર તરીકે પ્રથમ પસંદગી છે. પંતે આ સિઝનમાં 161ના સ્ટ્રાઈક રેટથી 342 રન બનાવ્યા છે. સંજુ સેમસન અને રાહુલનું પ્રદર્શન પણ સારું રહ્યું છે પરંતુ પંતે બંનેને મોટા માર્જિનથી પાછળ છોડી દીધા છે. મોટી વાત એ છે કે પંતની વિકેટકીપિંગ પણ શાનદાર દેખાઈ રહી છે, તેથી તે T20 વર્લ્ડ કપ રમશે તે નિશ્ચિત છે.

બોલરોમાં કોનું સ્થાન નિશ્ચિત?

બોલરોમાં જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ, રવીન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવનું સ્થાન લગભગ નિશ્ચિત હોવાનું કહેવાય છે. જોકે, બુમરાહ અને કુલદીપ સિવાય અન્ય કોઈ બોલર ફોર્મમાં દેખાઈ રહ્યો નથી. એવા પણ સમાચાર છે કે રાજસ્થાન રોયલ્સના ફાસ્ટ બોલર અવેશ ખાન, દિલ્હી કેપિટલ્સના સ્પિનર ​​અક્ષર પટેલ અને લખનૌ સુપર જાયન્ટ્સના લેગ સ્પિનર ​​બિશ્નોઈ વચ્ચે પણ સ્પર્ધા છે. અક્ષર પટેલ તેની બેટિંગના કારણે જીતી શકે છે. IPLમાં 200 વિકેટ લેનાર પ્રથમ બોલર બનનાર યુઝવેન્દ્ર ચહલને તક મળશે કે નહીં તે કહેવું મુશ્કેલ છે.

આ પણ વાંચો : થપ્પડ, લાત અને મુક્કા…હાર્દિક પંડ્યાનું નામ લેવામાં આવ્યું અને LIVE મેચમાં થયો જોરદાર હંગામો, જુઓ Video

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article