મોટું એલાન ટૂંક સમયમાં ! ગોલ્ડને લઈને સરકારની ‘નવી રણનીતિ’, આ એક નિર્ણયથી બદલાઈ જશે ‘આખું ગણિત’
ભારતીય જ્વેલરી બજાર અને સોનાના વેપારીઓ માટે અત્યંત મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. વાત એમ છે કે, 'સરકાર' સોનાને લઈને એક મોટો અને નિર્ણાયક નિર્ણય લેવાની તૈયારીમાં છે, જેનાથી બજારનું 'આખું ગણિત' બદલાઈ શકે છે.

ભારત સરકાર ગોલ્ડ ઈમ્પોર્ટ અને ટેક્સ છૂટને લઈને મોટો નિર્ણય લેવાની તૈયારીમાં છે. ખાડી દેશો (Gulf Countries) સાથે થનારી ટ્રેડ ડીલમાં સરકાર ગોલ્ડ પર ટેરિફમાં છૂટ નહીં આપવાના સંકેત આપી રહી છે. આનો હેતુ સ્થાનિક બજારને સુરક્ષિત રાખવાનો અને ગોલ્ડ ઈમ્પોર્ટમાં અચાનક આવેલી તેજ વૃદ્ધિને કંટ્રોલ કરવાનો છે. ખાસ કરીને UAE સાથેની ટ્રેડ ડીલ બાદ ગોલ્ડ આયાતમાં આવેલા તેજ ઉછાળાએ સરકારની ચિંતા વધારી દીધી છે અને હવે નવી રણનીતિ બનાવવામાં આવી રહી છે.

ભારત સરકાર ગોલ્ડને લઈને મોટું અને મહત્વનું પગલું ઉઠાવવાની તૈયારીમાં છે. ખાડી દેશોના સમૂહ GCC (Gulf Cooperation Council) સાથે પ્રસ્તાવિત ટ્રેડ ડીલમાં સરકાર ગોલ્ડ પર ટેરિફમાં કોઈ છૂટ નહીં આપવાનો નિર્ણય લઈ શકે છે. આની સીધી અસર ગોલ્ડ ઈમ્પોર્ટ અને ટેક્સ સ્ટ્રક્ચર પર પડી શકે છે. સરકારનું આ પગલું સ્થાનિક બજારને સુરક્ષિત રાખવા અને ગોલ્ડ આયાત પર નિયંત્રણ જાળવી રાખવાના હેતુથી ઉઠાવવામાં આવી રહ્યું છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારતે તાજેતરમાં ઓમાન સાથે થયેલા ટ્રેડ એગ્રીમેન્ટમાં પણ ગોલ્ડ અને સિલ્વરને ટેરિફ છૂટથી બહાર રાખ્યા હતા. આ જ રણનીતિ હવે GCC સાથે થનારી ટ્રેડ ડીલમાં પણ અપનાવવામાં આવી શકે છે. આનો અર્થ સ્પષ્ટ છે કે, સરકાર ગોલ્ડને લઈને ખૂબ જ સતર્ક વલણ અપનાવી રહી છે અને ટેક્સમાં રાહત આપવાના મૂડમાં નથી. સરકારની ચિંતાનું સૌથી મોટું કારણ UAE સાથેનો પાછલો અનુભવ છે. ભારત અને UAE વચ્ચે CEPA ટ્રેડ એગ્રીમેન્ટ મે 2022માં લાગુ થયો હતો.

આ સમજૂતી હેઠળ ભારતે ગોલ્ડ ઈમ્પોર્ટ પર ટેરિફમાં છૂટ આપી હતી અને એક નક્કી કરેલા ક્વોટા હેઠળ માત્ર 1% કસ્ટમ ડ્યુટી પર ગોલ્ડ આયાતની મંજૂરી આપવામાં આવી હતી. આની અસર એ થઈ કે, UAEથી ભારતમાં ગોલ્ડ ઈમ્પોર્ટ ઝડપથી વધી ગયું. FY-22માં જ્યાં UAEથી ગોલ્ડ આયાત 5.8 અબજ ડોલર હતી, ત્યાં FY-25 સુધીમાં તે વધીને આશરે 16.8 અબજ ડોલર સુધી પહોંચી ગઈ. ટૂંકમાં, માત્ર 3 વર્ષમાં ગોલ્ડ આયાત લગભગ ત્રણ ગણી થઈ ગઈ. આ ઝડપી વધારાએ સરકારની ચિંતા વધારી દીધી છે.

ટ્રેડ એક્સપર્ટ્સનું કહેવું છે કે, ટેરિફ છૂટનો કેટલાક કિસ્સાઓમાં ખોટો ઉપયોગ પણ થયો. કેટલીક આયાત એવી હતી, જે નિયમો મુજબ પાત્ર નહોતી. જો કે, તેમ છતાંય ઓછા ટેક્સનો લાભ લેવામાં આવ્યો. ત્યારબાદ સરકારને નિયમો કડક કરવા પડ્યા અને દેખરેખ વધારવી પડી.

હવે સરકાર GCC સાથે થનારી ટ્રેડ ડીલમાં આ પ્રકારની સ્થિતિથી બચવા માંગે છે. GCCમાં UAE, સાઉદી અરેબિયા, કતાર, કુવૈત, ઓમાન અને બહેરીન જેવા મોટા ગોલ્ડ ટ્રેડિંગ દેશો જોડાયેલ છે. જો આ દેશોને ટેરિફ છૂટ આપવામાં આવે છે, તો ભારતમાં ગોલ્ડ આયાત વધુ ઝડપથી વધી શકે છે.

ભારત અને GCC દેશો વચ્ચે વેપાર ઝડપથી વધી રહ્યો છે અને FY-25માં તે 179 અબજ ડોલર સુધી પહોંચી ગયો છે. ભારત આ દેશોને ટેક્સટાઇલ, જ્વેલરી, ફાર્મા અને એન્જિનિયરિંગ સામાન એક્સપોર્ટ કરે છે, જ્યારે બદલામાં કાચું તેલ તેમજ ગેસ જેવા એનર્જી પ્રોડક્ટ્સ આયાત કરે છે. સરકારનું માનવું છે કે, ગોલ્ડ પર ટેરિફ છૂટ આપવાથી સ્થાનિક જ્વેલરી ઇન્ડસ્ટ્રી અને ટ્રેડ બેલેન્સ પર દબાણ આવી શકે છે. આથી, સરકાર હવે ગોલ્ડને ટ્રેડ ડીલમાં સંવેદનશીલ કેટેગરીમાં રાખી રહી છે.

ભારતે તાજેતરમાં ઓમાન સાથે થયેલા Comprehensive Economic Partnership Agreement (CEPA)માં ગોલ્ડ અને સિલ્વરને ટેરિફ છૂટની લિસ્ટમાંથી બહાર રાખ્યા હતા. સરકારે આવું સ્થાનિક બજાર અને ઇન્ડસ્ટ્રીના હિતોની રક્ષા માટે કર્યું હતું. હવે આ જ રણનીતિને GCC સાથે થનારી ડીલમાં પણ અપનાવવામાં આવી શકે છે.

જો સરકાર ગોલ્ડ પર ટેરિફમાં છૂટ નહીં આપે, તો ગોલ્ડ ઈમ્પોર્ટની રફ્તાર પર નિયંત્રણ રહેશે. આનાથી સ્થાનિક જ્વેલરી બજાર અને ટ્રેડ બેલેન્સ પર દબાણ ઓછું થશે. આ સાથે જ સરકારને ટેક્સની આવકમાં પણ નુકસાન થશે નહીં.

ભારત વિશ્વના સૌથી મોટા ગોલ્ડ ગ્રાહકોમાંનું એક છે. જો ગોલ્ડ પર ટેક્સ ઓછો કરવામાં આવે છે, તો ઈમ્પોર્ટ વધે છે અને તેની અસર દેશના અર્થતંત્ર તેમજ કરન્સી પર પડે છે. આથી સરકારનો આ નિર્ણય ગોલ્ડની કિંમતો, જ્વેલરી ઇન્ડસ્ટ્રી અને સમગ્ર કોમોડિટી માર્કેટ માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.
ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે, લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરો
